android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkotમાં ધંધાની હરીફાઈની અદાવત, સંત કબીર રોડ પર પિતા-પુત્ર પર 9 શખ્સોનો હુમલો
calendar_today August 28, 2026

Rajkotમાં ધંધાની હરીફાઈની અદાવત, સંત કબીર રોડ પર પિતા-પુત્ર પર 9 શખ્સોનો હુમલો

રાજકોટ શહેરના સંત કબીર રોડ વિસ્તારમાં ધંધાકીય હરીફાઈ અને જૂની અદાવતમાં એક ગંભીર હુમલાની ઘટના સામે આવી છે. વેપાર-ધંધા બાબતે ચાલી આવતી તકરારના કારણે 9 જેટલા અસામાજિક તત્વોએ ભેગા મળીને પિતા અને પુત્ર પર અચાનક હુમલો કરી દીધો હતો. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સંત કબીર રોડ પર થોડા સમય માટે ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.દેવાંગી ડેરી પાસે બોલાચાલી બાદ 9 શખ્સો તૂટી પડ્યામળતી માહિતી મુજબ, પિતા અને પુત્ર સંત કબીર રોડ પર આવેલી દેવાંગી ડેરી પાસે ઊભા હતા ત્યારે હરીફ જૂથના શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. ધંધાકીય સ્પર્ધા બાબતે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા 9 હુમલાખોરોએ પિતા-પુત્ર પર હથિયારો અને લાકડીઓ વડે તૂટી પડી ઢોર માર માર્યો હતો. આ હુમલામાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત પિતા-પુત્રના નિવેદનના આધારે હુમલો કરનાર તમામ 9 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હુમલાખોરોને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Navsariના ઉંભરાટ ગામમાં દારૂબંધીના ધજાગરા, મોપેડ પર દારૂ લઈ જતી મહિલા ઝડપાઈ

Read Full Story arrow_forward
Ahmedabad News: કૃષ્ણનગરમાં જામીન પર છૂટેલા આરોપીએ ફરી હત્યાના બનાવને અંજામ આપ્યો
calendar_today August 28, 2026

Ahmedabad News: કૃષ્ણનગરમાં જામીન પર છૂટેલા આરોપીએ ફરી હત્યાના બનાવને અંજામ આપ્યો

અમદાવાદના કૃષ્ણનગરમાં ગત મોડી સાંજે ખુની ખેલ ખેલાયો છે. ઠક્કરનગર પોલીસ ચોકી નજીકમાં જ યુવકને જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપીએ જામીન પર છૂટીને હત્યાના બનાવને અંજામ આપ્યો હતો.પોલીસ એ બે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી શરૂ કરી છે.પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ગત મોડી સાંજે હત્યાનો બનાવ બન્યો હતો.ઠક્કરનગર પોલીસ ચોકી નજીક દિલીપ ઉર્ફે બકરો સોનકર નામના યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.બનાવની જાણ થતા જ કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પર પહોંચી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અંગત અદાવતમાં આ હત્યાનો બનાવ બન્યો છે.પોલીસે ભરત ઉર્ફે બકરો ચુનારા અને રોહિત દંતાણી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.દિલીપના મિત્ર ધર્મેશ મરાઠીની હત્યા એચ ડિવિઝન એસીપી આર.ડી.ઓઝાએ કહ્યું હતું કે, મૃતક દિલીપ સોનકરના મિત્ર સંદીપ દિવાકર અને કમલેશ ઉર્ફે કાળુ મરાઠીએ વર્ષ 2018માં વસંતનગરના છાપરામાં રહેતા વિજય ચુનારાઓને માર માર્યો હતો.દિલીપ સોનકર સંદીપ અને કમલેશનો ખાસ મિત્ર હતો.આ સમયગાળા દરમિયાનથી બંને પક્ષો વચ્ચે અંદરો અંદર અદાવત ચાલતી હતી.જે અદાવતમાં વર્ષ 2020માં વિજય ઉર્ફે બકરો તથા તેનો ભાઈ ભરત ઉર્ફે બકરો અને અન્ય શખ્સોએ ભેગા મળી દિલીપના મિત્ર ધર્મેશ મરાઠીની હત્યા કરી હતી. આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી જે અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ થયો હતો. જેમાં ભરત અને તેના ભાઈ વિજયને આજીવન કેદની સજા પણ થયેલ છે.ભરત ચુનારા 18મી ઓગસ્ટના દિવસે જેલમાંથી જામીન ઉપર બહાર આવ્યો હતો. પકડાયેલ આરોપી ભરત ચુનારા વિરુદ્ધમાં અગાઉ કૃષ્ણનગર,ખેડા ટાઉન,પાટણ અને મહેમદાબાદમાં હત્યા, હત્યાની કોશિશ, ચોરી અને પ્રોહીબિશનના 5 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે રોહિત દંતાણી વિરુદ્ધમાં પણ 5 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચોઃ Nepal Flash Flood: ISROની સેટેલાઇટ તસવીરોથી ખુલાસો, ચીન રોકી શક્યું હોત તબાહી

Read Full Story arrow_forward
India Foreign Policy: બ્રિક્સ સમિટ પહેલાં ચીન, રશિયા, જાપાન અને અમેરિકા-કેનેડામાં ભારતીય દિગ્ગજોનો માસ્ટરપ્લાન
calendar_today August 28, 2026

India Foreign Policy: બ્રિક્સ સમિટ પહેલાં ચીન, રશિયા, જાપાન અને અમેરિકા-કેનેડામાં ભારતીય દિગ્ગજોનો માસ્ટરપ્લાન

સરહદી મુદ્દાઓ ઉપરાંત, ચીન સાથે ચર્ચાઓ હવે રોકાણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રશિયા સાથે ચર્ચાઓ ઉર્જા પુરવઠા અને વધતી જતી વેપાર ખાધ પર થઈ રહી છે.ટેકનોલોજી અને ઉત્પાદન પ્રાથમિકતા ભારતે લગભગ એક સાથે ચાર વ્યૂહાત્મક અને આર્થિક રીતે મહત્વપૂર્ણ ભાગીદારો સાથે તેના સંબંધો મજબૂત કર્યા છે. આમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની બેઇજિંગ મુલાકાત, વિદેશ પ્રધાન એસ. જયશંકરની મોસ્કો મુલાકાત, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની કેનેડા-યુએસ મુલાકાત અને વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલની જાપાન મુલાકાતનો સમાવેશ થાય છે. આ મુલાકાતો દરમિયાન સરહદ વ્યવસ્થાપન, ઉર્જા સુરક્ષા, રોકાણ, ટેકનોલોજી અને ઉત્પાદન પ્રાથમિકતા રહી છે. નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટનું આયોજન ભારત 12-13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટનું આયોજન કરશે, જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાજરી આપવાના છે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજરી આપે તેવી અપેક્ષા છે. ચીન સાથે, હવે સરહદ વિવાદ તેમજ રોકાણ પર ચર્ચા થઈ રહી છે. રશિયા સાથેની ચર્ચામાં ઊર્જા, ખાતરો અને વધતા વેપાર અસંતુલન જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. જાપાનમાં, ગોયલે રોકાણ અને ઉત્પાદનમાં ભાગીદારીની માંગ કરી હતી, જ્યારે સીતારમણ કેનેડામાં રોકાણકારો અને નાણાકીય કંપનીઓને મળી રહ્યા છે. ચીન સાથે સરહદ અને રોકાણ ચર્ચા24-25 ઓગસ્ટના રોજ ડોભાલની બેઇજિંગ મુલાકાત ભારત-ચીન સરહદ વિવાદ પર કેન્દ્રિત હતી. ખાસ પ્રતિનિધિઓની વાટાઘાટોના 25મા રાઉન્ડમાં, બંને પક્ષો સરહદ સીમાંકન અને વ્યવસ્થાપન પર કામ ચાલુ રાખવા અને સરહદી પરિસ્થિતિઓને સંબોધવા માટે રાજદ્વારી અને લશ્કરી ચેનલોનો ઉપયોગ કરવા સંમત થયા. ભારત અને ચીન પૂર્વી અને મધ્ય ક્ષેત્રોમાં મીટિંગ પોઇન્ટ અને લશ્કરી હોટલાઇન સ્થાપિત કરવા પણ સંમત થયા હતા. બિઝનેસ-ટુ-બિઝનેસ એક્સચેન્જ ભારત અને ચીન બિઝનેસ-ટુ-બિઝનેસ એક્સચેન્જ અને રોકાણ માટે એક નવા માળખા પર વિચાર કરી રહ્યા છે. ચર્ચામાં ચીની રોકાણના પ્રવાહને ઝડપી બનાવવા અને બિન-વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ માટે મંજૂરી પ્રક્રિયાને સરળ બનાવવાના રસ્તાઓનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, શીની સંભવિત BRICS મુલાકાત દરમિયાન બેઇજિંગ રોકાણ પેકેજની પણ જાહેરાત કરી શકે છે. ચર્ચા હેઠળના પ્રસ્તાવોમાં ખાસ આર્થિક ક્ષેત્રો અને નિકાસ પ્રક્રિયા ઝોનમાં રોકાણનો સમાવેશ થાય છે, પરંતુ કોઈ પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવામાં આવી નથી.ઉર્જા પુરવઠો અને વધતો જતો વેપાર અંતર23-24 ઓગસ્ટના રોજ જયશંકરની મોસ્કો મુલાકાતમાં ઉર્જા સુરક્ષા અને વેપાર બંને પર ભાર મૂકવામાં આવ્યો હતો. જયશંકરે ૨૭મી ભારત-રશિયા આંતર-સરકારી કમિશનની બેઠકમાં જણાવ્યું હતું કે ભારત-રશિયા માલસામાનનો વેપાર પાંચ વર્ષમાં ચાર ગણો વધી ગયો છે - 2021-22માં આશરે $13 બિલિયનથી 2025-26માં આશરે $60 બિલિયન. જોકે, રશિયા સાથે ભારતની વેપાર ખાધ પણ 6.6 બિલિયન ડોલરથી વધીને $50 બિલિયનથી વધુ થઈ ગઈ છે.આ પણ વાંચોઃ  PoKમાં ચૂંટણી હારેલા ઇફ્તિખાર ગિલાની બનશે વડાપ્રધાન, નવાઝ શરીફના નિર્ણયનો વિરોધ

Read Full Story arrow_forward