Vav Tharad: રાણેસરી ગામે પુત્રની હત્યાના આરોપી પિતાએ કરી આત્મહત્યા
વાવ–થરાદ જિલ્લાનાં થરાદ તાલુકાના રાણેસરી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્રણ વર્ષ અગાઉ પોતાના 10 વર્ષના પુત્રની હત્યાના ગુનામાં અમદાવાદ જેલમાં સજા ભોગવી રહેલા ડામરા પટેલે પેરોલ દરમિયાન આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. ડામરા પટેલ તાજેતરમાં જેલમાંથી 21 દિવસના પેરોલ પર ઘરે આવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી ડામરા પટેલ તાજેતરમાં જેલમાંથી 21 દિવસના પેરોલ પર ઘરે આવ્યો હતો. દરમિયાનમાં તેણે પોતાના ખેતરમાં એરડાના પાક વચ્ચે જઈ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. ઘટનાની જાણ જેલ પ્રશાસનને પણ કરવામાં આવી થરાદ પોલીસે આ મામલે એ.ડી. (અકસ્માત મોત) દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ સમગ્ર ઘટનાની જાણ જેલ પ્રશાસનને પણ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.આ પણ વાંચો---- LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો
Read Full Story arrow_forward