android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari: ઉનાઈમાં દહીંહાંડી ઉત્સવમાં મટકી સાથે દારૂની બોટલો લટકાવતાં વિવાદ, 3 ઈસમોની ધરપકડ
calendar_today September 6, 2026

Navsari: ઉનાઈમાં દહીંહાંડી ઉત્સવમાં મટકી સાથે દારૂની બોટલો લટકાવતાં વિવાદ, 3 ઈસમોની ધરપકડ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા ઉનાઈ ગામમાંથી આસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. અહીં આયોજિત કૃષ્ણ જન્મોત્સવ અને દહીંહાંડી ઉત્સવ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા દહીંહાંડીની મટકી સાથે દારૂની બોટલો લટકાવી દેવામાં આવી હતી.ઉનાઈમાં આસ્થા સામે ઉઠ્યા સવાલોઆ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે વિવાદ સર્જાયો હતો. પવિત્ર તહેવારના દિવસે દહીંહાંડી સાથે દારૂની બોટલો જોઈને હિન્દુ સમાજ અને ધાર્મિક સંગઠનોની લાગણી દુભાઈ હતી અને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. દહીંહાંડી ઉત્સવમાં દારૂની બોટલો લટકાવી ધાર્મિક લાગણી દુભાવવાનો મામલો ગરમાતાં જ વાંસદા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ત્વરિત ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી હતી અને આ કૃત્ય આચરનારાઓ સામે કાયદાનો સિકંજો કસ્યો હતો.દહીંહાંડી ઉત્સવમાં મટકી સાથે દારૂની બોટલો લટકાવતાં વિવાદલોકપ્રિય અને પવિત્ર ઉત્સવમાં દારૂની બોટલોનો ઉપયોગ કરાતાં સ્થાનિકોમાં કડક સજાની માંગ.વાંસદા પોલીસે ધરપકડ કરાયેલા ૩ ઈસમો સામે દારૂબંધી અને ધાર્મિક લાગણી દુભાવવા અંગેની કલમો હેઠળ તપાસ હાથ ધરી. પોલીસે ઉત્સવો દરમિયાન ધાર્મિક મર્યાદા જાળવી રાખવા અને કોઈ પણ અફવાઓથી દૂર રહેવા સ્થાનિકોને અપીલ કરી છે.આ પણ વાંચો: Vadodara: PM મોદીના પ્રવાસને લઈને વડોદરામાં છાવણી જેવો કડક બંદોબસ્ત; 2,000 પોલીસ જવાનો રહેશે તૈનાત

Read Full Story arrow_forward
Ahmedabad: કિંજલ રબારીના પૂર્વ પતિ સાથે સિવિલ કોર્ટમાં છૂટાછેડાનો કેસ અને અગાઉ આંતરજ્ઞાતીય લગ્ન સમયના વિવાદો ફરી સપાટી પર
calendar_today September 6, 2026

Ahmedabad: કિંજલ રબારીના પૂર્વ પતિ સાથે સિવિલ કોર્ટમાં છૂટાછેડાનો કેસ અને અગાઉ આંતરજ્ઞાતીય લગ્ન સમયના વિવાદો ફરી સપાટી પર

ગાયિકા કિંજલ રબારી પોતાના પતિ નરસિંહભાઈ (મુકેશભાઈ) રબારી તથા પોતાની બહેન જાનકીબેન અને બનેવી સાથે ચાંદખેડા સ્થિત CBD મોલ ખાતે ફિલ્મ જોવા આવ્યા હતા. આ દરમિયાન તબિયત ખરાબ હોવાનું કહીને કિંજલ મોલની બહાર ઊભી હતી.કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં મોટી કાર્યવાહીનરસિંહભાઈના જણાવ્યા મુજબ, એક સફેદ શર્ટ પહેરેલ અજાણ્યા ઈસમે તેમને પકડી રાખ્યા હતા અને તે જ સમયે કિંજલ કાળી ગાડી (વેન્યુ/ક્રેટા) માં બેસીને જતી રહી હતી. આ મામલે નરસિંહભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે BNS ની કલમો 137/2, 126/2 અને 54 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પતિની ફરિયાદ પર BNS હેઠળ ગુનો દાખલઘટનાની જાણ થતાં જ ચાંદખેડા પોલીસે મોલના CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં કિંજલ પોતે જ ગાડીમાં બેસતી નજરે પડે છે. પોલીસે ભૂતપૂર્વ પતિ અશોક ચૌધરી સાથેના ચાલી રહેલા સિવિલ કોર્ટના કેસ, અગાઉના આંતરજ્ઞાતીય લગ્ન અને પરિવાર સામે કરેલા આક્ષેપો સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અલગ-અલગ દિશામાં તપાસ લંબાવી છે.નાગજીભાઈ દેસાઈએ નિવેદનઆ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માલધારી એકતા સમિતિના અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈએ નિવેદન જારી કર્યું છે: સમાજના યુવાનોએ આ ઘટનામાં લાગણીમાં આવ્યા વગર દૂર રહેવું. સામાજિક આગેવાનો અને હોદ્દેદારોએ પણ આ વિવાદથી સંપૂર્ણ અંતર જાળવવું. નાગજીભાઈ દેસાઈએ કડક શબ્દોમાં ટકોર કરતાં કહ્યું હતું કે, "જે લોહીનું ના થાય, એ કોઈનું ના થાય".આ પણ વાંચો: Ahmedabad: કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો; 'મને ગોંધી રખાઈ હતી, હવે હું પતિ પાસે પરત આવી ગઈ છું'

Read Full Story arrow_forward
Vadodara: PM મોદીના પ્રવાસને લઈને વડોદરામાં છાવણી જેવો કડક બંદોબસ્ત; 2,000 પોલીસ જવાનો રહેશે તૈનાત
calendar_today September 6, 2026

Vadodara: PM મોદીના પ્રવાસને લઈને વડોદરામાં છાવણી જેવો કડક બંદોબસ્ત; 2,000 પોલીસ જવાનો રહેશે તૈનાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડોદરા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીના એરપોર્ટ આગમનથી લઈને કાર્યક્રમ સ્થળ પેવેલિયન સુધીના સમગ્ર રૂટ પર ચુસ્ત અને આકરો બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય લેવાયો છે.વડોદરા પૂર્વે પોલીસ છાવણીમાં ફેરવાયુંપ્રધાનમંત્રીના કાફલાના રૂટ પર 2,000 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવશે. સુરક્ષાની કમાન્ડ 11 DCP (ડિપ્યુટી કમિશનર ઓફ પોલીસ) અને 17 ACP (આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ) કક્ષાના અધિકારીઓ સાંભળશે. પીએમ મોદીના પ્રવાસ દરમિયાન સંસ્કારી નગરીના તમામ સંવેદનશીલ સ્થળો અને ઊંચી ઇમારતો પર પોલીસ દ્વારા ખાસ વોચ ગોઠવવામાં આવી છે. સમગ્ર રૂટ પર સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે.એરપોર્ટથી પેવેલિયન સુધી કડક બંદોબસ્તએરપોર્ટ રોડ, કાલાઘોડા, પેવેલિયન ગ્રાઉન્ડ સહિતના મુખ્ય જંકશનો પર રક્ષણ પૂરું પાડવા માટે ક્ષેત્રીય અધિકારીઓ ખડેપગે રહેશે.રૂટ પર આવતા તમામ સંવેદનશીલ પોઇન્ટ પર ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને એસઆરપી (SRP) ની ટુકડીઓ ગોઠવાશે. કાર્યક્રમ દરમિયાન સામાન્ય નાગરિકો અને વાહનચાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગો અને ટ્રાફિક ડાયવર્ઝનનું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે.આ પણ વાંચો:  Ahmedabad: કિંજલ રબારીના પૂર્વ પતિ સાથે સિવિલ કોર્ટમાં છૂટાછેડાનો કેસ અને અગાઉ આંતરજ્ઞાતીય લગ્ન સમયના વિવાદો ફરી સપાટી પર

Read Full Story arrow_forward