Surendranagar News: તરણેતરની પવિત્ર ભૂમિ પર મર્યાદા લોપાઈ, એક કાર્યક્રમમાં ક્લબ ડાન્સરના ઠુમકા થયા વાયરલ
સુરેન્દ્રનગર: વિશ્વવિખ્યાત મેળા માટે જાણીતી અને આધ્યાત્મિક રીતે અત્યંત પવિત્ર ગણાતી તરણેતરની ધરતી પર ફરી એકવાર વિવાદ સર્જાયો છે. અહીં કૃષ્ણ ગૌશાળા અને અનસૂયા આશ્રમના લાભાર્થે આયોજિત એક ઇનામી ડ્રોના કાર્યક્રમમાં ક્લબ ડાન્સરોના ડાન્સ રાખવામાં આવતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ભક્તિ અને સેવાના નામે અશ્લીલતા? ગૌશાળા અને આશ્રમ માટે ફંડ એકઠું કરવાના હેતુથી ટિકિટ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ સેવાકીય કાર્યક્રમમાં મર્યાદાઓ ઓળંગીને સ્ટેજ પર ક્લબ ડાન્સરો પાસે હિન્દી ફિલ્મોના ગીતો પર ઠુમકા લગાવવામાં આવ્યા હતા. ગ્રામજનોની હાજરીમાં જાહેર સ્ટેજ પર આ પ્રકારે થયેલા ડાન્સના કારણે પવિત્ર ભૂમિની ગરિમાને લાંછન લાગ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વારંવાર થતી ઘટનાઓથી રોષ નોંધનીય છે કે અગાઉ પણ તરણેતરના મેળા દરમિયાન આ પ્રકારના ડાન્સના વીડિયો વાયરલ થયા હતા અને વિવાદ થયો હતો. પાવનભૂમિ પર ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોના ઓઠા હેઠળ આ પ્રકારના મનોરંજનના કાર્યક્રમો યોજવા તે સંસ્કૃતિનું અપમાન હોવાનું લોકો માની રહ્યા છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ આયોજકો સામે સવાલો ઉઠી રહ્યા છે કે શું ગૌસેવા માટે આવા ડાન્સ કરાવવા અનિવાર્ય છે? આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે અને લોકો આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે જે ધર્મના નામે મર્યાદાઓ ભૂલી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward