android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: વટવા અકબરીબાગમાં પીવાના પાણીના ધાંધિયા : AMCની કચેરીએ હલ્લાબોલ

calendar_todayAugust 29, 2026

Ahmedabad: વટવા અકબરીબાગમાં પીવાના પાણીના ધાંધિયા : AMCની કચેરીએ હલ્લાબોલ

અમદાવાદના દક્ષિણ ઝોનમાં આવેલા વટવા વિસ્તારના અકબરીબાગ બોરવાડમાં છેલ્લા છ મહિનાથી પિવાના પાણીની અને દુષિત પાણીની સમસ્યાને લઈ આજે સ્થાનિક રહીશોઅને સ્થાનિક આગેવાનોએ મોટી સંખ્યામાં દક્ષિણ ઝોનની ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો.

સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે ભારે વિરોધ નોંધાવીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ એડિશનલ સિટી ઇજનેર પ્રજાપતિને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પાણી પુરવઠો સુચારુ કરવા માંગ કરી હતી. મહત્વનું છે કે રજૂઆત દરમિયાન સ્થાનિકોએ તંત્રની બેદરકારી ખુલ્લી પાડતા કહ્યું કે વટવા ગામ ખાતે 4 લાખ ગેલન અને માટીખાના વિસ્તારમાં 6 લાખ MLDની અંડરગ્રાઉન્ડ ટાંકીઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત તાજેતરમાં અમન પ્લાઝા નજીક કરોડોના ખર્ચે 5 MLD ક્ષમતાની નવી ટાંકી પણ તૈયાર કરવામાં આવી છે. આમ છતાં, અધિકારીઓની નીતિરીતિ અને નવી ટાંકીનું કનેક્શન ન આપવાની આળસને કારણે નાગરિકોને ટીપે-ટીપા પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે.બીજી તરફ્, મચ્છી પીર પાસે આવેલો જૂનો બોર છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે. તંત્ર દ્વારા તેને રિપેર ન કરાતા અકબરીબાગ અને ખજૂરી મસ્જિદ આસપાસના 40થી 50 પરિવારો છેલ્લા છ મહિનાથી પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો