android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: રેલવે પોલીસનો સપાટો, મુસાફરોને છરીની અણીએ લૂંટતી રીઢા ગુનેગારોની જોડી ઝડપાઈ
calendar_today February 6, 2026

Rajkot: રેલવે પોલીસનો સપાટો, મુસાફરોને છરીની અણીએ લૂંટતી રીઢા ગુનેગારોની જોડી ઝડપાઈ

રાજકોટ રેલવે પોલીસે મુસાફરોની સુરક્ષાને જોખમાવતી એક રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ કર્યો છે. રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં મુસાફરોને નિશાન બનાવી તેમને અવાવરુ સ્થળે લઈ જઈ લૂંટ ચલાવતા બે ખતરનાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ટેકનોલોજીની મદદથી આરોપીઓ પાંજરે પુરાયાઝડપાયેલા આરોપીઓની ઓળખ હિતેશ જાંબુકિયા અને સાહિલ ઉર્ફે બાડો રફાઈ તરીકે થઈ છે. આ આરોપીઓ મુસાફરોને કોઈને કોઈ બહાને વિશ્વાસમાં લઈ અવાવરુ જગ્યાએ લઈ જતા હતા. ત્યાં છરીની અણીએ ડરાવી-ધમકાવી મુસાફરો પાસેથી રોકડ ઉપરાંત ઓનલાઈન (UPI) દ્વારા પણ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેતા હતા. એક જાગૃત મુસાફરે પોલીસને જાણ કર્યા બાદ જે UPI ID પર રૂપિયા ટ્રાન્સફર થયા હતા તેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ કરી આરોપીઓને દબોચી લીધા છે.બંને આરોપીઓ રીઢા ગુનેગાર ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.હિતેશ જાંબુકિયા આ આરોપી વિરુદ્ધ અગાઉ લૂંટ અને ચોરી જેવા અંદાજે 13 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સાહિલ ઉર્ફે બાડો રફાઈ સાહિલ વિરુદ્ધ લૂંટ ઉપરાંત NDPS (નશીલા પદાર્થો) સહિતના ત્રણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.આ પણ વાંચો: Valsad: ધરમપુરની છાત્રાલયમાં સંચાલકે 13 વર્ષીય વિદ્યાર્થિની સાથે કર્યા અડપલાં, પોલીસ ફરિયાદ નોંધાઈ

Read Full Story arrow_forward
નારાયણ પેરુમળ મંદિર ખાતે કુંભાભિષેકમની તૈયારી
calendar_today February 6, 2026

નારાયણ પેરુમળ મંદિર ખાતે કુંભાભિષેકમની તૈયારી

આ પવિત્ર સમારોહમાં રાજ્યભરમાંથી તેમજ અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે. 

Read Full Story arrow_forward
property rules : UPમાં મિલકત ખરીદીનો નિયમ બદલાયો, હવે આ એક કાગળ વગર રજિસ્ટ્રી નહીં થાય
calendar_today February 6, 2026

property rules : UPમાં મિલકત ખરીદીનો નિયમ બદલાયો, હવે આ એક કાગળ વગર રજિસ્ટ્રી નહીં થાય

ઉત્તર પ્રદેશ સરકારે મિલકત ખરીદી અને વેચાણની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નવા આદેશ અનુસાર હવે કોઈપણ પ્રકારની સ્થાવર મિલકત – જેમ કે જમીન, મકાન, ફ્લેટ અથવા પ્લોટ – ખરીદવા કે વેચવા માટે પાન કાર્ડ આપવું ફરજિયાત રહેશે. પાન કાર્ડ વગર મિલકતની નોંધણી શક્ય નહીં બને. રજિસ્ટ્રી વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર આદેશ રાજ્યના રજિસ્ટ્રી વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે અને તે તમામ જિલ્લા રજિસ્ટ્રી કચેરીઓને મોકલવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ, ઓનલાઈન મિલકત નોંધણી અરજી કરતી વખતે ખરીદનાર અને વેચનાર બંનેના પાન નંબર દાખલ કરવા પડશે અને તેની ઓનલાઈન ચકાસણી પણ કરવામાં આવશે.  કાળા નાણાંનો ઉપયોગ સરકારનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મિલકતના વ્યવહારોમાં બેનામી લેવડદેવડ, શંકાસ્પદ રોકાણ અને કાળા નાણાંનો ઉપયોગ વધી રહ્યો છે. ખાસ કરીને ભારત-નેપાળ સરહદી વિસ્તારોમાં વિદેશી ભંડોળ અને ગેરકાયદેસર નાણાં દ્વારા જમીન ખરીદીના કેસ સામે આવ્યા છે. આવા ગેરકાયદેસર વ્યવહારોને અટકાવવા માટે પાન કાર્ડને ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  દરેક મિલકત વ્યવહારનું યોગ્ય રેકોર્ડ પાન કાર્ડ ફરજિયાત થવાથી દરેક મિલકત વ્યવહારનું યોગ્ય રેકોર્ડ ઉપલબ્ધ રહેશે. આવકવેરા વિભાગ સાથે ડેટા મેચિંગ સરળ બનશે અને શંકાસ્પદ લેવડદેવડ તરત ઓળખી શકાય તેવું બનશે. આ નિર્ણયથી નકલી દસ્તાવેજો, ખોટી ઓળખ અને બેનામી મિલકત ખરીદી પર અસરકારક નિયંત્રણ આવશે. સોફ્ટવેર સિસ્ટમમાં પણ મહત્વપૂર્ણ સુધારા રજિસ્ટ્રી વિભાગ પોતાની સોફ્ટવેર સિસ્ટમમાં પણ મહત્વપૂર્ણ સુધારા કરી રહ્યો છે. નવા અપડેટ બાદ પાન કાર્ડની તાત્કાલિક ઓનલાઈન ચકાસણી શક્ય બનશે. જો પાન નંબર ખોટો હશે અથવા ઉપલબ્ધ નહીં હોય, તો નોંધણી પ્રક્રિયા આપમેળે અટકાવી દેવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં સમાન રીતે લાગુ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ નિયમ સમગ્ર ઉત્તર પ્રદેશમાં સમાન રીતે લાગુ થશે. તમામ રજિસ્ટ્રી ઓફિસોને આ નિયમનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે. હવે જે કોઈ વ્યક્તિ રાજ્યમાં જમીન કે ઘર ખરીદવાનું વિચારે છે, તેને નોંધણી સમયે પાન કાર્ડની વિગતો આપવી જ પડશે. સામાન્ય નાગરિકો માટે પણ લાભદાયક સરકારનો આ નિર્ણય સામાન્ય નાગરિકો માટે પણ લાભદાયક સાબિત થશે. પારદર્શિતા વધવાથી મિલકતના ભાવમાં ગેરરીતિઓ ઘટશે અને કાયદેસર ખરીદદારોને સુરક્ષા મળશે. કુલ મળીને, પાન કાર્ડ ફરજિયાત કરવાનો આ પગલું મિલકત ક્ષેત્રમાં સ્વચ્છતા અને વિશ્વસનીયતા લાવશે.આ પણ વાંચો : Bangladesh US trade deal : ભારત-અમેરિકા કરાર બાદ બાંગ્લાદેશ કેમ ગભરાયું? જાણો ગુપ્ત સોદાની આખી વાત

Read Full Story arrow_forward