android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Pariksha Pe Charcha 2026 : મને પણ ઘણા લોકો અભિપ્રાય આપે છે પણ..પીએમ મોદીએ બાળકોને આપી સલાહ
calendar_today February 6, 2026

Pariksha Pe Charcha 2026 : મને પણ ઘણા લોકો અભિપ્રાય આપે છે પણ..પીએમ મોદીએ બાળકોને આપી સલાહ

"પરીક્ષા પે ચર્ચા" ની 9મી આવૃત્તિ છે.  આ ખાસ કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધી વાતચીત કરી રહ્યા છે. . આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત તણાવ ઘટાડવા, તેમનો આત્મવિશ્વાસ વધારવા અને કારકિર્દી સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે મદદ કરવાનો છે. આ વર્ષે "પરીક્ષા પે ચર્ચા" એક નવા ફોર્મેટમાં યોજાઈ રહી છે, જેમાં દેશભરના વિદ્યાર્થીઓને જોડવા અને તેમના પ્રશ્નોના જવાબ આપવા પર ભાર મૂકવામાં આવશે.બાળકોના પ્રશ્નોના જવાબ આપ્યા પીએમ મોદીએ બાળકોના આ પ્રશ્નના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે દરેક બાબતમાં સંતુલન ખૂબ જ જરૂરી છે. જો તમે એક તરફ ઝુકશો, તો તમે પડી જશો. તેથી કોઈએ એક તરફ ન ઝૂકવું જોઈએ. કૌશલ્ય બે સ્વરૂપોમાં આવે છે: જીવન કૌશલ્ય અને વ્યાવસાયિક કૌશલ્ય. તેથી, બંને કૌશલ્ય પર ધ્યાન આપવું જોઈએ. કૌશલ્ય જ્ઞાનથી શરૂ થાય છે. જીવન કૌશલ્યનો પણ વિચાર કરવો જોઈએ, જેમાં ઊંઘ અને જાગવાનો સમય અને કસરતનું સમયપત્રક શામેલ છે. વ્યાવસાયિક કૌશલ્યની સાથે, તમારે જીવન કૌશલ્ય પર પણ ધ્યાન આપવું જોઈએ. વધુમાં તમારે દરેક કૌશલ્યમાં સુધારો કરવાનું ચાલુ રાખવું જોઈએ. શિક્ષકોને આપી સલાહ  જ્યારે એક વિદ્યાર્થીએ પીએમ મોદીને પૂછ્યું કે ક્યારેક શિક્ષકની ગતિ આપણા કરતા ઝડપી હોય છે, જેના કારણે આપણે પાછળ રહી જઈએ છીએ. આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? પીએમ મોદીએ શિક્ષકોને વિદ્યાર્થીઓને એક ડગલું આગળ રાખવાનો પ્રયાસ કરવાની સલાહ આપી. આવી પરિસ્થિતિઓમાં, વિદ્યાર્થીઓએ ફક્ત એક ડગલું આગળ રહેવું જોઈએ; જો અંતર ખૂબ મોટું થઈ જાય, તો તે મુશ્કેલ બની જશે. આવી સ્થિતિમાં, શિક્ષકોએ વિદ્યાર્થીઓને આગામી અઠવાડિયા માટે તેમની શિક્ષણ યોજનાઓ વિશે જાણ કરવી જોઈએ, જેથી તેઓ અગાઉથી તૈયારી શરૂ કરી શકે. જ્યારે બાળકો અગાઉથી વાંચી લેશે, ત્યારે તેઓ સામગ્રીમાં રસ વિકસાવશે. 

Read Full Story arrow_forward
Civil Aviation Report : 754 વિમાનોમાંથી 50%માં ખામી, યાદીમાં ટોપ પર એર ઈન્ડિયા અને ઈન્ડિગો
calendar_today February 6, 2026

Civil Aviation Report : 754 વિમાનોમાંથી 50%માં ખામી, યાદીમાં ટોપ પર એર ઈન્ડિયા અને ઈન્ડિગો

તેમાં એર ઈન્ડિયા ગ્રુપ અને ઈન્ડિગોનો સૌથી મોટો હિસ્સો હોવાનું જણાવાયું છે. ગુરુવારે લોકસભામાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ આ માહિતી બહાર આવી છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગયા વર્ષે જાન્યુઆરીથી છ શેડ્યૂલ્ડ એરલાઇન્સના 754 વિમાનોમાં વારંવાર આવતી ખામીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમાંના 377 વિમાનોમાં પુનરાવર્તિત ટેકનિકલ ખામીઓ નોંધાઈ હતી.આ આંકડાઓએ ઉડ્ડયન ક્ષેત્રમાં મેન્ટેનન્સ અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ચર્ચા જગાવી છે.આ આંકડાઓએ ઉડ્ડયન ક્ષેત્રમાં મેન્ટેનન્સ અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ચર્ચા જગાવી છે. જોકે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે દરેક નોંધાયેલી ખામી ઉડાન માટે જોખમી હોય એવું જરૂરી નથી, પરંતુ સમયસર સુધારા અને નિયમિત તપાસ દ્વારા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે છે.50 ટકા વિમાનોમાં વિવિધ પ્રકારની ટેકનિકલ ખામીઓ મળી આવી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં તાજેતરની તપાસ બાદ મહત્વપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે. નિયમનકારી એજન્સી દ્વારા 754 વિમાનોની વિશેષ તપાસ કરવામાં આવી, જેમાંથી લગભગ 50 ટકા વિમાનોમાં વિવિધ પ્રકારની ટેકનિકલ ખામીઓ મળી આવી હતી. આ ખામીઓમાં મેન્ટેનન્સમાં વિલંબ, દસ્તાવેજી ભૂલો, સાધનોની સમયસર તપાસ ન થવી અને કેટલીક જગ્યાએ સુરક્ષા ધોરણોના પાલનમાં ઉણપ જેવી બાબતો સામેલ હતી.એર ઈન્ડિયા અને ઈન્ડિગો ટોચ પર રિપોર્ટ મુજબ સૌથી વધુ અનિયમિતતાઓ જે એરલાઇન્સના વિમાનોમાં નોંધાઈ, તેમાં એર ઈન્ડિયા અને ઈન્ડિગો ટોચ પર છે. જોકે “ટોચ પર” હોવાનો અર્થ એ નથી કે વિમાનો ઉડાન માટે અસુરક્ષિત હતા. આ એરલાઇન્સના વિમાન બેડા (ફ્લીટ)નો કદ મોટો હોવાથી તપાસ દરમિયાન વધુ કેસ નોંધાયા હોવાનું માનવામાં આવે છે. ભારતમાં ઈન્ડિગો પાસે 300થી વધુ વિમાનો છે, જ્યારે એર ઈન્ડિયા પણ ઝડપથી પોતાના બેડાનો વિસ્તાર કરી રહી છે. મોટો ફ્લીટ હોય ત્યારે ટેકનિકલ નોંધોની સંખ્યા વધુ હોવી સ્વાભાવિક છે. નિયમનકારીએ સંબંધિત એરલાઇન્સને નક્કી કરેલી સમયમર્યાદામાં ખામીઓ દૂર કરવાની સૂચના આપી છે. મોટા ભાગની ખામીઓ નાની હોવાનું જણાવાયું છે, જેને સુધારીને વિમાનોને ફરીથી સેવામાં રાખવામાં આવ્યા. ગંભીર કેસોમાં તાત્કાલિક સુધારા અથવા અસ્થાયી ગ્રાઉન્ડિંગ જેવા પગલાં પણ લેવામાં આવ્યા. વિશેષજ્ઞોના મતે આવી નિયમિત અને વિશેષ તપાસો ઉડ્ડયન સુરક્ષા મજબૂત બનાવવા માટે જરૂરી છે. ભારતનો ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સમયાંતરે સ્પોટ ચેક અને ઓડિટ દ્વારા સુરક્ષા ધોરણોની દેખરેખ રાખે છે.આ પણ વાંચો: Weather Update: ગાઢ ધુમ્મસ તો ક્યાંક ઠંડી સાથે વરસાદની શક્યતા, IMDની જાણો શું છે આગાહી

Read Full Story arrow_forward
Parixa Pe Charcha 2026 : સ્કિલ જીવનમાં અનિવાર્ય...સમય બરબાદ ન કરો.... વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંવાદ
calendar_today February 6, 2026

Parixa Pe Charcha 2026 : સ્કિલ જીવનમાં અનિવાર્ય...સમય બરબાદ ન કરો.... વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંવાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. બોર્ડના વિદ્યાર્થીઓ સાથે PM મોદી સાથે સંવાદ કર્યો. PM મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં આ 9મી વાર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. આ સંવાદમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને તેમના જીવન, અભ્યાસ અને ભવિષ્યની યોજનાને લઈને સૂચન કર્યા. PMએ કૌશલ્ય અને માર્ક્સ બન્નેના મહત્વ સમજાવ્યા. જીવન સર્વશ્રેષ્ઠ બને માટે તૈયારી કરો. સ્કિલ જીવનમાં અનિવાર્ય છે.

Read Full Story arrow_forward