android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ajit Pawar Plane Crash :  સુનેત્રા પવાર બની શકે છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ!

calendar_todayJanuary 29, 2026

Ajit Pawar Plane Crash : સુનેત્રા પવાર બની શકે છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ!

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા દુઃખદ અવસાન બાદ રાજ્યના રાજકારણમાં ખાલી પડેલા સ્થાનને લઈને ચર્ચાઓ તેજ બની છે. આ દુર્ઘટનાએ માત્ર રાજકીય નહીં પરંતુ ભાવનાત્મક ખાલીપો પણ ઊભો કર્યો છે. આવી પરિસ્થિતિમાં તેમના પરિવાર અને ખાસ કરીને તેમની પત્ની સુનેત્રા પવારને લઈને નવી રાજકીય શક્યતાઓ પર ચર્ચા થઈ રહી છે.

મુખ્યમંત્રી પદની ઓફર

સૂત્રોના જણાવ્યા અનુસાર, સુનેત્રાને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવશે. સુનેત્રા પવાર તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવારની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રફુલ્લ પટેલ એનસીપીના પ્રમુખ બની શકે છે. તેઓ આ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરશે. આ બેઠક દરમિયાન NCP (સપા) ના વિલીનીકરણ પર પણ ચર્ચા થઈ શકે છે.

અચાનક વિદાય બાદ પાર્ટીની એકતા

રાજકીય જાણકારોનું માનવું છે કે અજિત પવારની અચાનક વિદાય બાદ પાર્ટીની એકતા જાળવવા માટે પરિવારના સભ્યને જવાબદારી સોંપવી એ એક વ્યૂહાત્મક પગલું હોઈ શકે છે. સુનેત્રા પવાર લાંબા સમયથી સામાજિક અને જાહેર જીવનમાં સક્રિય રહી છે અને બારામતી વિસ્તારમાં તેમનો મજબૂત સંપર્ક પણ માનવામાં આવે છે.

કોઇ સત્તાવાર રાજકીય નિવેદન નથી આવ્યું

જો કે, હાલ સુધી સુનેત્રા પવાર તરફથી કોઈ સત્તાવાર રાજકીય નિવેદન આવ્યું નથી. તેઓ આ સમગ્ર ઘટનાને અંગત દુઃખની ઘડી તરીકે જોઈ રહ્યા છે અને રાજકીય નિર્ણય માટે સમય લેવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે. પાર્ટી નેતાઓ પણ આ મુદ્દે સંયમ રાખી રહ્યા છે અને તમામ વિકલ્પો પર વિચાર ચાલી રહ્યો છે.

પ્રશ્નો ઉભા થાય છે

આ સાથે જ એવો પણ પ્રશ્ન ઊભો થયો છે કે શું સુનેત્રા પવાર સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં. કેટલાક નેતાઓ માને છે કે મહિલા નેતૃત્વને આગળ લાવવાથી પાર્ટીની છબી મજબૂત બની શકે છે, ખાસ કરીને જ્યારે રાજ્યમાં રાજકીય સ્થિરતા જાળવવી મહત્વપૂર્ણ બની છે.

અજિત પવારના પત્ની અને બાળકો

અજિત પવારના લગ્ન મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી પદ્મસિંહ બાજીરાવ પાટીલની પુત્રી સુનેત્રા પવાર સાથે થયા હતા. સુનેત્રા પવાર સામાજિક પહેલમાં સામેલ હતા અને ઘણીવાર જાહેર કાર્યક્રમો અને કલ્યાણકારી કાર્યક્રમોમાં અજિત પવાર સાથે જતા હતા.તે હાલમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સભ્ય તરીકે મહારાષ્ટ્રથી રાજ્યસભાના સંસદ સભ્ય તરીકે સેવા આપી રહી છે. સુનેત્રા પવાર બારામતી ટેક્સટાઇલ કંપનીના ચેરપર્સન અને એન્વાયર્નમેન્ટલ ફોરમ ઓફ ઇન્ડિયાના સીઈઓ પણ છે.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશને મળશે નવી રેલ લાઇન, 62 ગામોના ખેડૂતોને મોટો લાભ