android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: 600 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
calendar_today January 1, 2026

Surat News: 600 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

ગત રોજ 31 ડિસેમ્બરની ઉજવણી સમગ્ર રાજ્ય અને દુનિયામાં કરવામાં આવી હતી. થર્ટી ફર્સ્ટની રાત્રે ઘણા લોકો દારૂ પીને ઉજવણી કરતા હોય છે. આવા લોકોને પકડીને કાયદાનો પાઠ ભણાવવા માટે ગુજરાત પોલીસે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક શહેર અને જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સુરતમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.600થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટ પર પોલીસ દ્વારા પીધેલાને પકડવા માટે ખાસ ચેકિંગ કરવમાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 600થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ તમામને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવાાં આવ્યા હતા. જે કારણે આ તમામ નશાખોરોને આખી રાત જેલમાં વિતાવવી પડી હતી. સુરત પોલીસની કડક ચેતવણી બાદ પણ આ લોકો નશો કરી બહાર ખુલ્લામાં ફરવા નીકળ્યા હતા. આ પણ વાંચો - Surat માં હાઈટેક ડ્રગ્સ રેકેટ ઝડપાયું, વોટ્સએપ-ઇન્સ્ટાથી વેચાતું હતું 'મોતનું સસ્તું બળતણ'

Read Full Story arrow_forward
Banaskanthaના શ્રીઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે પ્રસાદની કોમ્પેક્ટ કીટ "અંબાજી પ્રસાદમ" ઓનલાઈન પોર્ટલ ઉપર વેચાણ અર્થે લોન્ચ કરાઈ
calendar_today January 1, 2026

Banaskanthaના શ્રીઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે પ્રસાદની કોમ્પેક્ટ કીટ "અંબાજી પ્રસાદમ" ઓનલાઈન પોર્ટલ ઉપર વેચાણ અર્થે લોન્ચ કરાઈ

અંબાજી શક્તિપીઠ ખાતે ખુબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારે છે, દેશ અને વિદેશમાં વસતા માં અંબાના ભક્તો ઘરે બેઠામાં અંબાનો મોહનથાળ પ્રસાદ, ચીક્કી પ્રસાદ, કુમકુમ, રક્ષાપોટલી અને માતાજીનો ફોટો યુક્ત કીટ અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in મારફતે ઓનલાઈન મંગાવી શકશે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભારતીય પોસ્ટ વિભાગ સાથે MOU કરવામાં આવેલ છે વેબ સાઈટ ઉપર ઓર્ડેર કરેલ કીટ પોસ્ટ મારફતે ઘરે બેઠા પ્રાપ્ત કરી શકાશે. ધર્મ, અધ્યાત્મ અને ટેકનોલોજીની સેવાઓમાં અગ્રેસર અંબાજી મંદિર ટ્રસ્ટ ધ્વારા નવીન પહેલ કરવામાં આવેલ છે. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર શ્રી કૌશિક મોદીના વરદ હસ્તે આજરોજ " અંબાજી પ્રાસાદમ " કીટ વેચાણ અર્થે લોન્ચ કરવામાં આવેલ છે. તા.૧-૧-૨૦૨૬ થી અંબાજી મંદિરની વેબસાઈટ મારફતે માઈભક્તો ઓનલાઈન પ્રસાદ કીટ મંગાવી શકશે તેમ મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું છે. અંબાજી મંદિર પર ચડતી ઘ્વજાને લઇ મહત્વનો નિર્ણય મંદિર પર 5 મીટર લંબાઈ સુધીની ધજા જ ચડાવી શકાશે, 5 મીટરથી લાંબી ઘ્વજા શિખર પર ચડાવી શકાશે નહીં, 5 મીટરથી લાંબી ઘ્વજા માંના ચરણોમાં કરી શકાશે અર્પણ, વર્ષો જુના ધ્વજ દંડ, સુવર્ણ શિખરની જાળવણી કરાશે અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પણ વાંચો : Banaskantha News : 3 જાન્યુઆરી 2026ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરાશે

Read Full Story arrow_forward
Ahmedabad માં કોર્મશિયલ ગેસ સિલિન્ડરના ભાવ રૂ.111 વધ્યા, હોટલ સંચાલકોમાં ભાવ વધારાને લઇને ભારે નારાજગી
calendar_today January 1, 2026

Ahmedabad માં કોર્મશિયલ ગેસ સિલિન્ડરના ભાવ રૂ.111 વધ્યા, હોટલ સંચાલકોમાં ભાવ વધારાને લઇને ભારે નારાજગી

અમદાવાદના ખાણીપીણી બજારમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ગેસ સિલિન્ડરના ભાવમાં એકાએક 111 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલીમા પણ ધરખમ વધારો થયો છે. જેના કારણે હોટલ સંચાલકોમાં ભાવ વધારાને લઇને નારાજગી જોવા મળી રહી છે. સંચાલકોની વ્યથા અને આર્થિક બોજ તોતિંગ ભાવ વધારાને લઇને શહેરના અનેક હોટલ સંચાલકોએ આ મામલે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યુ કે, વેપાર અત્યારે માંડ માંડ પાટે ચઢી રહ્યો છે ત્યાં આટલો મોટો ભાવ વધારો કમરતોડ સાબિત થશે, ખાસ કરીને જે સંચાલકો ભાડાની જગ્યામાં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે. તેમના માટે સર્વાઇવ કરવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યુ છે. એક તરફ મિલકતનું ઉંચુ ભાડું, સ્ટાફનો પગાર સાથે સાથે લાઇટ બિલ જેવા ખર્ચાઓ, હવે ગેસના ભાવ વધતા નફાનું માર્જિન સાવ ઘટવા લાગ્યુ છે. હાલ હોટલ સંચાલકોની પરિસ્થિતિ એવી થઇ ગઇ છે જેમ કે પડતા પર પાટું મારવું..... સામાન્ય જનતા પર શું અસર પડશે? સંચાલકોનું સ્પષ્ટપણે માનવું છે કે ગેસના ભાવ વધવાથી જે વસ્તુઓનો ખર્ચસીધો વધી જાય છે. જો ગેસ મોંઘો થશે, તો અંતે તેનો બોજ ગ્રાહકોના ખિસ્સા પર પણ આવશે. હોટલના મેનૂ કાર્ડમાં ભાવવધારો કરવો હવે મજબૂરી બની ગઈ છે. શાકભાજી અને તેલના ભાવ પહેલાથી જ આસમાને છે, ત્યારે ગેસનો આ નવો ફટકો બહાર જમવાનું શોખીન અમદાવાદીઓ માટે પણ મોંઘું સાબિત થશે.એટલે કે હવે રેસ્ટોરન્ટના મેન્યુ પર પણ ભાવવધારાની અસર ચોક્કસથી જોવા મળશે. આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદના મેથોડિસ્ટ ચર્ચ ખાતે કરાઇ નવા વર્ષની ઉજવણી, આકાશ રંગબેરંગી ફુગ્ગાથી સજ્યું

Read Full Story arrow_forward