android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : દૂષિત પાણીથી હાહાકાર, 7 વર્ષીય બાળકીનું સિવીલમાં દાખલ બાદ 4 દિવસમાં મોત

calendar_todayJanuary 6, 2026

Gandhinagar : દૂષિત પાણીથી હાહાકાર, 7 વર્ષીય બાળકીનું સિવીલમાં દાખલ બાદ 4 દિવસમાં મોત

ગાંધીનગરમાં દૂષિત પાણી અને પાણીજન્ય રોગચાળાની સમસ્યાની ગંભીરતા ફરી સામે આવી છે. શહેરમાં 7 વર્ષીય બાળકી સાજલ કનોજિયાનું છેલ્લા ચાર દિવસ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા પછી મોત નીપજ્યું છે.

છેલ્લા 15 દિવસથી તેને તાવ અને બીમારી હતી

બાળકીને પિતા જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસથી તેને તાવ અને બીમારી હતી. આરંભમાં તેને અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર માટે લઈ જવાઈ હતી, જ્યાં ટાઇફોઇડનો નિકળ્યો હતો. ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

બાળકીના ટાઇફોઇડ રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર, બાળકીના ટાઇફોઇડ રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી, અને ટાઇફોઈડથી જ મૃત્યુ થયું છે એવું નિશ્ચિત કહી શકાતું નથી.


આ પણ વાંચો----   Gujarat Latest News Live : ગુજરાતમાં કડકતી ઠંડીનો ચમકારો, સૌથી ઓછુ નલીયામાં 7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ