android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad માં બજરંગદળના કાર્યકરોની દાદાગીરી!, મહિલાની છેડતી મામલે યુવકને માર મારતા ફરિયાદ
calendar_today January 20, 2026

Ahmedabad માં બજરંગદળના કાર્યકરોની દાદાગીરી!, મહિલાની છેડતી મામલે યુવકને માર મારતા ફરિયાદ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વિરાટ નગર ચાર રસ્તા પાસે બજરંગદળના કાર્યકરો દ્વારા કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, મહિલાની છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે બજરંગદળના નામે આવેલા 7 થી 8 લોકોના ટોળાએ બે યુવકો પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલાનો ભોગ બનનારાઓમાં એક MBBSનો અભ્યાસ કરતો વિદ્યાર્થી પણ સામેલ છે. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. હુમલાખોરોએ કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે કાયદાકીય પ્રક્રિયાને અનુસરવાને બદલે યુવકોને બેરહેમીથી ફટકાર્યા હતા.હિંસક હુમલો આ મામલે ઈજાગ્રસ્ત યુવકો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા અમદાવાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ હિંસક હુમલામાં સામેલ બજરંગદળના 3 કાર્યકરોની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 4 થી 5 શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ સંગઠન કે વ્યક્તિને કાયદો હાથમાં લેવાની સત્તા નથી. હાલમાં વિરાટ નગર વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કે ખરેખર છેડતીની ઘટના બની હતી કે માત્ર શંકાના આધારે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો : Daman માં દીપડાની દહેશત, ડાભેલના રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ

Read Full Story arrow_forward
Ahmedabad: જેલ વિભાગના નિવૃત્ત કર્મચારીઓનો વાર્ષિક સ્નેહમિલન સમારોહનું કરાયું આયોજન
calendar_today January 20, 2026

Ahmedabad: જેલ વિભાગના નિવૃત્ત કર્મચારીઓનો વાર્ષિક સ્નેહમિલન સમારોહનું કરાયું આયોજન

ગુજરાત જેલ વિભાગ સેવા નિવૃત્ત સ્ટાફ મંડળ, અમદાવાદ દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2026, રવિવાર ના રોજ એક ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી જેલ સ્ટાફ તાલીમ શાળાના કેમ્પસમાં યોજાયેલા આ 9માં વાર્ષિક કાર્યક્રમમાં આશરે 300 જેટલા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દિવંગત સાથી મિત્રોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ કાર્યક્રમની શરૂઆતમાં જેલ સેવા દરમિયાન સાથે રહી ચુકેલા અને હાલ હયાત ન હોય તેવા દિવંગત સાથી મિત્રોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે મંડળ દ્વારા ખાસ સન્માન સમારોહ પણ યોજાયો હતો, જેમાં 70 વર્ષથી વધુ વયના નિવૃત્ત વડીલોનું બહુમાન કરાયું. જેલ સેવામાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર અધિકારીઓનું સન્માન થયું. વર્ષ 2025માં નિવૃત્ત થયેલા નવા સભ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. વર્તમાન નિવૃત્તિ જીવનની પરસ્પર ચર્ચાઓ કરાઇ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા નિવૃત્ત ડી.આઈ.જી. એ.કે. પંડ્યા તથા અન્ય સિનિયર અધિકારીઓએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. વર્ષો સુધી જેલની શિસ્તબદ્ધ દિવાલો વચ્ચે ફરજ બજાવનાર કર્મચારીઓએ એકબીજા સાથે મળીને ભૂતકાળના અનુભવો વાગોળ્યા હતા અને વર્તમાન નિવૃત્તિ જીવનની પરસ્પર ચર્ચાઓ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેલ વિભાગની વડી કચેરી, જેલ સ્ટાફ તાલીમ શાળા અને અમદાવાદ મધ્યસ્થ જેલના વહીવટી તંત્રનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો. આ સ્નેહમિલને સાબિત કર્યું કે ખાખી વર્દી ઉતાર્યા પછી પણ સેવા અને સ્નેહના સંબંધો અતૂટ રહે છે. આ પણ વાંચોઃ Surat: SOGનો માસ્ટરસ્ટ્રોક, 5.85 કરોડના કોબ્રા ઝેર સાથે વકીલ સહિત 7 શખ્સો ઝડપાયા

Read Full Story arrow_forward
Jasdan: જામીન પર છુટેલા દુષ્કર્મના આરોપીએ મહિલાને તથા પાલિકાના અધિકારીઓને ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ
calendar_today January 20, 2026

Jasdan: જામીન પર છુટેલા દુષ્કર્મના આરોપીએ મહિલાને તથા પાલિકાના અધિકારીઓને ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ

જસદણ નગરપાલિકામાં ફરજ બજાવતા દુષ્કર્મના આરોપી પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિક્કુભાઇ બારૈયા દ્વારા જસદણ નગરપાલિકાના અધિકારી અને કર્મચારી તેમજ ફરિયાદીને ધાક ધમકી આપતા તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તેના જામીન નામંજૂર કરવામાં આવે અને ફરજમાંથી મુક્ત કરવામાં આવે તેવી દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાએ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જસદણ પોલીસને લેખિતમાં ફરિયાદ કરી છે. મહિલા કર્મચારીએ પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી એક મહિના પહેલા જસદણ નગરપાલિકામાં સાફ-સફાઈ તરીકે કામ કરનારી મહિલા કર્મચારીએ તેમના સુપરવાઇઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશન માં દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી હતી. દોઢ વર્ષ પહેલા નવી નગરપાલિકા બનતી હતી ત્યારે સુપરવાઇઝર દ્વારા મહિલા કર્મચારીને નગરપાલિકામાં સાફ સફાઈ કરવા માટે મોકલેલી ત્યારબાદ વિઝીટના બહાને મહિલા જે રૂમમાં કામ કરતી હતી તે રૂમમાં સુપરવાઇઝર ગયો અને ધાક ધમકી આપી તને અને તારા પતિને નોકરીમાંથી છૂટા કરી દઇશ એવો ડર બતાવી અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું . કલ્પેશની ધરપકડ કરાઇ હતી મહિલા કર્મચારીએ 16-12-2025 ના સુપરવાઇઝર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને 17-12-2025 ના રોજ તેની ધરપકડ કરાઇ હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવેલો હતો મહિલા કર્મચારીએ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જસદણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી જસદણ નગરપાલિકામાં દુષ્કર્મ નો ભોગ બનનાર મહિલા કર્મચારીએ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જસદણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ લખાવી છે કે પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા જેને મહિલા કર્મચારી સાથે દુષ્કર્મ આચર્યું હતું જે પાંચ દિવસ પહેલા જેલમાંથી શરતી જામીન પર છૂટ્યો છે તેના દ્વારા મહિલાને ધમકી આપવામાં આવે છે કે તું ફરિયાદ પાસે ખેંચી લે નહિતર તને અને તારા ઘરવાળાને જાનથી મારી નાખીશ તેમજ નગરપાલિકામાં નોકરી કરવા નહીં દઉં. સુપરવાઇઝર તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવે મહિલા દ્વારા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને જસદણ પોલીસને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે કે આ વ્યક્તિના શરતી જામીન નામંજૂર થાય તેમ જ આને નગરપાલિકામાં સુપરવાઇઝર તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવે જો આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો મને એને મારા પતિના જીવને જોખમ છે અધિકારીઓને ધમકી અપાઇ ખાલી મહિલાને નહીં પણ સુપરવાઇઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ બારૈયા દ્વારા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને ધમકી આપવામાં આવે છે તેમજ મહેકમ શાખાના અધિકારીને અને બીજા સુપરવાઇઝરને પણ ધમકી આપવામાં આવી છે તેને લઇ નગરપાલિકાના કર્મચારીઓ ગભરાઈ ગયા છે જેલમાંથી છૂટ્યા બાદ ચીફ ઓફિસર ની મંજૂરી લીધા વગર નોકરી પર આવી ગયો અને કર્મચારીઓને ધમકાવવા લાગ્યો છે. મહેકમ શાખાના અધિકારી દ્વારા જસદણ નગરપાલિકાના સેનેટરી વોટ્સપ ગ્રુપમાંથી રીમુવ કરતા પ્રકાશ ઉર્ફે કલ્પેશ બારૈયા એ અધિકારી અને કર્મચારીઓને તમને જોઈ લઈ તમારા વિરુદ્ધ ફરિયાદ કરી ધમકી આપી હતી. કાયદેસરની કાર્યવાહી કરવાની માગ  ચીફ ઓફિસર દ્વારા કર્મચારી અને ભોગ બનનાર મહિલા ની અરજીને લઈને જસદણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે દુષ્કર્મના આરોપી પ્રકાશ ઉર્ફે કલ્પેશ બારૈયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.આ પણ વાંચો-----   Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે

Read Full Story arrow_forward