android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : સાવધાન સુરતીઓ! શુદ્ધ ઘીના નામે વનસ્પતિ ઘી પધરાવતું મોટું નેટવર્ક ઝડપાયું
calendar_today January 14, 2026

Surat News : સાવધાન સુરતીઓ! શુદ્ધ ઘીના નામે વનસ્પતિ ઘી પધરાવતું મોટું નેટવર્ક ઝડપાયું

સુરત શહેરમાં આરોગ્ય વિભાગની સતત કામગીરી છતાં ભેળસેળીયા તત્વો બેખોફ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ઘી અને પનીરના નમૂનાઓ લેબોરેટરી રિપોર્ટમાં 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર થયા છે. ખાસ કરીને શુદ્ધ ઘીના નામે ગ્રાહકોને વનસ્પતિ ઘી પધરાવીને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં નામાંકિત ડેરીઓ અને ખાણીપીણીના એકમોના નામ ખુલતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સુરતમાં ખાણીપીણીમાં લાલિયાવાડી ભેળસેળના આ કૌભાંડમાં ભેસ્તાનની કનૈયા ડેરી, પીપલોડની ફેબ્યુલસ ક્યુઝિન, કતારગામની હરિમિલ્ક પેલેસ અને યોગી ચોક સ્થિત પટેલ દૂધ મંડળીના નમૂનાઓ ધારાધોરણ મુજબના ન જણાતા તેને સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે. તહેવારો અને સામાન્ય દિવસોમાં લોકો જે વસ્તુને શુદ્ધ માનીને ખરીદે છે, તેમાં જ વનસ્પતિ ફેટની ભેળસેળ મળી આવતા તંત્ર દ્વારા આ એકમો સામે કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. લોકોના આરોગ્ય સાથે રમત રમતા આવા વેપારીઓ સામે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. આ પણ વાંચો : Surendranagar પોલીસ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે લોકોને જાહેર અપીલ, જો આવું કર્યું છે તો ખેર નહીં...

Read Full Story arrow_forward
Wankaner : કૃશો સિરામિકમાં તોડફોડની ઘટનામાં 10ની ધરપકડ, તોડફોડ કરી સમાન ભરી ગયા હોવાની પોલીસ ફરિયાદ
calendar_today January 14, 2026

Wankaner : કૃશો સિરામિકમાં તોડફોડની ઘટનામાં 10ની ધરપકડ, તોડફોડ કરી સમાન ભરી ગયા હોવાની પોલીસ ફરિયાદ

વાંકાનેર નજીક કૃશો સિરામિક ફેક્ટરીમાં 26 ડિસેમ્બરે બનેલી તોડફોડની ઘટના સંબંધિત કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કારખાનામાં કામ કરતા મજૂરોએ તોડફોડ કરીને સામાન લઈ ગયા હતા.ફેક્ટરીમાં અંદાજિત 75 લાખના નુકશાનનો અંદાજ કારખાનાના માલિક આનંદ વાધડિયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ફેક્ટરીમાં અંદાજિત 75 લાખના નુકશાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે. મજૂરોએ તોડફોડ કરી અને સામાન લઈ ગયાપોલીસના જણાવ્યા પ્રમાણે, તોડફોડનું મુખ્ય કારણ એ હતું કે કારખાનામાં કોન્ટ્રાક્ટરે મજૂરોને પગાર ચુકવવામાં વિલંબ કર્યો હતો. આ કારણે મજૂરોએ તોડફોડ કરી અને સામાન લઈ ગયા. અત્યાર સુધીમાં 10ની ધરપકડ થઈ પોલીસ ફરિયાદ પ્રમાણે, ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ, આનંદ કૈલા સહિત 12 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 10ની ધરપકડ થઈ ચૂકી છે.આ પણ વાંચો----   Uttarayan : પતંગોત્સવની રંગેચંગે ઉજવણી શરુ, પવન સારો હોવાથી લોકોમાં ઉત્સાહ, આજે દિવસભર સારો પવન રહેવાની શક્યતા

Read Full Story arrow_forward
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર, વરસાદ અને હિમવર્ષાની આગાહી
calendar_today January 14, 2026

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર, વરસાદ અને હિમવર્ષાની આગાહી

ઉત્તર ભારત, ખાસ કરીને દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડી અને ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર 14 જાન્યુઆરીના રોજ અનેક શહેરોમાં દૃશ્યતા અત્યંત ઓછી શૂન્ય સુધી પહોંચી ગઈ હતી. તેના કારણે રસ્તા પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો અને ટ્રેન તથા ફ્લાઈટ સેવાઓમાં વિલંબ નોંધાયો હતો. સવારે સ્થિતિ વધુ ગંભીર સવારે સ્થિતિ વધુ ગંભીર રહી હતી. અમૃતસર, અંબાલા, પંતનગર અને ઉધમપુર જેવા શહેરોમાં દૃશ્યતા શૂન્ય મીટર નોંધાઈ હતી. લુધિયાણા, હિસાર, કરનાલ અને ભિવાનીમાં દૃશ્યતા 20 મીટરથી પણ ઓછી રહી હતી. ઓડિશાના રાઉરકેલામાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું, જ્યાં દૃશ્યતા લગભગ 100 મીટર નોંધાઈ હતી. આ પરિસ્થિતિએ સામાન્ય જનજીવનને ભારે અસર કરી છે. ઘણા વિસ્તારમાં ઠંડીથી લઇને તીવ્ર ઠંડી હવામાન વિભાગ જણાવે છે કે પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં ઠંડીથી લઈને તીવ્ર ઠંડીનું મોજું ચાલુ છે. ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં જમીન પર હિમવર્ષા જોવા મળી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું છે. દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રીથી 5 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે, જે સામાન્ય કરતા 3થી 6 ડિગ્રી ઓછું છે. હિમાચલ પ્રદેશ ઉપર સક્રિય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં હિમાચલ પ્રદેશ ઉપર સક્રિય પશ્ચિમી વિક્ષેપ છે. આ સાથે ઉપરના વાતાવરણમાં ચક્રવાતી પરિભ્રમણ અને તીવ્ર પશ્ચિમી જેટ પવન પણ અસર કરી રહ્યા છે. 15 જાન્યુઆરીની રાતથી એક નવો પશ્ચિમી વિક્ષેપ પશ્ચિમી હિમાલય વિસ્તારમાં પ્રવેશ કરશે.  ઉત્તરાખંડમાં હળવા થી મધ્યમ વરસાદ આ વિક્ષેપના કારણે 16 થી 19 જાન્યુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવા થી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. 18 અને 19 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ હળવો વરસાદ પડી શકે છે. દિલ્હી-NCRમાં 19 જાન્યુઆરી સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે અને તાપમાનમાં થોડો વધારો પણ થઈ શકે છે. આગામી દિવસોમાં વાતાવરણ તેમ છતાં, આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા, ખાસ કરીને સવાર અને સાંજના સમયે બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છેઆ પણ વાંચો : Himachal Pradeshમાં ગેરેજમાંથી રસ્તા પર આવશે વિન્ટેજ કાર, સરકારનો મોટો નિર્ણય

Read Full Story arrow_forward