Rajkotના ઉપલેટામાં મંદિરનો પૂજારી જ નીકળ્યો ચોર, પીઠડ માતાજી મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ સુવા પ્લોટ વિસ્તારમાં સ્થિત શ્રી પીઠડ માતાજી મંદિર ખાતે થયેલી ચોરીનો ભેદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલી લેવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, મંદિરનો પૂજારી જ ચોરીનો આરોપી હોવાનું બહાર આવ્યું છે.સોનાના દાગીના અને છત્ર સહિત કુલ રૂ. 11.80 લાખની ચોરી પીઠડ માતાજીના મંદિરમાં માતાજીને પહેરાવેલા સોનાના દાગીના અને છત્ર સહિત કુલ રૂ. 11.80 લાખની ચોરી અંગે ગઈકાલે રાતે ઉપલેટા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તપાસ શરુ કરી હતી ફરિયાદને ગંભીરતાથી લઈ પોલીસ મહાનિર્દેશક, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ ધોરાજી વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ શરૂ કરાઈ હતી. અંદરના જાણભેદુનો હાથ હોવાની આશંકા હતી પોલીસને શરૂઆતથી જ આ ચોરીમાં અંદરના જાણભેદુનો હાથ હોવાની આશંકા હતી. હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સીસથી મળેલી માહિતીના આધારે ઉપલેટા બાયપાસ રોડ અને ખાખી જાળીયા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાંથી મંદિરના પૂજારી ચંદ્રેશ ગુણવંત બાંભણીયાની ધરપકડ કરવામાં આવી. 15.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 15.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપલેટા પોલીસે ગણતરીના કલાકોમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે.આ પણ વાંચો----- Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?
Read Full Story arrow_forward