android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Republic Day 2026: 26મી જાન્યુઆરીની પરેડમાં કઇ વસ્તુઓ લઇ જઇ શકાય અને કઇ વસ્તુઓ પર છે પ્રતિબંધ, જાણો
calendar_today January 20, 2026

Republic Day 2026: 26મી જાન્યુઆરીની પરેડમાં કઇ વસ્તુઓ લઇ જઇ શકાય અને કઇ વસ્તુઓ પર છે પ્રતિબંધ, જાણો

દિલ્હીના કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડનું આયોજન કરાય છે. આ પરેડમાં રાષ્ટ્રપતિ, પીએમ અને વિદેશ મહેમાન સામેલ થાય છે. નિયમોની માહિતી છે જરુરી કેટલીકવાર લોકો અજાણ્યા એવી વસ્તુઓ પોતાની સાથે લઇને આવે છે જે પરેડમાં વિધ્ન ઉભુ કરી શકે છે. અને નિયમો વિરુદ્ધ હોય છે. આ જ કારણે લોકોને પરેડ જોવા માટે પ્રવેશ મળતો નથી. પરેડ જોવા જાવ ત્યારે નિયમોની માહિતી અચુક રાખવી. આ વસ્તુઓ રાખી શકો છો સાથે 26 જાન્યુઆરીની પરેડ જોવા માટે કર્તવ્ય પથ પર પ્રવેશ લેવા માટે અમુક જરુરી વસ્તુઓ તમારી પાસે હોવી જોઇએ. આ વસ્તુઓમાં પ્રવેશ ટીકીટ, ઓળખ પત્રોનો સમાવેશ થાય છે. જેના કારણે સુરક્ષા તપાસમાં વધુ સમય ન વેડફાય. આ વસ્તુઓ પર પ્રતિબંધ સુરક્ષા કારણોથી કેટલીક વસ્તુઓ 26 જાન્યુઆરીની પરેડમાં લઇ જઇ શકાય નહી. તેમાં ચાકુ, કાતર, બ્લેડ, નેલકટર જેવી વસ્તુઓ ન લઇ જઇ શકો. આ ઉપરાંત સિગરેટ, ગુટખા, તંબાકુ, દારુ પર પ્રતિબંધ લગાવાયો છે. માચિસ, લાઇટર જેવા જ્વલનશીલ સામાન પણ ન લઇ જઇ શકો. જો તમારી પાસે કેમેરા, ડ્રોન, ખાવા-પીવાની વસ્તુઓ અથવા રેકોર્ડિંગ ડિવાઇસ જો મળે તો તેમને ગેટ પર જ રોકી દેવામાં આવશે. પ્રવેશ સમયે આ વાતનું રાખો ધ્યાન ? નક્કી કરાયેલા એન્ટ્રી અને એગ્ઝિટ ગેટનો જ કરો ઉપયોગ, પોલીસ અને સુરક્ષાકર્મીઓના નિર્દેશનું પાલન કરો. પરવાનગી વિના ફોટો અને વીડિયો ન લો. વધુ ખીસ્સા અને લેયર વાળા કપડા ન પહેરો. સરળ અને સાદા કપડા પહેરો. આ પણ વાંચોઃ Iran Protest 2026 News: ત્રણ મુખ્ય સંકેતોના કારણે ઇરાન પર અમેરિકાના હુમલાનો વધ્યો ભય 

Read Full Story arrow_forward
Republic Day 2026: સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ વચ્ચે શું છે તફાવત? જાણો
calendar_today January 20, 2026

Republic Day 2026: સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ વચ્ચે શું છે તફાવત? જાણો

દેશમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ એક રાષ્ટ્રીય તહેવાર છે. ભારતમાં ઘણા રાષ્ટ્રીય તહેવારો છે, જેમાં ગણતંત્ર દિવસ પણ સામેલ છે. ભારતની આઝાદી સાથે સંબંધિત આ બંને રાષ્ટ્રીય તહેવારો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનું ઐતિહાસિક મહત્વ પણ છે.સ્વતંત્રતા દિવસ ક્યારે ?  1947 પહેલા ભારત અંગ્રેજોની ગુલામીમાં હતું. જો કે, ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ઘણા બહાદુર સપૂતોએ પોતાના જીવનનું બલિદાન આપીને દેશને આઝાદી અપાવી હતી. જે દિવસે ભારત આઝાદ થયું તે દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાથે જ સ્વતંત્ર ભારતને લોકશાહી રાષ્ટ્ર બનાવવામાં આવ્યું હતું. જે દિવસે ભારતમાં બંધારણ અમલમાં આવ્યું તે દિવસને ગણતંત્ર દિવસ કહેવામાં આવે છે. પરંતુ ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ વચ્ચે ઘણા તફાવત છે. તફાવત માત્ર તારીખો સુધી મર્યાદિત નથી, પણ ઇતિહાસ, નેતૃત્વ અને ઉજવણીની પદ્ધતિઓમાં પણ છે.15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો ઈતિહાસ તારીખો પ્રમાણે બંને રાષ્ટ્રીય તહેવારોમાં તફાવત છે. તેમનો ઈતિહાસ તારીખ પરથી સમજી શકાય છે. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત બ્રિટિશ શાસનની ગુલામીમાંથી આઝાદ થયું. ભારતનો સ્વતંત્રતા દિવસ દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. ભારતનું બંધારણ દેશની આઝાદીના લગભગ ત્રણ વર્ષ પછી 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. બંધારણના અમલ પછી, ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું હતું. એટલે કે એક પ્રજાસત્તાક દેશ જે હવે વિદેશી દેશોના નિર્ણયો અને આદેશોનું પાલન કરવા માટે બંધાયેલો નથી. ત્યારથી આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તિરંગો ફરકાવવામાં તફાવત કોઈપણ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે સરકારી અને બિનસરકારી કચેરીઓ પર તિરંગો ફરકાવવામાં આવે છે. જો કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ તિરંગો ફરકાવાની રીતમાં તફાવત છે. બંને દિવસે દેશભરમાં ધ્વજવંદન થાય છે. જો કે, સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજવંદન થાય છે, જેમાં નીચેથી દોરડું ખેંચીને ધ્વજ ફરકાવવામાં આવે છે. જ્યારે પ્રજાસત્તાક દિવસના અવસરે 26મી જાન્યુઆરીએ ત્રિરંગો માત્ર ઉપરની તરફ બાંધવામાં આવે છે. તે સંપૂર્ણ રીતે ખોલવામાં આવે છે અને ફરકાવવામાં આવે છે. બંધારણમાં આ પ્રક્રિયાને ફ્લેગ અનફર્લિંગ કહેવામાં આવે છે. નેતૃત્વનું હોય છે અંતર બંને દિવસે રાષ્ટ્રધ્વજ અલગ-અલગ રીતે ફરકાવવામાં આવે છે પરંતુ બંને વચ્ચેનો બીજો તફાવત તિરંગો ફરકાવનાર નેતૃત્વનો છે. સ્વતંત્રતા દિવસના અવસર પર દેશના વડાપ્રધાન દ્વારા ધ્વજ ફરકાવવામાં આવે છે. આઝાદી સમયે જ્યારે દેશનું બંધારણ અમલમાં નહોતું ત્યારે સર્વોચ્ચ પદ વડા પ્રધાનનું હતું. તેથી, ત્યારથી ધ્વજારોહણની પરંપરા વડાપ્રધાન દ્વારા પૂર્ણ થાય છે. જો કે, જ્યારે ભારતનું બંધારણ પ્રજાસત્તાક દિવસે અમલમાં આવ્યું ત્યારે દેશની બંધારણીય સત્તા રાષ્ટ્રપતિને સોંપવામાં આવી હતી. બંધારણીય વડા હોવાને કારણે રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ ત્રિરંગો ધ્વજ ફરકાવે છે અને દેશને સંદેશ આપે છે. તિરંગો ફરકાવવાની જગ્યા પણ અલગ 15 ઓગસ્ટે વડા પ્રધાન ધ્વજ ફરકાવે છે અને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ત્રિરંગો ફરકાવે છે. એક તફાવત બંને ઉજવવાની જગ્યા છે. સ્વતંત્રતા દિવસની ધ્વજવંદન સમારંભ દિલ્હીના લાલ કિલ્લા પરથી થાય છે. ગણતંત્ર દિવસના અવસરે દિલ્હીના રાજપથ પર ત્રિરંગો ફરકાવવામાં આવે છે.

Read Full Story arrow_forward
Republic Day 2026: શું છે ગણતંત્રનો સાચો અર્થ? જાણો 26 જાન્યુઆરીએ કેવી રીતે બદલાઈ ગયું દરેક ભારતીયોનું નસીબ
calendar_today January 20, 2026

Republic Day 2026: શું છે ગણતંત્રનો સાચો અર્થ? જાણો 26 જાન્યુઆરીએ કેવી રીતે બદલાઈ ગયું દરેક ભારતીયોનું નસીબ

ભારતના ઇતિહાસમાં 26 જાન્યુઆરી 1950ની સવાર એક નવો સૂર્યોદય લઈને આવી હતી. આ એ દિવસ હતો જ્યારે ભારત માત્ર સ્વતંત્ર જ નહીં, પણ એક સંપ્રભુ લોકશાહી ગણરાજ્ય બન્યું. આજે જ્યારે આપણે 2026માં આ પર્વ ઉજવી રહ્યા છીએ, ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓથી લઈને સામાન્ય ચર્ચાઓમાં એક પ્રશ્ન હંમેશા ગુંજે છે કે 'ગણતંત્ર' હોવાનો વાસ્તવિક અર્થ શું છે?ગણતંત્ર એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો, 'ગણ' એટલે જનતા અને 'તંત્ર' એટલે વ્યવસ્થા. ગણતંત્ર (Republic) એવી શાસન વ્યવસ્થા છે જ્યાં દેશનો સર્વોચ્ચ વડો રાષ્ટ્રપતિ વંશપરંપરાગત રીતે નહીં, પરંતુ જનતા દ્વારા પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ચૂંટવામાં આવે છે. રાજતંત્ર vs ગણતંત્ર: રાજતંત્રમાં સર્વોચ્ચ સત્તા રાજા પાસે હોય છે, જ્યારે ગણતંત્રમાં સત્તાનો અંતિમ સ્ત્રોત દેશની જનતા છે. સંવિધાનનું શાસન: ગણતંત્રનો અર્થ છે કે દેશ કોઈ વ્યક્તિની મરજીથી નહીં, પણ સંવિધાનમાં લખાયેલા કાયદાઓથી ચાલશે. તે નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની ખાતરી આપે છે. 26 જાન્યુઆરીનું ઐતિહાસિક મહત્વ ભારતનું સંવિધાન તો 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થઈ ગયું હતું, જેને આપણે 'સંવિધાન દિવસ' તરીકે ઉજવીએ છીએ. પરંતુ, તેને લાગુ કરવા માટે 26 જાન્યુઆરી 1950ની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી? તેની પાછળ એક ખાસ કારણ હતું. 26 જાન્યુઆરી 1930ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બ્રિટિશ શાસન સામે પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી હતી. આ ઐતિહાસિક દિવસની યાદને જીવંત રાખવા માટે 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો. દરેક ભારતીયને મળી નવી ઓળખ 26 જાન્યુઆરી 1950 પહેલા ભારત એક બ્રિટિશ ડોમિનિયન હતું, પરંતુ આ દિવસે ડો. રાજેન્દ્ર પ્રસાદે પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને ભારત સંપૂર્ણપણે આઝાદ ગણતંત્ર બન્યું. આ દિવસે જ ભારતીયોને આ પ્રમાણેની નવી ઓળખ મળી હતી.જેમાં મત આપવાનો અધિકાર: ગરીબ હોય કે અમીર, દરેકને પોતાની સરકાર પસંદ કરવાનો સમાન અધિકાર મળ્યો, મૂળભૂત અધિકારો: અભિવ્યક્તિની આઝાદી, શિક્ષણનો અધિકાર અને અન્યાય સામે લડવાની શક્તિ સંવિધાને આપી, કાયદા સમક્ષ સમાનતા: કોઈ પણ હોદ્દો કે જાતિ કાયદાથી ઉપર નથી, તે સિદ્ધાંત આ દિવસે સ્થાપિત થયો. ગણતંત્ર દિવસ એ માત્ર પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આપણા લોકશાહી મૂલ્યોના જતનનો દિવસ છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક એવા દેશના નાગરિક છીએ જ્યાં જનતા પોતે જ ભાગ્યવિધાતા છે. આ પણ વાંચોઃ Republic Day 2026: 26મી જાન્યુઆરીની પરેડમાં કઇ વસ્તુઓ લઇ જઇ શકાય અને કઇ વસ્તુઓ પર છે પ્રતિબંધ, જાણો

Read Full Story arrow_forward