android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Suresh Gopi: જ્યારે મંત્રીજી ફસાયા ટ્રાફિકજામમાં.. પછી શું ? ટોલ પ્લાઝાના તમામ 12 દરવાજા ખોલાવી દીધા

calendar_todaySeptember 8, 2026

Suresh Gopi: જ્યારે મંત્રીજી ફસાયા ટ્રાફિકજામમાં.. પછી શું ? ટોલ પ્લાઝાના તમામ 12 દરવાજા ખોલાવી દીધા

Suresh Gopi: કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ શનિવારે કેરળના ત્રિશૂરમાં NH 544 પર પાલીયેક્કારા ટોલ પ્લાઝાના તમામ 12 દરવાજા ખોલવાનો આદેશ આપ્યો હતો. ટોલ પ્લાઝાની બંને બાજુ બે કિલોમીટરથી વધુ ટ્રાફિક જામ હોવાથી તેમણે આ પગલું ભર્યું હતું.

કેન્દ્રીય મંત્રી ભારે ટ્રાફિકમાં ફસાયા 

સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, ગોપી સાંજે 5:45 વાગ્યાની આસપાસ ત્રિશૂરથી એર્નાકુલમ જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલાને મન્નુથી-અંગમાલી પટ પર ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો.

ભીડ વચ્ચે મંત્રીના પોલીસ એસ્કોર્ટે તેમના માટે રસ્તો સાફ કર્યો તેમને ત્યાંથી પસાર થવા દીધા. ગોપીએ જણાવ્યું કે લાંબી કતારો જોઈને તેમને તેમની જવાબદારીનો અહેસાસ થયો, જેના કારણે તેમણે દરમિયાનગીરી કરી. કેન્દ્રીય મંત્રીએ સમજાવ્યું કે કાયદાકીય માર્ગદર્શિકા અને કોર્ટના નિર્દેશો છે જેમાં જણાવાયું છે કે જ્યારે વાહનો લાંબી લાઈનોમાં અટવાઈ જાય છે, ત્યારે ટોલ ગેટ ખોલવા જોઈએ જેથી તેમને પસાર થવા દેવામાં આવે, જેનાથી ઇંધણનો બગાડ અને નિષ્ક્રિય એન્જિનોને કારણે થતા એક્ઝોસ્ટ ઉત્સર્જનને અટકાવી શકાય.

મંત્રીના આદેશથી ખોલી દીધા ટોલ ગેટ 

સુરેશ ગોપીએ સ્પષ્ટતા કરી કે ટોલ સ્ટાફ ફક્ત તેમનું કામ કરી રહ્યા છે અને ટ્રાફિક જામ માટે વ્યક્તિગત રીતે જવાબદાર ન ગણવા જોઈએ. તેમણે નોંધ્યું કે ટોલ ઓપરેટરોને ટોલ વસૂલવા માટે દોષી ઠેરવી શકાય નહીં, પરંતુ જ્યારે વાહનોની સંખ્યા વધુ હોય ત્યારે પ્રક્રિયા સમય માંગી શકે છે.

મંત્રીએ સૂચન કર્યું કે જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક અધિકારીઓએ પોલીસ સાથે સહયોગ કરવો જોઈએ અને ભારે ટ્રાફિકના દિવસોમાં ટોલ પ્લાઝા પર હસ્તક્ષેપ કરવો જોઈએ. તેમણે કહ્યું, "જો જિલ્લા કલેક્ટર અથવા સ્થાનિક અધિકારીઓ આવા દિવસોમાં પોલીસ સાથે સંકલન કરવા અને નજીકથી ધ્યાન આપવા માટે આ ટોલ પ્લાઝાની મુલાકાત લે, તો તે મુસાફરોને નોંધપાત્ર રાહત આપશે."

લોકો ગુસ્સામાં હતા મે જોયું- ગોપી

ત્રિશુરના સાંસદે એ પણ સ્વીકાર્યું કે જ્યારે તેમનો કાફલો પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્યારે કેટલાક વાહનચાલકો હેરાન થઇ ગયા હતા. જો કે બાદમાં ટ્રાફિક જામ દૂર કરવામાં મદદ મળી હતી. તેમણે કહ્યું જેમ જેમ પાયલોટ વાહન મને આગળ લઈ ગયું, તેમ તેમ હું ઘણા લોકો પાસેથી પસાર થઈ ગયો. લોકોને જોયા, તેઓ ગુસ્સામાં હતા. પરંતુ મને સંતોષ છે કે ટ્રાફિક ફરી શરૂ થતાં બધાને ખૂબ જ રાહતનો અનુભવ થયો. પોલીસના જણાવ્યા અનુસાર, બંને બાજુ ભીડ લગભગ 30 મિનિટમાં નોંધપાત્ર રીતે ઓછી થઈ ગઈ, ત્યારબાદ મંત્રી રવાના થયા.