android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sonia Gandhiના પુસ્તક Belonging પર પેંગ્વિનનો યુ-ટર્ન, પ્રકાશન ન કરવા પાછળ શું હતો ખુલાસો?, જાણો
calendar_today September 1, 2026

Sonia Gandhiના પુસ્તક Belonging પર પેંગ્વિનનો યુ-ટર્ન, પ્રકાશન ન કરવા પાછળ શું હતો ખુલાસો?, જાણો

પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયાએ હવે સ્પષ્ટતા કરી છે કે પુસ્તક પાછું ખેંચવા પાછળ કોઈ બાહ્ય કે સરકારી દબાણ નહોતું. 10 નવેમ્બરે પ્રકાશિત થશે પુસ્તક આ પુસ્તક સોનિયા ગાંધીના ઇટાલીમાં બાળપણ, રાજીવ ગાંધી સાથેના તેમના સંબંધો, નેહરુ-ગાંધી પરિવારમાં તેમના પ્રવેશ, તેમના પરિવારની મુખ્ય વ્યક્તિગત દુર્ઘટનાઓ અને ભારત સાથેના તેમના સંબંધોની વાર્તા કહે છે. આ પુસ્તક 10 નવેમ્બરે અમેરિકન પ્રકાશન ગૃહ આલ્ફ્રેડ એ. નોફ દ્વારા વિશ્વભરમાં પ્રકાશિત કરવામાં આવશે. જો કે, ભારતમાં તેને કોણ પ્રકાશિત કરશે તે હજુ સુધી સ્પષ્ટ નથી.પેંગ્વિનએ શું કહ્યું?પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાના પ્રવક્તા પલ્લવી નારાયણે જણાવ્યું હતું કે કંપની આ પુસ્તક પ્રકાશિત કરવા માટે ખૂબ જ ઉત્સુક હતી. તેમણે તેને કંપની માટે "મહેનતથી મેળવેલ સંપાદન" ગણાવ્યું હતું. પ્રકાશકના જણાવ્યા મુજબ, લેખિત સામગ્રી સામાન્ય સંપાદકીય પ્રક્રિયામાંથી પસાર થઈ હતી. આ પ્રક્રિયા દરમિયાન, લેખકની ટીમ સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. સોનિયા ગાંધીની ટીમ કેટલાક ફેરફારો માટે સંમત થઈ હતી, જ્યારે પ્રકાશકે અન્યમાં તે સ્વીકાર્યા હતા. પરંતુ આખરે, બંને પક્ષો "ચોક્કસ મુદ્દા" પર સર્વસંમતિ પર પહોંચી શક્યા નહીં. આ પછી, લેખકની ટીમે વધુ પ્રકાશિત ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. હજુ સુધી કોઈએ તે ચોક્કસ મુદ્દો શું હતો તે અંગે ચર્ચા કરી નથી.વિવાદનું સાચું કારણ શું ?પેંગ્વિનએ ચોક્કસ મુદ્દાનો ખુલાસો કર્યો નથી. તે કહે છે કે સોનિયા ગાંધી સાથેના કરાર અને લેખકની ગુપ્તતાને કારણે, તે ચર્ચાની વિગતો શેર કરી શકતું નથી. જો કે, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે લેખિત સામગ્રીના અમુક ભાગોને સંપાદિત કરવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસ અને ચીન સંબંધિત ચર્ચાઓ સામેલ હતી. કોંગ્રેસના કેટલાક નેતાઓએ આ આધારે સરકારી દબાણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રશ્નો ઉભા કર્યા છે.પેંગ્વિન કોઈપણ દબાણનો કર્યો ઇનકાર પેંગ્વિનએ આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે હકીકત તપાસવી અને લેખકોને સંપાદન સૂચનો આપવા એ પ્રકાશન પ્રક્રિયાનો સામાન્ય ભાગ છે. તેમના મતે, ચર્ચા દરમિયાન પુસ્તક પ્રકાશિત કરવાની ઇચ્છા અકબંધ રહી. આલ્ફ્રેડ એ. નોફ 10 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે "બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ" પ્રકાશિત કરશે. પુસ્તકમાં, સોનિયા ગાંધી તેમના જીવન, પરિવાર, રાજીવ ગાંધી સાથેના તેમના સંબંધો અને તેમના જીવન અને ભારત સાથેના તેમના જોડાણને ઊંડો પ્રભાવિત કરતી વ્યક્તિગત ઘટનાઓનો ખુલાસો કરશે.આ પણ વાંચોઃ Instagram 'AI ક્રિએટર' લેબલનું બદલી રહ્યું છે નામ, જો કે, સાચા લેબલનો ઉપયોગ કરતા સર્જકોને નહી કરાય દંડ

Read Full Story arrow_forward
West Bengal: મમતા બેનર્જીની ભત્રીજીએ ગળે ફાંસો ખાધો, પતિ સાથે છૂટાછેડાનો ચાલતો હતો કેસ
calendar_today September 1, 2026

West Bengal: મમતા બેનર્જીની ભત્રીજીએ ગળે ફાંસો ખાધો, પતિ સાથે છૂટાછેડાનો ચાલતો હતો કેસ

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની ભત્રીજી  બૃષ્ટિ મુખર્જીએ આત્મહત્યા કરી છે. તેનો મૃતદેહ મંગળવારે બપોરે રામપુરહાટમાં તેમના ઘરે લટકતો મળી આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે તેણે આત્મહત્યા કરી લીધી. અહેવાલો અનુસાર, વૃષ્ટિ છેલ્લા 4-5 વર્ષથી ડિપ્રેશનથી પીડાતી હતી અને સારવાર લઈ રહી હતી.વૃષ્ટિ મમતાના મામાના પિતરાઈ ભાઈની પુત્રી હતી પશ્ચિમ બંગાળ શાળા ભરતી કૌભાંડમાં તેનું નામ આવ્યા બાદ તેણીએ સરકારી નોકરી ગુમાવી દીધી હતી. તાજેતરમાં છૂટાછેડાની કાર્યવાહીને કારણે તેણી તણાવમાં પણ હતી.  બૃષ્ટિ મમતા બેનર્જીના મામાના પિતરાઈ ભાઈ નિહાર મુખર્જીની પુત્રી હતી. નિહાર અગાઉ રામપુરહાટમાં તૃણમૂલ કોંગ્રેસના બ્લોક પ્રમુખ તરીકે સેવા આપી ચૂકી હતી. પરિવારનું મામાનું પૈતૃક ઘર રામપુરહાટના કુસુમ્બા ગામમાં છે. તે સ્થાનિક શાળામાં ગ્રુપ-સી કર્મચારી તરીકે કામ કરતી હતી.ભરતી કૌભાંડમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આશરે 90 ટકા OMR શીટ્સમાં ગેરરીતિઓ બહાર આવી. તપાસમાં અનેક ઉમેદવારો જેમાં વૃષ્ટિનો પણ સમાવેશ થાય છે તે તમામ ઓળખાયા હતા જેમણે કથિત રીતે આ ગેરરીતિઓનો લાભ લીધો હતો. ત્યારબાદ કાનૂની કાર્યવાહી કરવામાં આવી, જેના પરિણામે તેણીની નોકરી ગુમાવવી પડી.મૃત્યુનું ચોક્કસ કારણ અસ્પષ્ટપ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વૃષ્ટિ મુખર્જી પોતાના અંગત જીવનમાં ભારે તણાવમાંથી પસાર થઈ રહી હતી. તેણી તેના પતિ સાથે છૂટાછેડાની કાર્યવાહીમાં સામેલ હતી. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ઘરેલું ઝઘડાને કારણે આ પગલું ભર્યુ છે કે પછી કોઇએ પ્રેરિત કરી કે પછી કોઈ અન્ય કારણ છે.મંગળવારે બપોરે, કુસુમ્બા ગામમાં તેના ઘરની બીજા માળની બાલ્કનીમાંથી તેનો મૃતદેહ  લટકતો મળી આવ્યો. માહિતી મળતાં, રામપુરહાટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. મૃતદેહને નીચે ઉતારીને તપાસ માટે રામપુરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. પોલીસને શરૂઆતમાં આત્મહત્યાની શંકા છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ અસ્પષ્ટ છે. રામપુરહાટ પોલીસ તેના મૃત્યુની આસપાસના સંજોગોની તપાસ કરી રહી છે. દરમિયાન, પરિવારના સભ્યોનું કહેવું છે કે વૃષ્ટિ છેલ્લા ચારથી પાંચ વર્ષથી ડિપ્રેશન સામે ઝુકતી હતી અને સારવાર લઈ રહી હતી.આ પણ વાંચો-  Petrol Diesel Price Today: 1 સપ્ટેમ્બરે વધ્યા LPG, CNG અને PNGના ભાવ.. તો શું પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થયો ફેરફાર ? 

Read Full Story arrow_forward
Gandhinagar : વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાત - સૌરાષ્ટ્રના જિલ્લાઓને અછત જાહેર કરવાની માગ
calendar_today September 1, 2026

Gandhinagar : વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાત - સૌરાષ્ટ્રના જિલ્લાઓને અછત જાહેર કરવાની માગ

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. પૂરતા વરસાદના અભાવે ખેતીપાકને નુકસાન થવાની સ્થિતિ સર્જાતા અસરગ્રસ્ત જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે. ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર દ્વારા તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.ચર્ચા કરવા માટે નોટિસ આપી વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક અને ધારાસભ્ય ડો. કિરીટ પટેલે આ મુદ્દે વિધાનસભા સત્ર દરમિયાન ચર્ચા કરવા માટે નોટિસ પાઠવી છે. તેમણે નિયમ 116 હેઠળ નોટિસ આપીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી છે.વરસાદ ખેંચાતા ખેતીપાક પર સંકટચોમાસાની સિઝન દરમિયાન અનેક વિસ્તારોમાં અપેક્ષા મુજબ વરસાદ ન પડતાં ખેતીપાક પર ગંભીર અસર થવાની ભીતિ ઉભી થઈ છે. ખેડૂતો દ્વારા વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા પાકને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં થાય તો ખેડૂતોને મોટાપાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.અછતગ્રસ્ત જિલ્લા જાહેર કરવાની માંગડો. કિરીટ પટેલે અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિને ગંભીરતાથી લઈને તેમને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, વરસાદની લાંબી ખેંચના કારણે ખેડૂતોની મહેનત અને પાક બંને જોખમમાં મુકાયા છે. સરકારે અસરગ્રસ્ત વિસ્તારોનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ.ખેડૂતોને સહાય માટે સરકાર સમક્ષ રજૂઆતઅસરગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતોને યોગ્ય અને સમયસર સહાય મળે તે માટે પણ માંગ કરવામાં આવી છે. પાક નુકસાનનો સર્વે કરીને ખેડૂતોને વળતર અને જરૂરી રાહત આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.આ પણ વાંચો   :   Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward