calendar_todaySeptember 9, 2026
Delhi : લાલ કિલ્લા બ્લાસ્ટની ચાર્જશીટે ખોલ્યું મોટું રહસ્ય, કારમાં કોણ હતું? DNA તપાસથી સામે આવ્યું ચોંકાવનારું સત્ય
દિલ્હીના લાલ કિલ્લા બ્લાસ્ટ કેસની ચાર્જશીટમાં અનેક મહત્વના ખુલાસા સામે આવ્યા છે. તપાસમાં કુલ 13 આરોપીઓના નામ સામે આવ્યા છે અને બ્લાસ્ટના મુખ્ય સૂત્રધાર તરીકે ડૉ. ઉમર નબીની ભૂમિકા દર્શાવવામાં આવી છે. તપાસ મુજબ ઉમર નબી કારમાં જ હતો અને વિસ્ફોટ બાદ તેના શરીરના અવશેષોની ઓળખ કરવામાં આવી હતી.
બ્લાસ્ટની કાર અંગે તપાસમાં શું બહાર આવ્યું?
તપાસ મુજબ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી i20 કારને VBIED એટલે કે વિસ્ફોટકથી ભરેલા વાહન તરીકે ઉપયોગમાં લેવામાં આવી હતી. ઘટનાસ્થળ અને કારના અવશેષોમાંથી મળેલા પુરાવાની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. તપાસમાં વિવિધ વિસ્ફોટક પદાર્થોના નિશાન મળ્યા હોવાનું ચાર્જશીટમાં જણાવાયું છે.
13 આરોપીઓ અને આતંકી સંગઠનો સાથે કનેક્શન
ચાર્જશીટ મુજબ તમામ આરોપીઓના સંબંધ અન્સાર ગઝવાત-ઉલ-હિંદ અને AQIS સાથે હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે સામે આવેલા દસ્તાવેજો અને પુરાવાના આધારે તપાસ એજન્સીએ આરોપીઓની ભૂમિકા અંગે વિગતવાર તારણ રજૂ કર્યું છે.
પેન ડ્રાઇવમાંથી મળેલી તસવીરોએ વધાર્યો સસ્પેન્સ
શાહીન સઈદ પાસેથી મળેલી પેન ડ્રાઇવમાં 87 તસવીરો મળી હોવાનું સામે આવ્યું છે. આ તસવીરોમાં કેટલાક આરોપીઓ હથિયારો સાથે જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તપાસમાં આ તસવીરોને પણ મહત્વના પુરાવા તરીકે જોવામાં આવી રહી છે.
DNA તપાસથી ઉમર નબી અંગે શું ખુલ્યું?
બ્લાસ્ટ સ્થળેથી મળેલા જૈવિક નમૂનાઓની DNA તપાસમાં મહત્વની કડી મળી હોવાનું ચાર્જશીટમાં જણાવાયું છે. શરીરના અવશેષો અને અન્ય નમૂનાઓની તપાસ બાદ તેની ઓળખ ડૉ. ઉમર નબી તરીકે કરવામાં આવી હોવાનો દાવો છે. આથી વિસ્ફોટ સમયે તે કારની અંદર જ હતો તે તારણ તપાસમાં રજૂ કરવામાં આવ્યું છે.
લાલ ટેપવાળા ડિવાઇસે તપાસને કઈ દિશા આપી?
તપાસ દરમિયાન લાલ રંગના ટેપવાળા એક કમાન્ડ મિકેનિઝમ સહિતના પુરાવા મળ્યા હોવાનું જણાવાયું છે. આ ઉપકરણ પર વિસ્ફોટકના નિશાન મળ્યા હોવાનો દાવો છે. તપાસમાં આ પુરાવાઓને બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલા વાહન સાથે જોડીને જોવામાં આવ્યા છે.
બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા હતા
લાલ કિલ્લા બ્લાસ્ટમાં 11 લોકોના મોત અને 29 લોકો ઘાયલ થયા હતા. હવે ચાર્જશીટમાં સામે આવેલા પુરાવાઓના આધારે કેસની આગળની કાનૂની કાર્યવાહી પર નજર રહેશે.
આ પણ વાંચો : Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું