android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch: સોનલ નગરમાં યુવતીની હત્યા કરી ફરાર થયેલો આરોપી ગૌરવ મધ્યપ્રદેશથી ઝડપાયો, 'એ' ડિવિઝન પોલીસની મોટી સફળતા
calendar_today August 31, 2026

Kutch: સોનલ નગરમાં યુવતીની હત્યા કરી ફરાર થયેલો આરોપી ગૌરવ મધ્યપ્રદેશથી ઝડપાયો, 'એ' ડિવિઝન પોલીસની મોટી સફળતા

ગાંધીધામના સોનલ નગર વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે એક યુવતીની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી અને અરેરાટી વ્યાપી ગઈ હતી. આરોપીએ યુવતી પર જીવલેણ હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી અને ગુનાનો ભેદ તુરંત ન ખુલે તે હેતુથી મકાનને બહારથી તાળું મારીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બંધ મકાનમાંથી દુર્ગંધ અથવા શંકાસ્પદ હલચલ જણાતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.ગાંધીધામ સોનલ નગર યુવતી હત્યાકાંડબનાવની ગંભીરતાને ધ્યાને રાખી ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ મેળવવા સાથે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ (બાતમીદારો) નો ઉપયોગ કર્યો હતો.આરોપી ગૌરવ મધ્યપ્રદેશથી ઝડપાયોટેકનિકલ લોકેશન અને સચોટ બાતમીના આધારે હત્યાકાંડનો મુખ્ય આરોપી ગૌરવ મધ્યપ્રદેશમાં છુપાયો હોવાનું જાણવા મળ્યું હતું. જે આધારે ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસે મધ્યપ્રદેશ ખાતે દરોડો પાડી આરોપી ગૌરવની અટકાયત કરી લીધી હતી. ઝડપાયેલા આરોપી ગૌરવને ગાંધીધામ લાવીને યુવતીની હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું, પ્રેમપ્રકરણ, નાણાકીય લેવડદેવડ કે અન્ય કોઈ અંગત અદાવત હતી તે દિશામાં પોલીસે ઘનશ્યામ પૂછપરછ શરૂ કરી છે. તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ પણ વાંચો: Kheda: ટુંડેલ ગામના ચર્ચિત મહેશ ગોહિલ હત્યાકાંડનો પર્દાફાશ, વસો પોલીસે મુખ્ય આરોપી સહિત 6 ની કરી ધરપકડ

Read Full Story arrow_forward
Surat News : ઉધના વિસ્તારમાં પતિ પત્નીના વિવાદ વચ્ચે દીકરીને મળવા ગયેલા પિતા ઉપર હુમલો
calendar_today August 31, 2026

Surat News : ઉધના વિસ્તારમાં પતિ પત્નીના વિવાદ વચ્ચે દીકરીને મળવા ગયેલા પિતા ઉપર હુમલો

સુરતના ઉધના વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા કૌટુંબિક વિવાદ વચ્ચે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોતાની પુત્રીને મળવા ગયેલા પિતા પર અચાનક જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. આ અણધારી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપીઘટનાની વિગતો મુજબ, કૌટુંબિક અણબનાવ વચ્ચે પિતા પોતાની બાળકીને મળવા પહોંચ્યા હતા. ત્યારે ત્યાં હાજર હુમલાખોરે તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારબાદ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પોલીસનો કાફલો ત્વરિત હરકતમાં આવ્યોઆ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો ત્વરિત હરકતમાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હુમલો કરનાર આરોપી સાળાની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: DHFL લોન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસ

Read Full Story arrow_forward
Gandhinagar News: વડાપ્રધાનની મુલાકાતને પગલે વિધાનસભાનું સત્ર 9થી 11 સપ્ટેમ્બરે યોજાશે
calendar_today August 31, 2026

Gandhinagar News: વડાપ્રધાનની મુલાકાતને પગલે વિધાનસભાનું સત્ર 9થી 11 સપ્ટેમ્બરે યોજાશે

નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ નવસારીની મુલાકાતે જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણ માટે આવવાના છે.વડાપ્રધાનના આગમનની તારીખ નક્કી થતાં જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદીના સ્વાગત માટે નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમની આ મુલાકાતને લઈને વિધાનસભાના સત્રની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા સત્રની તારીખોમાં ફેરફારગત 3જી ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાત વિધાનસભાના નવમાં સત્રને તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ મળવા આહવાન કર્યું હતું. પરંતુ આજરોજ મહામહિમ રાજ્યપાલે તેમના તારીખ 03 ઓગસ્ટ,2026નાં રોજના આહવાનને રદ કરી આજે નવું આહવાન કર્યું છે. હવે ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર તા. 9મી સપ્ટેમ્બરના રોજ મળવા માટે આહવાન કર્યું છે. હવે નવમું સત્ર તા. 9,10 અને 11 સપ્ટેમ્બર એમ કુલ ત્રણ દિવસ માટે મળશે. આ સત્રમાં સરકારી કામકાજ, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ તેમજ કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસારની કામગીરી હાથ ધરવામાં આવશે. સત્રની તારીખોમાં થયેલ ફેરફારના કારણે હવે તારાંકિત પ્રશ્નોત્તરી તા. 9, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન હાથ ધરવાનો અધ્યક્ષ શંકરચૌધરીએ નિર્ણય કર્યો છે. જીતુ વાઘાણી વિધાનસભામાં આ વિધેયક રજૂ કરશેઆગામી વિધાનસભાના સત્રમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વિશેષ અભ્યાસ અર્થે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના અંગેનું વિધેયક લાવવામાં આવશે.રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી વિધાનસભા ગૃહમાં આ વિધેયક રજૂ કરશે.આ યુનિવર્સિટીની સ્થાપના થવાથી પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સંશોધન અને શિક્ષણને નવો આયામ મળશે.યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ ડિપ્લોમા, અનુસ્નાતક અને વ્યાવસાયિક કોર્સ શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત રાસાયણિક ખાતરોથી મુક્ત, ઝીરો બજેટ ખેતી અને દેશી પદ્ધતિઓ પર આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સંશોધન થશે.આ પણ વાંચોઃ Surat News : ઉધના વિસ્તારમાં પતિ પત્નીના વિવાદ વચ્ચે દીકરીને મળવા ગયેલા પિતા ઉપર હુમલો

Read Full Story arrow_forward