Rajkotમાં ધંધાની હરીફાઈની અદાવત, સંત કબીર રોડ પર પિતા-પુત્ર પર 9 શખ્સોનો હુમલો
રાજકોટ શહેરના સંત કબીર રોડ વિસ્તારમાં ધંધાકીય હરીફાઈ અને જૂની અદાવતમાં એક ગંભીર હુમલાની ઘટના સામે આવી છે. વેપાર-ધંધા બાબતે ચાલી આવતી તકરારના કારણે 9 જેટલા અસામાજિક તત્વોએ ભેગા મળીને પિતા અને પુત્ર પર અચાનક હુમલો કરી દીધો હતો. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સંત કબીર રોડ પર થોડા સમય માટે ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.દેવાંગી ડેરી પાસે બોલાચાલી બાદ 9 શખ્સો તૂટી પડ્યામળતી માહિતી મુજબ, પિતા અને પુત્ર સંત કબીર રોડ પર આવેલી દેવાંગી ડેરી પાસે ઊભા હતા ત્યારે હરીફ જૂથના શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. ધંધાકીય સ્પર્ધા બાબતે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા 9 હુમલાખોરોએ પિતા-પુત્ર પર હથિયારો અને લાકડીઓ વડે તૂટી પડી ઢોર માર માર્યો હતો. આ હુમલામાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત પિતા-પુત્રના નિવેદનના આધારે હુમલો કરનાર તમામ 9 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હુમલાખોરોને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Navsariના ઉંભરાટ ગામમાં દારૂબંધીના ધજાગરા, મોપેડ પર દારૂ લઈ જતી મહિલા ઝડપાઈ
Read Full Story arrow_forward