android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે નવસારી, ભાજપ કાર્યાલયના લોકાર્પણને પગલે તૈયારીઓ તેજ
calendar_today August 27, 2026

Gujarat Latest News Live: PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે નવસારી, ભાજપ કાર્યાલયના લોકાર્પણને પગલે તૈયારીઓ તેજ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 ઓગસ્ટ ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad News: નેપાળમાં 21 ભારતીયોને બચાવી લેવાયા, 12 ગુજરાતી પ્રવાસીઓનો સંપર્ક ના થઈ શક્યો
calendar_today August 27, 2026

Ahmedabad News: નેપાળમાં 21 ભારતીયોને બચાવી લેવાયા, 12 ગુજરાતી પ્રવાસીઓનો સંપર્ક ના થઈ શક્યો

નેપાળના વિનાશક પૂરમાં ગુમ થયેલા 178 ભારતીયો પૈકી 21 લોકોને બચાવી લેવાયા છે. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે યાદી જાહેર કરી છે. બચાવવામાં આવેલા તમામ લોકો તામિલનાડુના હોવાનું સામે આવ્યું છે. આ તમામ પ્રવાસીઓ માનસરોવરની યાત્રાએ ગયા હતાં. બીજી તરફ ગુજરાતમાંથી નેપાળમાં કેટલા પ્રવાસીઓ ફસાયા છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે. રાજ્યમાં જિલ્લા પ્રમાણે હેલ્પલાઈન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આરટીઓ તંત્ર અને જિલ્લા કલેક્ટરોને વિગતો મેળવવા આદેશ કર્યો છે.  21 ભારતીય લોકોને બચાવી લેવામાં આવ્યાનેપાળમાં આવેલા વિનાશક પૂરમાં 178 ભારતીયો ગુમ થયા હોવાની સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદી પૈકીના 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેઓ તામિલનાડુના હોવાની વિદેશ મંત્રાલય દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાંથી પણ કેટલા પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે તેની વિગતો મેળવવા કલેક્ટર અને આરટીઓને આદેશ આપવામાં આવ્યા છે.  રાજ્યમાંથી હાલમાં 12 પ્રવાસીઓ નેપાળમાં સંપર્ક વિહોણા થયા હોવાની વિગતો સામે આવી છે. રાજકોટના 15 વાહનોનો હાલ કોઈ સંપર્ક નહીંરાજકોટથી નેપાળ જવા નીકળેલા 15 જેટલા વાહનોનો હાલ કોઈ સંપર્ક થઈ રહ્યો નથી.આ વાહનોમાં કેટલા પ્રવાસીઓ સવાર હતા તેની ચોક્કસ સંખ્યા હજુ સામે આવી નથી.પ્રવાસીઓ બસ, કાર અને ટેક્સી મારફતે ગયા હતા.કેટલાક નેપાળ પહોંચ્યા હોવાનો જ્યારે કેટલાક ઉત્તરાખંડ તરફ હોવાનો અનુમાન છે.કલેક્ટર તંત્ર અને RTO દ્વારા સંપર્ક કરવા પ્રયાસો હાથ ધરાયા છે.નેપાળમાં હજી 12 લોકોનો સંપર્ક થઈ રહ્યો નથી. જેમાં અમદાવાદ, આણંદ, વલસાડ, રાજકોટ, સુરત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.  આણંદનો અમેરિકન પરિવાર નેપાળમાં ગુમઆણંદના મુળ અમેરિકન સિટિઝન બિમલ પટેલ અને તેમની પત્ની જૈનિના પટેલ ગુમ થયા હોવાની વિગતો સામે આવી છે. તેઓ એક મહિના અગાઉ પરિવારને સરપ્રાઈઝ આપવા માટે ભારત આવ્યા હતાં. 16 ઓગસ્ટે એજન્ટ મારફતે નેપાળ અને કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતાં. છેલ્લે ગત રવિવારે તેમની પરિવારજનો સાથે વાત થઈ હતી. આ પતિ પત્ની ગુમ થયા હોવાની એજન્ટે પરિવારજનોને જાણ કરી હતી. આ દંપતી તેમના 12 વર્ષના દીકરાને આણંદ મુકીને નેપાળ ફરવા ગયા હતાં. દીકરાને ફરવું પસંદ નહીં હોવાથી તેને ભાઈને સોંપીને ગયા હતાં. બીજી તરફ વડોદરાના કિન્નરી પટેલ અને મીહિર પટેલ પણ નેપાળમાં ગુમ થયા છે. તેમના ભાઈ ચિરાગ પટેલે સરકાર પાસે મદદ માગી છે. આ દંપતી ન્યૂઝીલેન્ડમાં રહે છે. તેઓ મુંબઈની ટ્રાવેલ્સ એજન્સી મારફતે નેપાળ ગયા હતાં.  ગુમ થયેલા કિન્નરી પટેલના ભાઈ ચિરાગ પટેલે શું કહ્યુંગુમ થયેલા કિન્નરી પટેલના ભાઈ ચિરાગ પટેલે કહ્યું હતું કે, અમારા બહેન 23મીએ સિંગાપુરથી કાઠમંડુ પહોંચ્યા હતાં. તેઓ 3 દિવસ કાઠમંડુમાં રહ્યા હતાં. 26 તારીખથી તેઓ સંપર્ક વિહોણા છે. તેઓ શિવભક્ત હતાં અને કૈલાસ માનસરોવર જવાના હતાં. ભગવાન ભોળાનાથ અને સરકાર પાસે અમે મદદ માગીએ છીએ. અમારો પરિવાર પરત આવે તેવી આશા છે. નેપાળ સરકારે પણ અમને સાંત્વના આપી છે. આ પણ વાંચોઃ Vadodara News : નેપાળમાં મુશ્કેલીમાં જે ગાઈડે અમારી મદદ કરી તે જ દુર્ઘટનાનો ભોગ બન્યા, ઘરે આવ્યા પછી અમને ઊંઘ નથી આવતી

Read Full Story arrow_forward
Tharad News: ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. 27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, પ્લાસ્ટિકની થેલીઓની આડમાં થતી હેરાફેરીનો થરાદ પોલીસ દ્વારા પર્દાફાશ
calendar_today August 27, 2026

Tharad News: ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. 27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, પ્લાસ્ટિકની થેલીઓની આડમાં થતી હેરાફેરીનો થરાદ પોલીસ દ્વારા પર્દાફાશ

વાવ-થરાદ પંથકમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદે હેરાફેરી સામે થરાદ પોલીસે લાલ આંખ કરી છે. વાંતાડા ભારતમાલા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસની આ ત્વરિત અને સાવચેત કાર્યવાહીને કારણે અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી છે.પ્લાસ્ટિકની થેલીઓની આડમાં છુપાવ્યો હતો દારૂબૂટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કસબ અજમાવવામાં આવતા હોય છે, ત્યારે આ કિસ્સામાં પણ એક બંધ બોડીની ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રકમાં પ્લાસ્ટિકની ખાલી થેલીઓની આડમાં ખૂબ જ ચાલાકીપૂર્વક વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. જોકે, થરાદ પોલીસની તીક્ષ્ણ નજર સામે બૂટલેગરોનો આ કસબ નાકામ નીવડ્યો હતો અને તપાસ દરમિયાન કુલ 832 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 27,02,289 આંકવામાં આવી છે.કુલ રૂ. 37.79 લાખનો મુદ્દામાલ જપ્તપોલીસે ઘટના સ્થળેથી માત્ર દારૂ જ નહીં પરંતુ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી પણ જપ્ત કરી છે. જેમાં રૂ. 10,00,000 ની કિંમતની બંધ બોડીની ટ્રક, વાહનચાલકનો મોબાઇલ ફોન તેમજ દારૂ છુપાવવા માટે વપરાયેલી ખાલી પ્લાસ્ટિકની થેલીઓ સામેલ છે. આમ, થરાદ પોલીસે કુલ રૂ. 37,79,289 નો મુદ્દામાલ પોતાના કબજામાં લીધો છે.હરિયાણાનો ટ્રક ડ્રાઇવર સ્થળ પરથી ઝડપાયોઆ ગેરકાયદે વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચલાવી રહેલા ડ્રાઇવરની પોલીસે સ્થળ પર જ અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીની ઓળખ વિનોદ કુમાર અમીલાલ નાયક (રહે. ફતેહાબાદ, હરિયાણા) તરીકે થઈ છે. આરોપી અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આ દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.દારૂ મંગાવનાર અને ભરાવનાર સામે કાયદેસરની તપાસ શરૂથરાદ પોલીસે ઝડપાયેલા ટ્રક ડ્રાઇવર સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો કોણે ભરાવ્યો હતો અને ગુજરાતમાં તે કોને પહોંચાડવાનો હતો તે તમામ કડીઓ મેળવવા માટે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ રેકેટમાં જોડાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પણ વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આ પણ વાંચો - Tharad News: ખેડૂતોની રજૂઆત બાદ સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છોડાયું

Read Full Story arrow_forward