calendar_todayJanuary 28, 2026
Gandhinagar : 135-D નોટિસનો જવાબ આપવાની સમય મર્યાદા ઘટશે, જમીન વ્યવહારમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા તૈયારી
રાજ્ય સરકાર જમીન વ્યવહારમાં ભ્રષ્ટાચારને અટકાવવા માટે પગલાં લેવા તૈયાર છે. રાજ્યમાં 135-ડી નોટિસનો જવાબ આપવા માટેની હાલની 30 દિવસની સમય મર્યાદાને ઘટાડીને માત્ર 10 થી 15 દિવસ કરવામાં આવી શકે છે.
પોસ્ટ મારફતે પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવે છે
સૂત્રોના જણાવ્યા મુજબ, પોસ્ટ મારફતે પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવે છે અને તેઓ આ સમયમર્યાદામાં પોતાની વાંધાઓ રજૂ કરી શકશે. ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન ન મળે તે માટે સમય મર્યાદા ઘટાડવા તૈયારી કરાઇ છે
કાયદામાં સુધારો લાવવા માટે સુધારા વિધેયક રજૂ કરાશે
ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવા માટે સુધારા વિધેયક તૈયારીમાં છે, જે આગામી વિધાનસભા સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે.કાયદામાં સુધારો લાવવા માટે સુધારા વિધેયક રજૂ કરાશે
જમીન વ્યવહારમાં પારદર્શકતા વધશે
આ કાયદામાં ફેરફાર સાથે જમીન વ્યવહારમાં પારદર્શકતા વધશે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળવાનું અટકશે.
આ પણ વાંચો---- Vadodaraમાં જીવલેણ હુમલામાં યુવકનું મોત,મહિલા મિત્રના પ્રેમ પ્રકરણમાં હુમલાનું અનુમાન, પોલીસ તપાસ શરુ