android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
LOC નજીક ડ્રોન દ્વારા શંકાસ્પદ સામગ્રી ફેંકવામાં આવી, સર્ચ ઓપરેશન કરાયું શરૂ
calendar_today January 1, 2026

LOC નજીક ડ્રોન દ્વારા શંકાસ્પદ સામગ્રી ફેંકવામાં આવી, સર્ચ ઓપરેશન કરાયું શરૂ

નવા વર્ષના પહેલા જ દિવસે પાકિસ્તાન પોતાની હરકતો કરવાની સુધરી રહ્યું નથી. જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં લાઈન ઓફ કંટ્રોલ પાસે શંકાસ્પદ ડ્રોન મુવમેન્ટની સૂચના બાદ સુરક્ષા એજન્સીઓએ મોટું સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ગામના લોકો દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ સરહદ પારથી આવેલા એક ડ્રોને LOCના નજીક કોઈ શંકાસ્પદ વસ્તુઓ નાખી, ત્યારબાદ વિસ્તારમાં સર્તકતા વધારવામાં આવી છે.પોલીસની સંયુક્ત ટીમે તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો સૂચના મળતા જ ભારતીય સેના, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો અને સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સુરક્ષા દળોએ સંભવિત ડ્રોન ડ્રોપ ઝોનને ઓળખીને તેની આસપાસના જંગલો, ખેતરો અને ગામમાં સર્ચ વધારી દીધું છે. સાવચેતી તરીકે સરહદી ગામડાઓમાં વધારે દળ તૈનાત કરવામાં આવ્યું છે અને સર્વેલન્સ ડિવાઈસ દ્વારા હવાઈ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ તમામ ઈનપુટને ગંભીરતાથી લે છે જો કે અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ સામગ્રી જપ્ત થઈ નથી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા એજન્સીઓએ એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે ડ્રોનથી નાખવામાં આવેલી વસ્તુઓ શું હતી અને તેનો ઉદ્દેશ્ય શું હોય શકે છે. સુત્રોનું કહેવું છે કે ડ્રોન ગતિવિધિની સૂચના વિશ્વસનીય માનવામાં આવી રહી છે, તેથી ઓપરેશનમાં કોઈ ઢીલાશ ના રહે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન આ પહેલા પણ ડ્રોન દ્વારા જમ્મુ કાશ્મીરમાં હથિયાર, ગોળા-બારૂદ અને માદક પદાર્થ નાખવાના પ્રયત્ન કરતું રહે છે. જો કે તાજેત્તરમાં ડ્રોનના માધ્યમથી ઘુસણખોરી અને તસ્કરીની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ આવા ઈનપુટને ગંભીરતાથી લે છે.  આ પણ વાંચો: GST Collection : જીએસટીથી સરકારની તિજોરી છલકાઈ, ડિસેમ્બરમાં થયું 1.74 લાખ કરોડનું કલેક્શન

Read Full Story arrow_forward
World News : શ્રીલંકાએ ભારતના વોરશિપને કર્યું સન્માનિત, ચક્રવાત દિતવાહમાં કરી હતી મદદ
calendar_today January 1, 2026

World News : શ્રીલંકાએ ભારતના વોરશિપને કર્યું સન્માનિત, ચક્રવાત દિતવાહમાં કરી હતી મદદ

શ્રીલંકાએ નવેમ્બર 2025માં ચક્રવાત દિતાવાહ પછી રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરનાર ભારતીય નૌકાદળ અને અન્ય દેશોના 8 જહાજોનું સન્માન કર્યું છે. આ કુદરતી આફતમાં 600થી વધુ લોકો માર્યા ગયા હતા અને પૂર, ભૂસ્ખલન અને દેશભરમાં માળખાગત સુવિધાઓને ભારે નુકસાન થયું હતું.INS વિક્રાંત અને INS ઉદયગિરી મદદ માટે પહોંચ્યા હતા શ્રીલંકાના વડાપ્રધાન હરિણી અમરસુરિયાએ સંબંધિત દેશોના રાજદ્વારી અધિકારીઓનો વ્યક્તિગત રીતે આભાર માન્યો. ભારતીય નૌકાદળના વિમાનવાહક જહાજ INS વિક્રાંત અને ફ્રિગેટ INS ઉદયગિરી રાહત પ્રયાસોમાં સૌપ્રથમ પ્રતિભાવ આપવા માટે આવ્યા હતા. આ જહાજો અને તેમના હેલિકોપ્ટરોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પુરવઠો પહોંચાડવામાં અને બચાવ કામગીરીમાં મદદ કરી. ભારતે દવાઓ અને તબીબી ઉપકરણો મોકલ્યા ચક્રવાત સમયે, આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ 2025માં ભાગ લેવા માટે 8 વિદેશી યુદ્ધ જહાજો પહેલાથી જ શ્રીલંકામાં હતા. આપત્તિએ તાત્કાલિક આ જહાજોને રાહત કામગીરી માટે મોકલ્યા. ભારતીય જહાજો અને હેલિકોપ્ટરોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાશન, તંબુ, તાડપત્રી, સ્વચ્છતા કીટ, આવશ્યક કપડાં અને પાણી શુદ્ધિકરણ કીટ જેવી રાહત સામગ્રી પહોંચાડી. આ ઉપરાંત 14.5 ટન દવાઓ અને તબીબી સાધનો, 60 ટન અન્ય સાધનો પણ મોકલવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાના Mi-17 હેલિકોપ્ટર બે અઠવાડિયાથી વધુ સમયથી રાહત અને બચાવ કામગીરીમાં સક્રિય હતા. કોલંબોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર (DMC) અનુસાર, 16 નવેમ્બરથી અત્યાર સુધીમાં 644 લોકો માર્યા ગયા છે, અને 175 હજુ પણ ગુમ છે. ભારત શ્રીલંકાને રાહત પેકેજ પૂરું પાડે છે ભારતે 23 ડિસેમ્બર, 2025 ના રોજ શ્રીલંકા માટે US$450 મિલિયનના પુનર્નિર્માણ પેકેજની પણ જાહેરાત કરી હતી . આમાં US$350 મિલિયન ગ્રાન્ટ-આધારિત લાઇન ઓફ ક્રેડિટ અને US$100 મિલિયન ગ્રાન્ટનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે શ્રીલંકાના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને કોલંબોના પુનઃનિર્માણ માટે ભારતની પ્રતિબદ્ધતાની ખાતરી આપી હતી. આનાથી અસરગ્રસ્ત લોકોને આશા અને ટેકો મળ્યો હતો.આ પણ વાંચો: Bangladesh Election 2026: તારિક રહેમાનના બાંગ્લાદેશ પ્રવેશથી જમાત-એ-ઇસ્લામીની વધી મુશ્કેલી, પાર્ટીને બચાવવા યોજના તૈયાર

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદના ફ્લાવર શોને સતત ત્રીજી વખત ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું
calendar_today January 1, 2026

Gujarat Latest News Live : અમદાવાદના ફ્લાવર શોને સતત ત્રીજી વખત ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward