android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો વિદેશ પ્રવાસ, દાવોસ ખાતે ઓપન AIના ક્રિસ લેહાન સાથે મહત્વની બેઠક
calendar_today January 20, 2026

Gandhinagar : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો વિદેશ પ્રવાસ, દાવોસ ખાતે ઓપન AIના ક્રિસ લેહાન સાથે મહત્વની બેઠક

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાલમાં વિદેશ પ્રવાસ પર છે. દાવોસ ખાતે આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન તેમણે ઓપન AIના પ્રતિનિધિ ક્રિસ લેહાન સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.ગુજરાતમાં સંભવિત રોકાણ અંગે વિસ્તૃત ચર્ચા આ બેઠક દરમિયાન ગુજરાતમાં સંભવિત રોકાણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ, રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના વહીવટી ઉપયોગ કેવી રીતે વધારી શકાય તે મુદ્દે પણ વિચારવિમર્શ થયો હતો. AIના વ્યાપક ઉપયોગ, ડિજિટલ ઇકોસિસ્ટમના વિકાસની ચર્ચા બેઠકમાં AIના વ્યાપક ઉપયોગ, ડિજિટલ ઇકોસિસ્ટમના વિકાસ અને ટેક્નોલોજી આધારિત શાસન પદ્ધતિને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં નવીન ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જેમ જેમ AI પ્રગતિ કરી રહ્યું છે, તેમ તેમ ગુજરાત આત્મવિશ્વાસપૂર્વક ભવિષ્યમાં આગળ વધી રહ્યું છે!  નાયબ મુખ્યમંત્રી હર્ષ આર. સંઘવીએ AI અપનાવવા અને હાઇ-ટેક પરિવર્તનના આગામી તબક્કાના માર્ગો શોધવા માટે OpenAI ના ક્રિસ લેહાને સાથે મુલાકાત કરી. એક મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વધતા જતા પ્રતિભા એન્જિન સાથે, ગુજરાત એક એવી ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે જ્યાં નવી ટેકનોલોજીનો વિકાસ થઈ શકે છે. આ મજબૂત ચર્ચાએ જવાબદાર AI, અદ્યતન ક્ષમતાઓ અને વિશ્વભરના નવીનતા પર આધારિત ભવિષ્ય પર સહિયારા ધ્યાન કેન્દ્રિત કર્યું.આ પણ વાંચો-----    Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે

Read Full Story arrow_forward
Indore Millionaire Beggar News : ઇન્દોરના ‘કરોડપતિ ભિખારી’ કેસમાં નવો વળાંક,  માંગીલાલ ભિખારી નથી...પરિવારનો દાવો
calendar_today January 20, 2026

Indore Millionaire Beggar News : ઇન્દોરના ‘કરોડપતિ ભિખારી’ કેસમાં નવો વળાંક, માંગીલાલ ભિખારી નથી...પરિવારનો દાવો

ભારતમાં ભિક્ષુક દેખાતી વ્યક્તિ કરોડપતિ નીકળી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ વ્યક્તિ ઇન્દોરના રહેવાસી માંગીલાલ છે. ગઇકાલ 19 જાન્યુઆરીના રોજ સમાચાર સામે આવ્યા હતા કે ઇન્દોરમાં સરાફા બજારમાં લાકડીની ગાડી પર બેસેલા અપંગ માંગીલાલ એક ભિક્ષુક છે. પરંતુ તેઓ કરોડોની સંપત્તિના માલિક પણ છે. માંગીલાલના પરિવારે દાવાઓ પર ખુલાસો કર્યો છે. પરિવારે સરકારના દાવાઓને ખોટા ગણાવ્યા છે. ભિક્ષુક માંગીલાલ કરોડપતિ હોવા પર પરિવારનો ખુલાસોઇન્દોરના સરાફા વિસ્તારમાં દેખાતા ભિક્ષુક માંગીલાલને રેસ્ક્યૂ કરતા જાણવા મળ્યુ હતુ કે, તેઓ કરોડોની સંપત્તિના માલિક છે. માંગીલાલ પાસે ત્રણ મકાન, એક રિક્ષા અને એક કાર છે. વહીવટીતંત્ર દ્વારા દાવો કરાયા કે ભિક્ષુક દેખાતા માંગીલાલ ત્રણ મકાનના માલિક છે. તેમની પાસે ત્રણ ઓટો-રિક્ષા અને એક કાર પણ છે. રીક્ષા તેમણે ભાડે આપી દીધી છે અને કાર માટે તેઓ ડ્રાઇવર રાખતા હતા. તંત્રના આ દાવાઓ બાદ આ કિસ્સાએ સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. લોકોએ માંગીલાલને કરોડપતિ અને અબજોપતિ ભિખારી કહેવાનું શરૂ કર્યું. માંગીલાલના પરિવાર એટલે કે તેમના ભત્રીજાએ આ બાબતે મૌન તોડયું છે. માંગીલાલના ભત્રીજાએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી.માંગીલાલના ભત્રીજાએ તંત્રના દાવા પર ઉઠાવ્યા સવાલમાંગીલાલના ભત્રીજાએ કહ્યું કે તેઓ ભિખી માગવા નહીં પણ  પણ વસૂલાત માટે જતા હતા. તે કરોડપતિ હોવાના વહીવટીતંત્રના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા. તેમના ભત્રીજાએ સવાલ ઉઠાવતા કહ્યું કે "મારા કાકાની મિલકત અંગે ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે. તેમના નામ જે ત્રણ માળનું ઘર છે તે મારી માતાના નામે નોંધાયેલું છે. સરકારી રેકોર્ડમાં બધું સ્પષ્ટ છે. હું તે ઘર માટે લીધેલી લોનના હપ્તા વ્યક્તિગત રીતે ચૂકવું છું. અમારી પાસે તેને લગતા બધા દસ્તાવેજો છે." તેમણે એમ પણ કહ્યું કે પરિવાર બીજા વ્યક્તિ સાથે બીજા ઘર અંગે વિવાદમાં ફસાયેલો છે, જે હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે.માંગીલાલનો સમગ્ર મામલો કયારે બહાર આવ્યોઇન્દોર વહીવટીતંત્ર દ્વારા એક અભિયાન હાથ ધરાયું હતું. શહેરમાં રસ્તે રખડતા ભિખારીઓને આશ્રય મળે તેને લઈને એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. શહેરને ભિખારીથી મુક્ત કરવાની આ ઝુંબેશમાં તેઓ વિસ્તાર મુજબ માહિતી લઈ રહ્યા હતા. દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગને સ્થાનિક રહેવાસીઓ પાસેથી માહિતી મળી કે સરાફા વિસ્તારમાં એક રક્તપિત્તગ્રસ્ત વ્યક્તિ ભીખ માંગી રહ્યો છે. જેના બાદ વિભાગના અધિકારીઓએ માંગીલાલને મદદ કરવા તેને આશ્રય ગૃહમાં મોકલી દીધો. પ્રાથમિક તપાસમાં નોડલ ઓફિસર દિનેશ મિશ્રાને જાણવા મળ્યું કે માંગીલાલ 2021-22 થી ભીખ માંગી રહ્યો છે. ભિક્ષુક માંગીલાલે બુલિયન માર્કેટમાં રૂપિયા ઉધાર આપ્યા નોડલ ઓફિસર દિનેશ મિશ્રાએ આ મામલે વધુ માહિતી આપતા કહ્યું કે માંગીલાલ 2021-22 થી ભીખ માગી રહ્યો છે પરંતુ તેણે બુલિયન માર્કેટમાં વ્યાજ પર 4 થી 5 લાખ રૂપિયા ઉછીના આપ્યા છે, જેનાથી તેમને દરરોજ 1000 થી 2000 રૂપિયાની આવક થતી હતી. વધુમાં, તેઓ ભીખ માંગીને દરરોજ 400 થી 500 રૂપિયા કમાતા હતા. તેમણે ઉમેર્યું હતું કે માંગીલાલને એક આશ્રય ગૃહમાં રાખવામાં આવ્યો છે. વહીવટીતંત્રે કહ્યું કે માંગીલાલની સંપત્તિ વિશે પ્રાથમિક માહિતી મળી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તમામ તથ્યો અને દસ્તાવેજોની તપાસ કર્યા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો : Indore Millionaire Beggar News: ત્રણ મકાન, એક રિક્ષા અને એક કારના માલિક છે ભિક્ષુક માંગીલાલ, સપંત્તિ જાણીને આંખો થઇ જશે પહોળી

Read Full Story arrow_forward
PM Modiએ બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતન નબીનનું કર્યુ સ્વાગત, જુઓ તસવીરો
calendar_today January 20, 2026

PM Modiએ બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતન નબીનનું કર્યુ સ્વાગત, જુઓ તસવીરો

બીજેપીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની પસંદગી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં નવીન પ્રકરણ શરૂ થઈ ગયું છે. ભાજપના કાર્યકારી પ્રમુખ નીતિન નવીન ઔપચારિક રીતે પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. 

Read Full Story arrow_forward