android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
BCCI On Mustafizur: આ સનાતનીઓની જીત..મુસ્તફિઝુરની IPLમાં નો એન્ટ્રી બાદ BJP નેતાની પ્રતિક્રિયા

calendar_todayJanuary 3, 2026

BCCI On Mustafizur: આ સનાતનીઓની જીત..મુસ્તફિઝુરની IPLમાં નો એન્ટ્રી બાદ BJP નેતાની પ્રતિક્રિયા

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની ટીમમાં બાંગ્લાદેશી ખેલાડીને લ લેવા અંગે અત્યારે માહોલ ગરમાયો છે. આ મામલે હવે બીસીસીઆઇએ કોલકાતા નાઇટ રાઇડર્સને બાંગ્લાદેશી ખેલાડી મુસ્કફિઝુર રહેમાનને ટીમની બહાર કરવાનો નિર્દેશ આપ્યો છે. બીસીસીઆઇના આ નિર્દેશ બાદ બીજેપી નેતા સંગીત સોમની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે બીસીસીઆઇએ સનાતનીઓની ભાવનાને સમજી છે.

સનાતનીઓની જીત 

સંગીત સોમે કહ્યું કે 1 અબજ લોકોની લાગણીઓ સાથે રમી શકાય નહીં. આ સનાતનીઓનો વિજય છે. તેમણે કહ્યું કે શાહરૂખ ખાનને સમજાયું છે કે દેશમાં રહીને સનાતનીઓ સાથે છેડછાડ કરવી ખોટું હશે. આ દેશના સનાતનીઓએ જ તેમને શાહરૂખ ખાન બનાવ્યા છે.


બાંગ્લાદેશમાં નરસંહાર 

ભાજપ નેતા સંગીત સોમે કહ્યું કે આજે બાંગ્લાદેશમાં હિન્દુઓનો નરસંહાર થઈ રહ્યો છે. હિન્દુઓને બાળી નાખવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણી બહેનો અને દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યો છે, તેમના ઘરોને બાળી નાખવામાં આવી રહ્યા છે. આવી ઘણી બધી ઘટનાઓ બની રહી છે જેની અહીં ખબર પણ નથી.

સંગીત સોમે કહ્યું કે ત્યાં ભારત વિરોધી નારા લગાવવામાં આવી રહ્યા છે અને ભારતીય વડા પ્રધાનનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આમ છતાં શાહરૂખ ખાન ત્યાં દેશના પૈસાનું રોકાણ કરી રહ્યા છે, જે ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છે. હું શાહરૂખ ખાન જેવા લોકોને કહેવા માંગુ છું કે તેઓ આમાં સફળ થશે નહીં.


"અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ"

શિવસેના (UBT) ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે બાંગ્લાદેશના ખેલાડી રહેમાનને IPL ક્રિકેટ મેચમાં રમવાની મંજૂરી ન આપવા બદલ અમે BCCIનો આભાર માનીએ છીએ. તેમણે કહ્યું કે અમે માંગ કરી રહ્યા હતા કે આ ખેલાડીને તક ન આપવી જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે અમારે કોઈ સંબંધ ન રાખવા જોઈએ. તેમણે કહ્યું કે અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.