android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana News: સતલાસણામાં પોલીસ કોન્સ્ટેબલ અને તેનો સાગરિત 83 હજારની લાંચ લેતા પકડાયો
calendar_today August 31, 2026

Mehsana News: સતલાસણામાં પોલીસ કોન્સ્ટેબલ અને તેનો સાગરિત 83 હજારની લાંચ લેતા પકડાયો

મહેસાણા જિલ્લાના સતલાસણ ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક મોટું ઓપરેશન પાર પાડીને લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ અને તેના એક ખાનગી સાગરીતને 83 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.એસીબીની ટીમ દ્વારા સફળ છટકું ગોઠવવામાં આવ્યુંસતલાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અને તેમના સાથીદારો વિરુદ્ધ જુગારનો ગુનો નોંધાયો હતો. આ ગુનાના કામે પોલીસ સ્ટેશનમાં હાજર કરી માર નહીં મારવાના અવેજ પેટે આરોપી પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ વીરમાભાઈ ચૌધરીએ ફરિયાદી પાસે એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝક અંતે રૂ. 83 હજાર લેવાનું નક્કી થયું હતું. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા સફળ છટકું ગોઠવવામાં આવ્યું હતું.બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીમોજે સુરજ કોમ્પલેક્ષની સામે જાહેર રોડ ઉપર આરોપીના મિત્રની ગાડીમાં, ટેલિફોનિક વાતચીત મુજબ આરોપી કાનજીભાઈ વીરમાભાઈ ચૌધરી અને તેમના સાથીદાર આશિષભાઈ નાનજીભાઇ ચૌધરીએ ફરિયાદી પાસેથી રૂ. 83 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેઓને સ્થળ પર જ દબોચી લીધા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ 83 હજાર રીકવર કરી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: DHFL લોન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસ

Read Full Story arrow_forward
Kheda: ટુંડેલ ગામના ચર્ચિત મહેશ ગોહિલ હત્યાકાંડનો પર્દાફાશ, વસો પોલીસે મુખ્ય આરોપી સહિત 6 ની કરી ધરપકડ
calendar_today August 31, 2026

Kheda: ટુંડેલ ગામના ચર્ચિત મહેશ ગોહિલ હત્યાકાંડનો પર્દાફાશ, વસો પોલીસે મુખ્ય આરોપી સહિત 6 ની કરી ધરપકડ

ખેડા જિલ્લાના વસો તાલુકાના ટુંડેલ ગામે રહેતા મહેશ ગોહિલ નામના યુવકની છરીના ઘા ઝીંકી કરાયેલી નિર્મમ હત્યાના મામલે વસો પોલીસે ઝડપી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ વર્ષ ૨૦૧૯ થી ચાલી આવતી કૌટુંબિક અદાવત જવાબદાર હતી.જૂની અદાવતમાં મહેશ ગોહિલની હત્યાવર્ષ 2019 માં ઘરની સ્ત્રીઓ પર ટીકા-ટિપ્પણી કરવા બાબતે બે પક્ષો વચ્ચે સામસામે બોલાચાલી અને મારામારી થઈ હતી. જેમાં તત્કાલીન સમયે મહેશ ગોહિલ દ્વારા સોમાભાઈ ગોહિલ પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મહેશ ગોહિલ સામે કલમ ૩૦૭ (એટેમ્પ્ટ ટુ મર્ડર) હેઠળ ગુનો નોંધાયો હતો. બાદમાં મહેશ જામીન પર મુક્ત થઈને બહાર આવ્યો હતો પરંતુ તે અવારનવાર સોમાભાઈ ગોહિલના પરિવારને હેરાન-પરેશાન કરતો હોવાનો આરોપ છે.છરીના ઘા ઝીંકી હત્યા કરી 6 આરોપીઓ ઝબ્બેમહેશ દ્વારા કરાતી સતત હેરાનગતિ અને જૂની વાસના કારણે ગત દિવસે ફરી બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વણસતાં સોમાભાઈ અને તેમના પરિવારજનોએ ઉશ્કેરાઈને મહેશ ગોહિલ પર તીક્ષ્ણ છરી વડે ભયાનક હુમલો કરી દીધો હતો. છરીના ઊંડા ઘા વાગવાના કારણે મહેશ ગોહિલનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.વસો પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂવસો પોલીસે બનાવ સ્થળે પહોંચીને ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસે હત્યામાં સંકળાયેલા મુખ્ય આરોપી જગદીશ સોમાભાઈ ગોહિલ, ચિરાગ સોમાભાઈ ગોહિલ, રમણભાઈ ગોહિલ, ગોપાલ મંગળભાઈ ગોહિલ, મુકેશ સોમાભાઈ ગોહિલ અને સોમાભાઈ ગોહિલની અટકાયત કરી લીધી છે. વસો પોલીસ દ્વારા ઝડપાયેલા તમામ છ આરોપીઓને કાયદેસરની અટકાયત બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા અને હત્યામાં વપરાયેલું હથિયાર કબ્જે કરવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Surat: વરાછામાં ડેટિંગ એપ લૂંટકાંડનો પર્દાફાશ, 3 રીઢા ગુનેગારો મુદ્દામાલ સાથે ઝડપાયા

Read Full Story arrow_forward
Bharuch News: આમોદના દોરા ગામમાં 12 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, વન વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું
calendar_today August 31, 2026

Bharuch News: આમોદના દોરા ગામમાં 12 ફૂટના મહાકાય મગરની એન્ટ્રી, વન વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામમાં આજે તે સમયે ભારે અફરાતફરી અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. જ્યારે ગામની મધ્યમાં આવેલી બેંક નજીક એક 10થી 12 ફૂટ લાંબો મહાકાય મગર અચાનક આવી ચઢ્યો હતો. રહેણાંક વિસ્તાર અને ગામના મુખ્ય ભાગમાં જ આટલો મોટો મગર દેખાતાં જ આ વાત વાયુવેગે સમગ્ર ગામમાં પ્રસરી ગઈ હતી અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરી હતી. મહાકાય મગરને સુરક્ષિત રીતે કાબૂમાં કરી લેવાયોઆર.એફ.ઓ. (RFO) અને વન વિભાગની સૂચના તથા માર્ગદર્શન હેઠળ 'નેચર સેવિંગ ફાઉન્ડેશન'ના અંકિતભાઈ પરમાર તેમજ જીવદયા કાર્યકરો ધનસુખભાઈ પરમાર અને હેમંતભાઈ મકવાણા સહિતની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી.ગામની મધ્યમાં લોકોની ભીડ વચ્ચે મગરને સલામત રીતે કાબૂમાં લેવો એક મોટો પડકાર હતો. જોકે, નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે અત્યંત સાવચેતીપૂર્વક અને પ્રોફેસનલ રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત અને મથામણ બાદ 10થી 12 ફૂટ લાંબા આ મહાકાય મગરને સુરક્ષિત રીતે કાબૂમાં લઈ લેવામાં આવ્યો હતો. ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતોમહાકાય મગર સફળતાપૂર્વક પકડાઈ જતાં જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને સંભવિત જોખમ કે હોનારત ટળી જતાં ગામમાં ફરી શાંતિનો માહોલ સ્થાપિત થયો હતો. આ અંગે વધુ માહિતી આપતાં નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિતભાઈ પરમારે જણાવ્યું હતું કે, રેસ્ક્યુ કરવામાં આવેલા મહાકાય મગરની પ્રથમ જરૂરી ડોક્ટરી તપાસ (મેડિકલ ચેકઅપ) કરાવવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ વન વિભાગની મંજૂરી મેળવીને તેને સુરક્ષિત રીતે તેના નૈસર્ગિક વાતાવરણ (કુદરતી આવાસ) માં મુક્ત કરવામાં આવશે.આ પણ વાંચોઃ Ahmedabad News: DHFL લોન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસ

Read Full Story arrow_forward