android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Uri landslide: રસ્તા પરથી પસાર થતા હતા મુસાફરો અને અચાનક જ તૂટ્યો પહાડ.. જુઓ  Video
calendar_today January 2, 2026

Uri landslide: રસ્તા પરથી પસાર થતા હતા મુસાફરો અને અચાનક જ તૂટ્યો પહાડ.. જુઓ Video

શ્રીનગરના બારામૂલામાં નેશનલ હાઇવે પર અચાનક જ અફરાતફરી મચી ગઇ. જ્યારે પહાડો પરથી એકાએક મોટા મોટા પથ્થરો રસ્તા પર ધસી આવ્યા. આ ઘટના કાશ્મીરના ઉરી રોડ પર બની હતી.નેશનલ હાઇવે પર લેન્ડસ્લાઇડ થતા ટ્રાફિક સંપૂર્ણ રીતે જામ થઇ ગયો હતો. લોકો તે રસ્તા પર જઇ રહ્યા હતા અને અચાનક જ આવી રીતે ભેખડો ધસી પડતા લોકો અહીં તહીં દોડવા લાગ્યા હતા. અચાનક જ તૂટ્યો પહાડ પહાડો પરથી કાટમાળ પડી રહ્યો છે. પરિણામે ઇકો પાર્ક વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે શ્રીનગર બારામૂલ્લા નેશનલ હાઇવે બંધ થઇ ગયો. જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. જો કે કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ સ્થાનિકોમાં ડરનો માહોલ છે. મુઘલ રોડ અને સિંથન ટોપ રોડ બંધ ભારે હિમવર્ષાને કારણે કાશ્મીરને જમ્મુ પ્રદેશ સાથે જોડતા મુઘલ રોડ અને સિંથન ટોપ રોડ બંધ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહનો માટે ખુલ્લો રહ્યો હતો, પરંતુ ખરાબ હવામાનને કારણે, મુસાફરોને ફક્ત દિવસ દરમિયાન હાઇવે પર મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી હતી. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, મુઘલ રોડ અને સિંથન રોડ બરફવર્ષાને કારણે બંધ કરવામાં આવ્યા હતા. લોકોને સલાહ આપવામાં આવી છે કે જ્યાં સુધી આ રસ્તાઓ સંપૂર્ણપણે ફરી ન ખોલવામાં આવે ત્યાં સુધી આ રસ્તાઓ પર મુસાફરી ન કરો. કાશ્મીર ઘાટીના શોપિયાન અને અનંતનાગ જિલ્લાઓને જમ્મુ ક્ષેત્રના પૂંછ અને કિશ્તવાડ જિલ્લાઓ સાથે જોડતા બંને રસ્તાઓ પીર કી ગલી અને સિંથન ટોપ બેલ્ટ સહિત અન્ય વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે બંધ કરવામાં આવ્યા છે. બરફવર્ષા ઓછી થયા પછી આ રસ્તાઓ ફરીથી ખોલવામાં આવશે અને ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવશે.

Read Full Story arrow_forward
BSNL WiFi Calling: BSNL ની ધમાકેદાર ઓફર, હવે નેટવર્ક વગર પણ થશે કોલિંગ! જાણો કેવી રીતે
calendar_today January 2, 2026

BSNL WiFi Calling: BSNL ની ધમાકેદાર ઓફર, હવે નેટવર્ક વગર પણ થશે કોલિંગ! જાણો કેવી રીતે

નવા વર્ષની શરૂઆત સાથે, ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLએ તેના ગ્રાહકોને નોંધપાત્ર રાહત આપી છે. કંપનીએ દેશભરના તમામ ટેલિકોમ સર્કલમાં Wi-Fi Calling એટલે કે Voice over WiFi (VoWiFi) સેવા લોન્ચ કરી છે. આ સુવિધા સાથે, વપરાશકર્તાઓ હવે મોબાઇલ સિગ્નલ નબળું હોવા છતાં પણ Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરીને કોલ કરી અને રિસીવ કરી શકે છે. નબળા નેટવર્કમાં પણ કરી શકાશે કોલ Wi-Fi Calling નો સૌથી મોટો ફાયદો એવા વિસ્તારોમાં જોવા મળશે જ્યાં મોબાઇલ નેટવર્ક વારંવાર નિષ્ફળ જાય છે. BSNL વપરાશકર્તાઓ, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો, હવે સ્થિર વાઇ-ફાઇ કનેક્શન દ્વારા અવિરત કોલ કરી શકશે. જો ઘર કે ઓફિસમાં BSNL ભારત ફાઇબર કે અન્ય કોઈ બ્રોડબેન્ડ કનેક્શન હોય, તો નેટવર્ક વિશે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. એપ વગર સીધા મોબાઈલ ડાયલરથી થશે કોલ આ સેવા માટે કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની જરૂર નથી. Wi-Fi Calling સીધા તમારા ફોનના ડિફોલ્ટ ડાયલરથી કાર્ય કરે છે, અને તમારા હાલના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને કોલ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે કોલ દરમિયાન, વાઇ-ફાઇ અને મોબાઇલ નેટવર્ક વચ્ચે ઓટોમેટિક સ્વિચિંગ થાય છે જેથી વાતચીત વચ્ચે ડિસ્કનેક્ટ ન થાય. નહીં લાગે કોઈ વધારાનો ચાર્જ BSNL એ સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો પાસેથી Wi-Fi Calling માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. Wi-Fi દ્વારા કરવામાં આવતા કોલનું બિલ નિયમિત વોઇસ કોલ જેટલું જ લેવામાં આવશે. આનો અર્થ એ છે કે વપરાશકર્તાઓ કોઈપણ વધારાના ખર્ચ વિના, તેમના હાલના પ્લાન મુજબ કોલ કરવાનું ચાલુ રાખી શકશે. કયા મોબાઈલ ફોનમાં મળશે આ સુવિધા? મોટાભાગના નવા અને આધુનિક સ્માર્ટફોન પર Wi-Fi Calling સપોર્ટેડ છે. વપરાશકર્તાઓએ ફક્ત તેમના ફોનના સેટિંગ્સમાં Wi-Fi Calling વિકલ્પ ચાલુ કરવાની જરૂર છે. જો કોઈપણ ઉપકરણ અંગે કોઈ શંકા હોય, તો BSNL એ ગ્રાહકોને તેમના નજીકના સેવા કેન્દ્ર અથવા હેલ્પલાઇનનો સંપર્ક કરવાની સલાહ આપી છે. નેટવર્ક અપગ્રેડની દિશામાં BSNLનું મોટું પગલુ Wi-Fi Callingનો રાષ્ટ્રવ્યાપી રોલઆઉટ એ BSNLના નેટવર્ક આધુનિકીકરણ પહેલનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય એવા વિસ્તારોમાં વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે જ્યાં મોબાઇલ નેટવર્ક એક મોટો પડકાર રહ્યો છે. આ પગલાથી ગ્રાહકોને રાહત તો મળશે જ, સાથે સાથે મોબાઇલ નેટવર્ક પર વધતા દબાણમાં પણ ઘટાડો થવાની અપેક્ષા છે. આ પણ વાંચો: New Labour Code: પગાર, PF અને ગ્રેચ્યુઈટી પરની ગૂંચવણ દૂર, સરકારે જનતા પાસેથી માંગ્યા સૂચનો

Read Full Story arrow_forward
Agriculture News : ગુજરાતમાં સામાન્ય વાવેતરની સરખામણીમાં અત્યાર સુધીમાં 96 ટકા એટલે કે, 44.74 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન
calendar_today January 2, 2026

Agriculture News : ગુજરાતમાં સામાન્ય વાવેતરની સરખામણીમાં અત્યાર સુધીમાં 96 ટકા એટલે કે, 44.74 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન

ગુજરાતમાં ગત ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ ૪૬.૪૩ લાખ હેક્ટર રહ્યો છે, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ ગુજરાતના ખેડૂતોએ ૯૬ ટકાથી વધુ એટલે કે, ૪૪.૭૪ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રવિ પાકોનું વાવેતર ચાલુ હોવાથી વાવેતરનો આંકડો વધવાની પૂર્ણ સંભાવના છે. ભારતના કુલ ઘઉં ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો મહત્વપૂર્ણ છે રાજ્યમાં દર વર્ષે રવિ ઋતુ દરમિયાન ઘઉંનું સૌથી વધારે વાવેતર થાય છે. એ જ અનુક્રમ જાળવી રાખતા આ વર્ષે પણ ગુજરાતમાં ઘઉંના પાકનું સૌથી વધુ વાવેતર થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૩.૨૪ લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. ઘઉં સહિત રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ ૧૪.૮૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. આ વર્ષે રાજ્યમાં કઠોળ પાકોમાં ચણાનું પણ મબલખ વાવેતર નોંધાયું છે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યના આશરે ૭.૪૮ લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ વર્ષે ૧૩ ટકાની વૃદ્ધિ સાથે અત્યાર સુધીમાં કુલ ૮.૪૭ લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે, ચણા સહિત કઠોળ પાકોનું રાજ્યમાં ૧૧ ટકાની વૃદ્ધિ સાથે ૮.૯૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તેવી જ રીતે, અત્યાર સુધીમાં રાજ્યમાં જીરા જેવા મસાલા પાકોનું ૩.૭૫ લાખ હેક્ટર વિસ્તારમાં તેમજ રાઈ જેવા તેલીબિયાં પાકોનું કુલ ૨.૭૮ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. આગામી સમયમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના સેવાઈ રહી છે આટલું જ નહીં, ગુજરાતમાં ચાલુ રવિ સીઝન દરમિયાન બટાટાનું પણ મબલખ વાવેતર જોવા મળ્યું છે. બટાટા પાકનું ગત વર્ષે આ સમયગાળા દરમિયાન આશરે ૧.૪૦ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું, જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં ૧૮ ટકાની વૃદ્ધિ સાથે કુલ ૧.૬૬ લાખ હેક્ટરમાં બટાટાનું વાવેતર નોંધાયું છે. રવિ સીઝનની આ વાવણી પ્રક્રિયા જાન્યુઆરીના અંતિમ સપ્તાહ સુધી ચાલુ રહેશે. રાજ્યમાં થયેલા આ મબલખ વાવેતરને પગલે આગામી સમયમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના સેવાઈ રહી છે. આ પણ વાંચો : Gujarat News : વર્ષ 2030 સુધીમાં સાણંદ, કલોલ, સાવલી, બારડોલી અને હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવામાં આવશે

Read Full Story arrow_forward