android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : PSI ગળચર પર જમીન દલાલીના વધુ ગંભીર આક્ષેપ, 8 કરોડની 2 એકર જમીન પચાવી પાડ્યાનો પીડિત પરિવારનો દાવો
calendar_today August 31, 2026

Rajkot : PSI ગળચર પર જમીન દલાલીના વધુ ગંભીર આક્ષેપ, 8 કરોડની 2 એકર જમીન પચાવી પાડ્યાનો પીડિત પરિવારનો દાવો

રાજકોટ પોલીસ પર લાગેલા જમીન દલાલીના ગંભીર આક્ષેપોના મામલે હવે વધુ એક પીડિત પરિવાર મીડિયા સમક્ષ આવ્યો છે. વિવાદિત PSI ગળચર વિરુદ્ધ અત્યાર સુધીમાં જમીન દલાલીના આક્ષેપો સાથે કુલ 4 પરિવારો સામે આવ્યા હોવાનું સામે આવ્યું છે. અગેસાણીયા પરિવારે PSI ગળચર પર ગંભીર આક્ષેપો લગાવતા સમગ્ર મામલે પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.અરજીના બહાને બોલાવી ધાકધમકીનો આક્ષેપપીડિત પરિવારના જણાવ્યા મુજબ અરજીના બહાને તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ PSI ગળચર દ્વારા ધાકધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિતોએ એવો પણ દાવો કર્યો છે કે ગળચરના મળતિયાઓ દ્વારા પણ તેમને વારંવાર ધમકાવવામાં આવતા હતા.8 કરોડની 2 એકર જમીન પચાવી પાડ્યાનો દાવોઅગેસાણીયા પરિવારે PSI ગળચર પર કુલ 6 એકર જમીનના મામલે ગંભીર આરોપ લગાવ્યા છે. પીડિતોના દાવા મુજબ 6 એકરમાંથી 4 એકર જમીન પરત આપવામાં આવી હતી, પરંતુ અંદાજે 8 કરોડની કિંમત ધરાવતી 2 એકર જમીનના રૂપિયા હજુ સુધી આપવામાં આવ્યા નથી.ટેબલ પરથી પૈસા લઈ જવાનું કહ્યું હતું : પીડિતપીડિત પરિવારે મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે 2 એકર જમીનના પૈસા PSI ગળચરના ટેબલ પરથી લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, પીડિતોના જણાવ્યા મુજબ હજુ સુધી તેમને આ જમીનના એક પણ રૂપિયા મળ્યા નથી.18 વખત ફરિયાદ છતાં કાર્યવાહી નહીં?પીડિત પરિવારના દાવા મુજબ તેમણે રાજકોટ પોલીસમાં અત્યાર સુધી 18 વખત ફરિયાદ કરી છે. છતાં પોતાની ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે. પીડિતોએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.પતિના મૃત્યુ મામલે પણ ગંભીર શંકાપીડિત મહિલાએ પોતાના પતિના મૃત્યુ અંગે પણ ગંભીર શંકા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ પતિના મૃત્યુ બાબતે શંકા હોવાથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ મામલે પીડિત પરિવારે રાજકોટ પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. આ આક્ષેપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.સામાજિક આગેવાનોની પીડિતોને અપીલસામાજિક અગ્રણી દિનેશ બાંભણિયા અને પરસોતમ પીપળીયાએ પણ કથિત રીતે ભોગ બનનાર લોકોને ખુલ્લીને સામે આવવાની અપીલ કરી છે. ભ્રષ્ટાચાર અને જમીન દલાલીના આક્ષેપોમાં નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.    આ પણ વાંચો   :   Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward
Gutkha Ban in Gujarat: રાજ્યમાં ગુટખા અને પાન-મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો, આ તારીખથી થશે લાગૂ
calendar_today August 31, 2026

Gutkha Ban in Gujarat: રાજ્યમાં ગુટખા અને પાન-મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો, આ તારીખથી થશે લાગૂ

રાજ્યમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપતા ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરમાં તમાકુ કે નિકોટીનયુક્ત ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો છે. કમિશનર ઓફ ફૂડ સેફ્ટીએ જાહેર કરેલી યાદી મુજબ, આ નવો આદેશ તારીખ 13 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવશે.વર્ષ 2012થી લાગુ પ્રતિબંધ 12 સપ્ટેમ્બર 2027 સુધી લંબાવાયોગુજરાત સરકારે નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા અને વિવિધ બિન-સરકારી સંસ્થાઓ (NGOs)ની રજૂઆતોને ધ્યાને રાખીને વર્ષ 2012થી આ પ્રતિબંધ સતત અમલમાં મૂક્યો છે. હવે આ પ્રતિબંધનો સમયગાળો તા. 13 સપ્ટેમ્બર 2026થી લંબાવીને તા. 12 સપ્ટેમ્બર 2027 સુધીનો કરવામાં આવ્યો છે. કોઈપણ નામે ઓળખાતા તમાકુ કે નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલા પર આ હુકમ સંપૂર્ણપણે લાગુ પડશે.ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને સંશોધન સંસ્થાઓના ચોંકાવનારા અહેવાલફૂડ સેફ્ટી કમિશનરની યાદીમાં જણાવ્યા મુજબ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને 'હેમર'ના સંશોધનોમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે, ગુટખા તેમજ પાન મસાલાનું સેવન અત્યંત હાનિકારક અને કેન્સર માટે જવાબદાર છે. તેના સતત સેવનથી મોઢાના કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે.દેશમાં 21 ટકા લોકો ધુમાડા વગરની તમાકુના શિકાર: GATS રિપોર્ટ'ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે' (GATS) ના વૈશ્વિક અહેવાલને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, દેશમાં હાલ 35 ટકા પુખ્ત વયના લોકો કોઈને કોઈ સ્વરૂપે તમાકુનું સેવન કરે છે. જેમાંથી 21 ટકા જેટલા લોકો ધુમાડા વગરની તમાકુ એટલે કે ગુટખા, પાન મસાલા અને ઝરદાનો ઉપયોગ કરી રહ્યા છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.અલગ-અલગ ઘટકો ભેગા કરીને વેચનારાઓ સામે પણ થશે કડક કાર્યવાહીતંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે કે, માત્ર તૈયાર ગુટખા જ નહીં, પરંતુ અલગ-અલગ પેકિંગમાં વેચાતા એવા ઘટકો કે જેના મિશ્રણથી અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા કે પાન મસાલા તૈયાર થતા હોય, તેના પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સરકારી આદેશનો ભંગ કરનારા વેપારીઓ કે ઉત્પાદકો સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો - Patan News: ભાવનગર બાદ હવે પાટણમાં લઠ્ઠાકાંડની આશંકા, બે મોત થયા બાદ LCB પર ધારાસભ્યનો સીધો આક્ષેપ

Read Full Story arrow_forward
Rahul Gandhi FIR:  છૂત અછૂત વાળા નિવેદન પર ઘેરાયા રાહુલ ગાંધી, હલ્દ્વાનીમાં કેસ દાખલ
calendar_today August 31, 2026

Rahul Gandhi FIR: છૂત અછૂત વાળા નિવેદન પર ઘેરાયા રાહુલ ગાંધી, હલ્દ્વાનીમાં કેસ દાખલ

નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદ દરમિયાન ગાંધીએ હલ્દવાનીના રામલીલા મેદાનમાં આયોજિત 'શુદ્ધિકરણ હવનઅંગે કાર્યવાહી કરવાની માંગણી કર્યાના એક દિવસ પછી આ FIR દાખલ કરવામાં આવી.  આ હવન કોંગ્રેસ પ્રમુખ અને દલિત નેતા મલ્લિકાર્જુન ખડગેની રેલીના થોડા દિવસો પછી થયો હતો. શુદ્ધિકરણ મામલે FIRની રાહુલ ગાંધીએ કરી હતી માગ આ ઘટનાને 'ગુનો' ગણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે તે દેશભરમાં દલિતો દ્વારા સામનો કરવામાં આવતી 'અસ્પૃશ્યતા'ને પ્રતિબિંબિત કરે છે અને 'ભાજપ-RSS માનસિકતા'ને ઉજાગર કરે છે. તેમણે હલ્દવાની ઘટના માટે જવાબદાર લોકો સામે SC/ST કાયદા હેઠળ FIR નોંધવાની કોંગ્રેસ પાર્ટીની માંગને પુનરાવર્તિત કરી.રાહુલ ગાંધી સામે નોંધાઇ FIR હલ્દવાની શહેરના એસપી મનોજ કુમાર કાત્યાલે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે રાહુલ  ગાંધી વિરુદ્ધ એફઆઈઆર હલ્દવાની જવાહર નગર કોલોનીના રહેવાસી અમિત કુમાર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે નોંધવામાં આવી છે.રાહુલ ગાંધી સામે શું છે આરોપ ? પોતાની ફરિયાદમાં, 26 વર્ષીય અમિત કુમારે જણાવ્યું હતું કે તે વાલ્મીકી સમુદાયનો છે. તેણે ઉલ્લેખ કર્યો હતો કે તેણે, અનુસૂચિત જાતિ સમુદાયના અન્ય લોકો સાથે, 11 ઓગસ્ટના રોજ હલ્દવાનીના રામલીલા મેદાનમાં આયોજિત 'સ્વચ્છતા અભિયાન અને ધાર્મિક વિધિ'માં ભાગ લીધો હતો. તેમના મતે, આ કાર્યક્રમ કોઈ ચોક્કસ વ્યક્તિ કે જાતિ સાથે જોડાયેલો નથી.કુમારે ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, આમ છતાં, રાહુલ ગાંધી - 29 ઓગસ્ટના પ્રેસ કોન્ફરન્સમાં સંપૂર્ણ માહિતી વિના  આ કાર્યક્રમને 'અસ્પૃશ્યતા' સાથે જોડ્યો અને તેને અનુસૂચિત જાતિ સમુદાય વિરુદ્ધ ગુનો ગણાવ્યો. તેમણે કાર્યક્રમમાં ભાગ લેનારાઓ સામે એફઆઈઆર નોંધવાની પણ માંગ કરી હતી.રાહુલ ગાંધીનું નિવેદન અસ્પૃશ્યતાને પ્રોત્સાહિત કરનારુ- ફરિયાદી કુમારે જણાવ્યું હતું કે ભલે તે વાલ્મીકી સમુદાયનો છે, ગાંધીના નિવેદનમાં તેમને અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપનાર અને દલિત વિરોધી વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેમનો દાવો છે કે આ આરોપોને કારણે વિવિધ સમુદાયો વચ્ચે તણાવ અને દુશ્મનાવટ વધી છે. પોલીસે અમિત કુમાર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી છે. લગાવવામાં આવેલા આરોપોમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 196 અને કલમ 299, તેમજ SC/ST કાયદાની કલમ 3(1)(q)નો સમાવેશ થાય છે.મહત્વનું છે કે  કલમ 196 એવા કૃત્યો સાથે સંબંધિત છે જે ધર્મ, જાતિ વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપે છે અને સામાજિક સુમેળને ખલેલ પહોંચાડે છે. કલમ 299 કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ઇરાદાપૂર્વક ઠેસ પહોંચાડવા સાથે સંબંધિત છે. દરમિયાન, SC/ST કાયદાની કલમ 3(1)(q) જાહેર સેવકને ખોટી અથવા પાયાવિહોણી માહિતી આપીને SC/ST સમુદાયના સભ્યને નુકસાન પહોંચાડવા અથવા હેરાન કરવા સાથે સંબંધિત છે.શું છે મામલો ? મલ્લિકાર્જુન ખડગેએ 8 ઓગસ્ટ, 2026 ના રોજ હલ્દવાનીના રામલીલા મેદાનમાં એક રેલી યોજી હતી. ત્યારબાદ, સ્થળ પર 'શુદ્ધિકરણ' વિધિ કરવામાં આવી હોવાનો આરોપ છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ખડગે દલિત હોવાથી આવું કરવામાં આવ્યું હતું.આ પણ વાંચો- Surya Nakshatra Parivartan: મહિનાના અંતે સૂર્યની જેમ ચમકશે 4 રાશિનું નસીબ.. જાણો તમારી રાશિ છે?

Read Full Story arrow_forward