android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kangana Ranaut On Trusha: મહિલાઓના ચરિત્ર પર આંગળી ઉઠાવાનું બંધ કરો.. તૃષા કૃષ્ણનના સપોર્ટમાં આવી કંગના

calendar_todaySeptember 8, 2026

Kangana Ranaut On Trusha: મહિલાઓના ચરિત્ર પર આંગળી ઉઠાવાનું બંધ કરો.. તૃષા કૃષ્ણનના સપોર્ટમાં આવી કંગના

Kangana Ranaut On Trusha: બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત સ્પષ્ટ બોલવા અંગે જાણીતી છે. તે રાજકીય બાબત હોય કે પછી કોઇ ચર્ચિત વિષય, તે હંમેશા ટિપ્પણી કરે છે. જો કે તેના નિવેદનો પર તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે. ત્યારે તમિલનાડુની એક બાબત પર કંગનાએ અભિનેત્રી તૃષાનો સાથ આપ્યો છે. 

કંગના આવી તૃષાના સપોર્ટમાં 

ઉલ્લેખનીય છે કે  દક્ષિણ ભારતીય અભિનેત્રી તૃષા કૃષ્ણનને ટેકો આપવા માટે આગળ આવી છે.  તૃષા અને સીએમ વિજય વચ્ચેના સંબંધો વિશે અફવાઓ ફેલાઈ રહી છે. ઘણા લોકો ત્રિશાને ટ્રોલ કરી રહ્યા છે અને તેના પાત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ કંગના તેના બચાવમાં આવી છે અને તેના પર નિશાન સાધનારાઓને કડક જવાબ આપ્યો છે. 

કંગનાએ નામ લીધા વિના કરી ટિપ્પણી 

તૃષાનું નામ લીધા વિના, કંગનાએ ટિપ્પણી કરી, "તમે જોયું હશે કે તમિલનાડુમાં શું બન્યું. તેમાં એક ખૂબ જ આદરણીય કલાકાર અને અભિનેત્રી સામેલ હતી, અને આ સંબંધ બંને પક્ષોને અસર કરતો હતો. છતાં જ્યારે મૌખિક દુર્વ્યવહાર અને કોઈના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવવાની વાત આવે છે, ત્યારે તે હંમેશા મહિલાને જ નિશાન બનાવવામાં આવે છે."

કંગના રનૌતે તૃષાનો કર્યો બચાવ 

કંગનાએ વધુમાં કહ્યું, "આપણે બધા જાણીએ છીએ કે આ ફક્ત ભારત પૂરતું મર્યાદિત નથી.  તે સમગ્ર વિશ્વમાં થાય છે. કામ કરતી મહિલાઓ, સફળ મહિલાઓ, અભિનેત્રીઓ, રાજકારણીઓ અને સત્તા અથવા ઉચ્ચ હોદ્દા પરના લોકોના પાત્રને નબળા પાડવા અને તેમને નીચે લાવવાના પ્રયાસમાં નિશાન બનાવવામાં આવે છે."

તૃષાપર ઉદયનિધિ સ્ટાલિનની ટિપ્પણીથી વિવાદ 

આ ઘટના ત્યારે બની જ્યારે ઉદયનિધિ સ્ટાલિન કાવેરી જળ વિવાદ વચ્ચે કર્ણાટક દ્વારા પ્રસ્તાવિત મેકેદાતુ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે આયોજિત તંજાવુરમાં ડીએમકે વિરોધ પ્રદર્શનમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમના ભાષણ દરમિયાન, તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી વિજય પર નિશાન સાધ્યું. અહેવાલો દર્શાવે છે કે જ્યારે ભીડે તૃષાનું નામ બોલવાનું  શરૂ કર્યું, ત્યારે ઉદયનિધિએ તમિલમાં એક ટિપ્પણી કરી જેનો આશરે અનુવાદ આ રીતે થયો: "પાણી બીજે ક્યાંયથી આવે કે ન આવે, પાણી ત્યાં જ વહેવું જોઈએ." જોકે તેમણે તરત જ સ્પષ્ટતા કરી કે તેમની ટિપ્પણી કાવેરી પાણીના મુદ્દાનો ઉલ્લેખ કરે છે.

ઉદયનિધિ સ્ટાલિનની કરવામાં આવી ધરપકડ 

ઉદયનિધિની ટિપ્પણીથી મોટો વિવાદ સર્જાયો. શાસક પક્ષે તેમના પર જાહેર સ્ટેજ પરથી એક મહિલા વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂક્યો. વિવાદ વધ્યા બાદ ઉદયનિધિ સ્ટાલિનની 4 ઓગસ્ટના રોજ તેમના ચેન્નાઈ નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. તેમના ભાષણ અંગે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો; જોકે, બાદમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા.