calendar_todayApril 18, 2026
Kainchi Dhamની સાથે આ સુંદર સ્થળો પણ એક્સપ્લોર કરો, નહીંતર તમારી ટ્રીપ રહી જશે અધૂરી!
નૈનીતાલ: બાબા નીમ કરોલી મહારાજનું આશ્રમ 'કૈંચી ધામ' આજે વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. લોકો ખાસ કરીને વીકેન્ડ પર બાબાના દર્શન માટે ઉમટી પડે છે. પરંતુ શું તમે જાણો છો કે કૈંચી ધામની આસપાસ એવા અનેક અદભૂત સ્થળો છે જે તમારી આધ્યાત્મિક યાત્રામાં રોમાંચ અને શાંતિનો ઉમેરો કરી શકે છે?
ભવાલી: કુમાઉનું ફ્રુટ માર્કેટ
કૈંચી ધામથી માત્ર 5 કિમી પહેલા આવતું ભવાલી તેના ફળોના બગીચાઓ અને તાજી હવા માટે જાણીતું છે. જો તમે શહેરની ભીડભાડથી દૂર દેવદારના વૃક્ષો વચ્ચે સમય વિતાવવા માંગતા હોવ, તો ભવાલી ઉત્તમ સ્થળ છે.
નૈનીતાલ: તળાવોનું શહેર
કૈંચી ધામથી 18 કિમી દૂર સ્થિત નૈનીતાલ પ્રવાસીઓનું ફેવરિટ છે. અહીં નૈની લેકમાં બોટિંગ, નૈના દેવીના દર્શન અને માલ રોડ પર ટહેલવાનો લ્હાવો લેવા જેવો છે.
ભીમતાલ અને સાતતાલ
જો તમને નૈનીતાલ કરતાં ઓછી ભીડ ગમતી હોય, તો ભીમતાલ બેસ્ટ છે. જ્યારે સાતતાલ એ સાત તળાવોનો સમૂહ છે, જે પક્ષીપ્રેમીઓ અને કેમ્પિંગના શોખીનો માટે સ્વર્ગ સમાન છે.
મુક્તેશ્વર: હિમાલયનો નજારો
કૈંચી ધામથી આશરે 45 કિમી દૂર મુક્તેશ્વર આવેલું છે. અહીંથી હિમાલયના બરફ આચ્છાદિત શિખરો સ્પષ્ટ જોઈ શકાય છે. 'ચૌલી કી જાલી' ખાતે તમે ટ્રેકિંગ અને રોક ક્લાઈમ્બિંગનો આનંદ માણી શકો છો.
નૌકુચિયાતાલ: એડવેન્ચરનું સરનામું
નવ ખૂણાવાળા આ તળાવ પર તમે પેરાગ્લાઈડિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીઝ કરી શકો છો. આકાશમાંથી પહાડોનો નજારો જોવો એ એક લાઈફટાઈમ મેમરી બની રહેશે.
આ પણ વાંચો: Lucknow એરપોર્ટ પર 14.5 કરોડનું ડ્રગ્સ કરાયું જપ્ત, ઓમાન એરવેઝમાં આવ્યો હતો મુસાફર