android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi On Rahul Gandhi: કેટલાક લોકો નિરાશાના અંધકારમાં...GDP આંકડા મુદ્દે PM મોદીએ રાહુલ ગાંધીને કર્યો કટાક્ષ
calendar_today September 1, 2026

PM Modi On Rahul Gandhi: કેટલાક લોકો નિરાશાના અંધકારમાં...GDP આંકડા મુદ્દે PM મોદીએ રાહુલ ગાંધીને કર્યો કટાક્ષ

ભારતને પ્રથમ ત્રિમાસિક જીડીપી વૃદ્ધિ દર  7.8 ટકા રહ્યો. આ આંકડા સામે આવતા પીએમ મોદીએ આજે સોશિયલ મીડિયામાં પોતાનું નિવેદન આપતો વીડિયો શેર કર્યો હતો. જેમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે 7.8 ટકાના વિકાસ દરને પ્રાપ્ત કરવામાં તમામ 140 કરોડ નાગરિકોએ ભૂમિકા ભજવી હતી. તેમણે અવલોકન કર્યું કે જ્યારે વિશ્વ યુદ્ધો અને કટોકટીઓથી ઘેરાયેલું છે, ત્યારે ભારત પ્રગતિ કરી રહ્યું છે અને આવા તમામ અવરોધોને દૂર કરી રહ્યું છે.કેટલાક વ્યક્તિઓ નિરાશાના અંધકારમાં ફસાયેલા તો બીજી તરફ જુઠ્ઠાણા ફેલાવા અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે વિશ્વ સંકટોથી ઘેરાયો છે. કોવિડ કાળથી લઇને અત્યાર સુધી સ્થિરતા નથી જોવા મળી. તેમ છતાં ભારત તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો સતત નકારાત્મકતા અને જૂઠાણા ફેલાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે ભારત આગળ વધી રહ્યું છે, ત્યારે દેશમાં કેટલાક વ્યક્તિઓ નિરાશાના અંધકારમાં ફસાયેલા રહે છે, જૂઠાણાને વધારે છે અને નિરાશાના વાતાવરણને પ્રોત્સાહન આપે છે. આ બધીજ બાબતોને પાર કરીને દેશે 7.8 ટકા ગ્રોથ હાંસલ કર્યો છે. આ ગતિને જાળવી રાખવાની છે ==ઉલ્લેખનીય છે કે  રાહુલ ગાંધી તાજેતરમાં 'સ્ટુડન્ટ્સ વોઇસ' કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. થોડા સમય પહેલા પુણેમાં આવા જ એક કાર્યક્રમ દરમિયાન ABVP અને NSUI ના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી. રાહુલ ગાંધી હવે ઇન્દોરમાં એક કાર્યક્રમ યોજવાના છે પરંતુ સ્થળ અંગે કંઇ નક્કી થયુ નથી. કારણ કે મધ્ય પ્રદેશમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ આ કાર્યક્રમ માટે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ (મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત) નો ઉપયોગ કરવાની પરવાનગી માંગી છે, જ્યારે નાગરિક સંસ્થાએ મધ્યપ્રદેશ હાઇકોર્ટના જૂના આદેશને ટાંકીને મંજૂરી આપવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.સોનું ખરીદવા અને વિદેશમાં મુસાફરી કરવાથી દૂર રહેવાની અપીલપીએમ મોદીએ લોકોને 'વોકલ ફોર લોકલ' પહેલને અપનાવવા, સ્વદેશી ઉત્પાદનોમાં વિશ્વાસ રાખવા અને આત્મનિર્ભરતા માટે પ્રયત્નશીલ રહેવા વિનંતી કરી. તેમણે જરૂરી ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ ન કરવા, વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ ન કરવા અથવા સોનું ન ખરીદવા માટેની અપીલ કરી હતી.  નોંધનીય છે કે, પ્રધાનમંત્રીએ અગાઉ ઈરાન-યુએસ સંઘર્ષ દરમિયાન જનતાને સોનું ખરીદવાનું ટાળવાની અપીલ કરી હતી.વિકસિત ભારત યુવા પેઢીને સોંપશે પ્રધાનમંત્રીએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશ આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીમાં, 'વિકસિત ભારત' (વિકસિત ભારત) યુવા પેઢીને સોંપવામાં આવશે. તેથી, તેમણે ભાર મૂક્યો કે, આ લક્ષ્ય તરફ કામ કરવામાં કોઈ કસર છોડવી જોઈએ નહીં. તેમણે ઉમેર્યું કે વર્તમાન સરકારની નીતિ અને ઉદ્દેશ બંને પારદર્શક અને સ્પષ્ટ છે. આવી સ્થિતિમાં, દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે બધાએ સાથે આવવું પડશે.

Read Full Story arrow_forward
Ahmedabad News : અધૂરો બ્રિજ અને પૂરો દેખાડો, અમદાવાદ મનપાની ‘ગજબ’ કારીગરી, બ્રિજનું કામ બાકી છતાં કલરકામ ચાલુ!
calendar_today September 1, 2026

Ahmedabad News : અધૂરો બ્રિજ અને પૂરો દેખાડો, અમદાવાદ મનપાની ‘ગજબ’ કારીગરી, બ્રિજનું કામ બાકી છતાં કલરકામ ચાલુ!

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની કામગીરી પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. નરોડા પાટિયા પાસે બની રહેલા બ્રિજનું બાંધકામ હજુ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી, છતાં તંત્ર દ્વારા બ્રિજ પર રંગરોગાન શરૂ કરી દેવામાં આવ્યું છે. બ્રિજનો વચ્ચેનો મુખ્ય ભાગ હજુ પણ અધૂરો લટકી રહ્યો છે, ત્યારે અડધા બ્રિજને કલરથી ચમકાવી દેવાની તંત્રની આ અજીબોગરીબ કામગીરી જોઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.નાગરિકોના ટેક્સના પૈસાનો વેડફાટઆ વિવાદાસ્પદ કામગીરીને પગલે સ્થાનિક નાગરિકોમાં મનપા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે બ્રિજનું મૂળ બાંધકામ પૂરું કર્યા વગર જ કલરકામ પાછળ ખર્ચ કરીને પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના નાણાંનો ખુલ્લેઆમ વેડફાટ કરવામાં આવી રહ્યો છે. બ્રિજ ક્યારે વાહન વ્યવહાર માટે ચાલુ થશે તેની કોઈ ખાતરી નથી, પરંતુ કલર કરીને કામગીરી બતાવવાનો મનપાનો પ્રયાસ હોય તેવો ઘાટ સર્જાયો છે."બ્રિજ ક્યારે પૂર્ણ થશે?" નાગરિકોનો મનપા તંત્રને તીખો સવાલનરોડા પાટિયા વિસ્તારમાં દરરોજ ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે, જેના કારણે વાહનચાલકો લાંબા સમયથી આ બ્રિજ વહેલી તકે શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તંત્રની આવી આયોજન વગરની કામગીરી જોઈને પ્રજા હવે પૂછી રહી છે કે "આખરે આ બ્રિજ ક્યારે પૂર્ણ થશે?". અધૂરા બ્રિજ પર કલરકામની આ ઘટનાએ મનપાના એન્જિનિયરિંગ વિભાગ અને તંત્રના આયોજન પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધો છે.આ પણ વાંચો : Surat News : રૂપિયાની અદાવતમાં પત્નીની બલિ ચડાવનાર નરાધમ પતિ જેલહવાલે, પુણા હત્યા કેસમાં કોર્ટની મોટી કાર્યવાહી

Read Full Story arrow_forward
Bhavnagar News: લઠ્ઠાકાંડમાં પોલીસ કર્મી રાજદીપસિંહ ગોહિલની ધરપકડ, સાંજે કોર્ટમાં રજૂ કરાશે
calendar_today September 1, 2026

Bhavnagar News: લઠ્ઠાકાંડમાં પોલીસ કર્મી રાજદીપસિંહ ગોહિલની ધરપકડ, સાંજે કોર્ટમાં રજૂ કરાશે

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ મામલે પોલીસની કાર્યવાહી બાદ હવે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ છે. વરતેજ પોલીસ મથકમાં કુલ 21 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.જેમાંથી 14 આરોપીઓની SMC દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તમામ 14 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ અને વધુ રિમાન્ડની માંગણી ન થતાં કોર્ટે 14 આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.લઠ્ઠાકાંડમાં પોલીસ કર્મી રાજદીપસિંહ ગોહિલની સંડોવણીભાવનગરમાં લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર ગ્રામ્ય ડિવિઝનની એએસપી કચેરીમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલ આ લઠ્ઠાકાંડમાં સીધી રીતે સંડોવાયેલો હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના મુખ્ય આરોપી ગૌતમ સાથે આ પોલીસકર્મીના સંબંધો અને સંડોવણી હોવાની પુષ્ટિ થતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. એસએમસીની ટીમ દ્વારા ધરપકડ કરાયેલા પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલને આજે સાંજે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે અન્ય રાજ્યોમાં પણ તપાસ આરંભીઆ પ્રકરણમાં અન્ય કોઈ પોલીસ કર્મચારીઓની મિલીભગત કે સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. લઠ્ઠાકાંડ મામલે વરતેજ પોલીસ મથકમાં કુલ 21 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. લઠ્ઠાકાંડ કેસમાં SMC એ મધ્યપ્રદેશ અને ભાવનગરમાંથી વધુ 6 આરોપીઓને ઝડપ્યા હતાં. જેમાં મધ્યપ્રદેશથી 2 શખ્સો, ભાવનગર શહેરમાંથી 2 અને નાના ખોખરા ગામમાંથી 2 શખ્સોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ રાજ્યોમાં તપાસ ટીમો રવાના કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Surat News : કચરાના નિકાલની સુવિધા ઉભી કરો, લોકોની રોજગારી બંધ ના થવી જોઈએ: ધારાસભ્ય કુમાર કાનાણીનો પત્ર

Read Full Story arrow_forward