android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Pariksha Pe Charcha 2026 : પરીક્ષા પે ચર્ચા, બોર્ડની પરીક્ષાને લઇને પીએમ મોદીએ આપ્યો ગુરુમંત્ર
calendar_today February 6, 2026

Pariksha Pe Charcha 2026 : પરીક્ષા પે ચર્ચા, બોર્ડની પરીક્ષાને લઇને પીએમ મોદીએ આપ્યો ગુરુમંત્ર

"પરીક્ષા પે ચર્ચા" ની 9મી આવૃત્તિ છે.  આ ખાસ કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધી વાતચીત કરી રહ્યા છે. . આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત તણાવ ઘટાડવા, તેમનો આત્મવિશ્વાસ વધારવા અને કારકિર્દી સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે મદદ કરવાનો છે. આ વર્ષે "પરીક્ષા પે ચર્ચા" એક નવા ફોર્મેટમાં યોજાઈ રહી છે, જેમાં દેશભરના વિદ્યાર્થીઓને જોડવા અને તેમના પ્રશ્નોના જવાબ આપવા પર ભાર મૂકવામાં આવશે.

Read Full Story arrow_forward
Jambusar: નગરપાલિકાની પાણીની લાઈન લીકેજ થતા ખેતરો બન્યા બેટ, ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ
calendar_today February 6, 2026

Jambusar: નગરપાલિકાની પાણીની લાઈન લીકેજ થતા ખેતરો બન્યા બેટ, ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામે નગરપાલિકાની બેદરકારીનો ભોગ સ્થાનિક ખેડૂતો બન્યા છે. સારોદથી જંબુસર નગરને પીવાનું મીઠું પાણી પૂરું પાડતી અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી ખેતરોમાં ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ખેડૂતોની મહેનત પર ફેરવાયું પાણીજંબુસર નગરપાલિકાની આ લાઈન ઓવરફ્લો અને લીકેજ થવાને કારણે નોંધણા ગામના અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. હાલ ખેતરોમાં કપાસ, તુવેર અને દિવેલા જેવા મહત્વના પાકો તૈયાર થઈ રહ્યા હતા, પરંતુ પાણી ભરાઈ જવાથી આ ઊભો પાક સડી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની માસિક મહેનત અને મોંઘા બિયારણ-ખાતરનો ખર્ચ માથે પડ્યો છે.તંત્રની ઘોર બેદરકારીના આક્ષેપખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબઆ સમસ્યા અંગે જંબુસર નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.તંત્ર દ્વારા સમયસર સમારકામ ન કરવામાં આવતા આજે આ સ્થિતિ સર્જાઈ છે.નગરપાલિકાની આળસને કારણે પીવાના પાણીનો પણ બગાડ થઈ રહ્યો છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે.વળતરની ઉગ્ર માંગખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે નુકસાન થયું છે, તેના પંચનામા કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જો સત્વરે લાઈન રિપેર કરવામાં નહીં આવે અને નુકસાનીની ભરપાઈ નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.આ પણ વાંચો: Rajkot: ઓસ્ટ્રેલિયામાં PR અપાવવાના બહાને તાંત્રિકે યુવક સાથે આચરી 24 લાખની છેતરપિંડી

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદના SG હાઇવેને ડસ્ટ ફ્રી આઇકોનિક બનાવાશે, તમામ ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરાશે
calendar_today February 6, 2026

Ahmedabad News : અમદાવાદના SG હાઇવેને ડસ્ટ ફ્રી આઇકોનિક બનાવાશે, તમામ ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરાશે

મ્યુ. કોર્પોરેશનને 20થી 25 કરોડની બચત થશે અને સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.જી હાઈવે ડેવલોપ કરાશે અને ચેકિંગ કરાવા થર્ડ પાર્ટી ઓડિટ કન્સલટન્ટની નિમણૂંક કરાશે અને AMC દ્વારા કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ૨૦૩૬ને લઈને અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સનાથલથી ગાંધીનગર સુધી ૩૦ કિ.મી. રોડનું આઇકોનીક રોડ સાથે નવીનીકરણ કરાશે.કન્સલટન્સીનો તમામ ખર્ચ યુ.એન.મહેતા ફાઉન્ડેશનના CSR ફંડમાંથી કરાશે AMC સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરી અગાઉના કન્સલટનને નોટીસ આપી કામ પરત લઇને નવા કન્સલટને સોંપી દેવાયું છે. કન્સલ્ટન્સીનો અંદાજે ૨૫ કરોડ ખર્ચ થવાનો અંદાજ છે, જે AMCને ભોગવવાનો નહીં રહે. ૩૦ કિ.મી.ના રોડમાં અંદાજે પાંચ જેટલી ઓથોરિટીની હદ લાગે છે. રોડને ગુજરાત અર્બન ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લી. કંપની દ્વારા વિકસાવાનું કામ કરશે. આ કામ કમિટીની બેઠકમાં તાકીદમાં મંજૂર કરાયું હતું. મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે, આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ અમદાવાદમાં યોજાવવા માટે જઈ રહી છે. એસ.જી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે ત્યારે અમદાવાદની ઓળખ સમાન એસ.જી. હાઈવેને સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-૭ સર્કલ સુધીનો આખો રોડ ડેવલોપ કરાશે. લગભગ ૩૦ કિમીનો રોડને એરપોર્ટથી ઈન્દિરા બિજના રોડને જે રીતે આઈકોનિક રોડ બનાવાયો છે, તેવી જ રીતે સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.જી હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગુડા, ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ રોડને વિકસાવાશે. આજના તાકીદના કામની અંદર યુ.એન.મહેતા ફાઉન્ડેશન દ્વારા ડેવલોપ કરવામાં આવશે અને પ્લાનીંગ-ડિઝાઈન સહિત કન્સલટન્સીનો તમામ ખર્ચ યુ.એન.મહેતા ફાઉન્ડેશન ભોગવશે. પરિણામે આવનારા સમયગાળા -દરમિયાન લેન્ડસ્કેપિંગ તદઉપરાંત વાત -કરીએ તો ગઝીબો, ઈસ્કોનથી પકવાન - સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો -એવો નવતર ૩૦ કિમીનો રોડ એસ.જી - હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે. 30 કિ.મી. હાઇવે રોડ ડેવલપ થતાં શું ફાયદા થશે કોમનવેલ્થ ગેમ્સ વખતે રોડ અમદાવાદની શાન રહેશે રોડ પર ૪ કે ૬ લેન બનાવવાનું આયોજન અમદાવાદથી ગાંધીનગર કે સનાથલ જવા માટે સરળતા લાખ્ખોની સંખ્યામાં રોજ પસાર થતાં વાહનોને ફાયદો હેવી વાહનોને અવરજવર કરવામાં સરળતા રહેશે સર્વિસ રોડ દબાણમુકત્ત રહેશે રોડની બંને બાજુ લાઇટીંગ રહેશે રોડની બંને બાજુ ગ્રીનરી રહેશે રોડમાં કેટલાક અંતરે ગજેબો રહેશે કેટલાક સ્થળોએ વાયફાયની સુવિધા ઉભી કરવા આયોજન લોકલ ફોર વોકલને વેગ અપાશે આ પણ વાંચો : Gandhinagar News : રાજયમાં ટોલટેક્સના વધુ ઉઘરાણાની ફરિયાદ, ખોટી રીતે ટોલ ઉઘરાવવો અને વધુ નાણાં વસૂલવાની ફરિયાદ

Read Full Story arrow_forward