Ahmedabad: શ્રાવણ માસમાં દર્શન માટે આવતા ભક્તોની આસ્થા પર તંત્રની ઘોર બેદરકારીનું ગ્રહણ
અમદાવાદ પૂર્વના ઐતિહાસિક અને લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન રખિયાલ વિસ્તારમાં આવેલા ચકુડિયા મહાદેવ મંદિર સંકુલની આસપાસ હાલ ભારે ગંદકી અને દુરવસ્થાનો નજારો જોવા મળી રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી દરરોજ મોટી સંખ્યામાં શિવભક્તો ભગવાન ભોળાનાથના દર્શનાર્થે ઉમટી રહ્યા છે, પરંતુ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી જ ઠેરઠેર કચરાના ઢગલા અને અસહ્ય દુર્ગંધથી શ્રદ્ધાળુઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.મહત્વનું છે કે મુખ્ય રોડના પ્રવેશદ્વારથી મંદિર સુધી પહોંચવાનો અંદાજે 50 ફૂટ જેટલો રસ્તો અત્યંત બિસ્માર અને કાચો છે. તૂટેલી ફૂટપાથ અને ગંદકીના કારણે માર્ગ પરથી પસાર થતી વખતે મહિલાઓ અને બાળકો સહિતના શ્રદ્ધાળુઓને નાક પર રૂમાલ રાખવાની કે હાથ મૂકવાની નોબત આવી ગઈ છે. સંકુલમાં આવેલી એક અત્યંત જૂની અને જર્જરિત બિલ્ડિંગ હાલ ભયજનક સ્થિતિમાં ઊભી છે. આ જર્જરિત બાંધકામનો કોઈ ભાગ ગમે ત્યારે તૂટી પડે અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ તેની ચપેટમાં આવી જાય તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના કે હોનારત સર્જાય તે પહેલાં તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક સુરક્ષાના પગલાં લેવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward