android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kanpur : કરોડપતિ દવા વેપારી હત્યાકાંડમાં નવો વળાંક, વહુ શાલૂને ‘માસ્ટરમાઇન્ડ’ ગણાવતી પોલીસ થિયરી સામે પતિ-પરિજનો મેદાને

calendar_todaySeptember 10, 2026

Kanpur : કરોડપતિ દવા વેપારી હત્યાકાંડમાં નવો વળાંક, વહુ શાલૂને ‘માસ્ટરમાઇન્ડ’ ગણાવતી પોલીસ થિયરી સામે પતિ-પરિજનો મેદાને

ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક શહેર કાનપુરમાં ચર્ચિત કરોડપતિ દવા વેપારી વિનિત મિનોચા હત્યાકાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ મામલો વધુ પેચીદો બની રહ્યો છે. પોલીસે મૃતકની વહુ શાલૂને મુખ્ય આરોપી બનાવી જેલ મોકલી છે અને ઝડપાયેલા હત્યારાઓએ પણ તેને કથિત રીતે કાવતરાની માસ્ટરમાઇન્ડ ગણાવી હોવાનું સામે આવ્યું છે. જોકે હવે શાલૂના પરિજનો અને તેના પતિએ પોલીસની થિયરી સામે સવાલો ઉઠાવ્યા છે.

‘શાલૂ સામેના આરોપો પાયાવિહોણા’

શાલૂના ભાઈ ધીરજ અરોરા, બહેન અને પરિવાર તરફથી કેસની કાનૂની પેરવી કરી રહેલા વરિષ્ઠ વકીલ શિવકાંત દીક્ષિતે મીડિયા સમક્ષ શાલૂનો બચાવ કર્યો છે. પરિજનોનો દાવો છે કે શાલૂ પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને મીડિયા દ્વારા તેને એકતરફી રીતે નકારાત્મક રીતે રજૂ કરવામાં આવી રહી છે.

પરિવારમાં કોઈ વિવાદ નહોતો?

પરિજનોનું કહેવું છે કે શાલૂ અને પરિવાર વચ્ચે કોઈ પ્રકારનો પારિવારિક વિવાદ કે મનદુઃખ નહોતું. વકીલ શિવકાંત દીક્ષિતે જણાવ્યું કે પોલીસ પોતાની કાયદેસરની તપાસ કરી રહી છે અને પરિવારને પોલીસની નિષ્પક્ષ તપાસ પર વિશ્વાસ છે, પરંતુ સંપૂર્ણ સત્ય સામે આવ્યા પહેલાં શાલૂને વિલન તરીકે રજૂ કરવી યોગ્ય નથી.

પતિએ પત્ની પર વિશ્વાસ વ્યક્ત કર્યો

હત્યાકાંડમાં સૌથી મોટો વળાંક એ છે કે મૃતક વિનિત મિનોચાના પુત્ર અને શાલૂના પતિએ પણ પોતાની પત્નીનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે. પતિનું કહેવું છે કે શાલૂ આ પ્રકારની જઘન્ય ઘટનાનો વિચાર પણ કરી શકે નહીં.

‘સાચા આરોપી કોણ?’ હવે તપાસ પર નજર

પરિવારના સભ્યોનું કહેવું છે કે વિનિત મિનોચાના માતા-પિતા આ ઘટનાથી માનસિક રીતે સંપૂર્ણપણે તૂટી ગયા છે અને મીડિયા સામે આવવાની સ્થિતિમાં નથી. બીજી તરફ ભાઈ ધીરજ અને બહેને ન્યાયતંત્ર તથા પોલીસની નિષ્પક્ષ તપાસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે તપાસ આગળ વધે તેમ પોલીસની થિયરી અને પરિજનોના દાવા વચ્ચેનું સત્ય શું છે અને હત્યાના કાવતરાના પાછળના અસલી ચહેરા કોણ છે તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે. 


આ પણ વાંચો   :    Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું