calendar_todayJuly 7, 2026
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કારોબારી સહિતની 7 સમિતિઓના ચેરમેનની વરણી
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 32માંથી ભાજપે 31 સીટ ઉપર જીત મેળવી હતી.ચૂંટણી બાદ જ પ્રમુખ રંજનબેન ભુસડીયા અને ઉપપ્રમુખ પાયલબેન પટેલના નામની જાહેરાત કરાઇ હતી.ત્યાર બાદ સતત બે વખત જીલ્લા પંચાયતની બેઠક મળી પરંતુ ચેરમેનના નામોની કે ખાતાની ફાળવણીની જાહેરાત કરાઇ ન હતી.આમ વિલંબ થતા ચૂંટાયેલા સદસ્યો અને વિસ્તારના લોકોમાં ભારે આતુરતા જોવા મળી રહી હતી.મંગળવારે બપોરે કારોબારી ચેરમેન સહિત સાત ચેરમેનના નામોની અલગ અલગ તાલુકાના ચૂંટાયેલા સદસ્યોની વરણી કરી ખાતાની ફાળવણી કરાઇ હતી.જીલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બંન્ને મહિલા બનાવી મુખ્ય જવાબદારી મહિલાના શીરે આપી સાત ચેરમેનમાં મહિલાનો સમાવેશ કરાયો નથી.બીજી તરફ ખેડૂત નેતા અને વિધાનસભાની ચૂંટણીમાં બીજા નંબરે મતો મેળવ્યા બાદ ભાજપમાં ભળી ગયા બાદ સદસ્ય બનેલા રાજુભાઇ કરપડાને ખેડૂતો સાથે સંકલન રહે એવા શહકાર અને સિંચાઇ વિભાગના ચેરમેન બનાવાતા ખેડૂતોએ ભારે આનંદ વ્યકત કર્યો હતો.હવે નવી ટીમ જિલ્લામાં વિકાસના કામો કરી લોકોની સમસ્યા ઉકેલે એવી લોકો આશા રાખી રહયા છે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઇ ટમાલીયાએ જણાવેલ કે જિલ્લા પંચાયતના હોદેદારોની વરણીમાં દરેક તાલુકાનો સમાવેશ કરી હોદેદારોની વરણી કરાઇ છે અને જવાબદારી સોંપેલા તમામને જિલ્લાના વિકાસના અને લોકોની સમસ્યા દૂર થાય એવા કામો કરવા માટે જણાવાયુ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો