Halvadના રણજીતગઢ ગામે કેન્સરની બીમારી અને આર્થિક તંગીથી કંટાળી ખેડૂતનો આપઘાત
મોરબીના હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા 53 વર્ષીય ખેડૂત છોટાલાલભાઈએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા 12 વર્ષથી મોઢાના કેન્સર જેવી જીવલેણ બીમારી સામે જંગ લડી રહેલા ખેડૂતે અંતે હારીને મોતનો માર્ગ પસંદ કર્યો હતો.છેલ્લા 12 વર્ષથી કેન્સરથી પીડાતા હતા ખેડૂત છોટાલાલભાઈ લાંબા સમયથી કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા. બીમારીના કારણે સતત થતી શારીરિક પીડા અને લાંબી સારવારના ખર્ચને લીધે ઊભી થયેલી આર્થિક તંગીથી તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. હતાશામાં આવી જઈને તેમણે ખેતરમાં પડેલી સૂકી કડબ (ઘાસ) ના ઢગલામાં જાતે જ આગ લગાવી હતી અને ત્યારબાદ તેમાં કૂદીને અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ભયાનક રીતે થયેલા આપઘાતને પગલે પરિવાર અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આપઘાત અંગે હળવદ પોલીસે તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સતત 12 વર્ષ સુધી બીમારી સામે ઝઝૂમ્યા બાદ અસહ્ય વેદનાને કારણે તેમણે આ પગલું ભર્યું હતું. હળવદ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓની માનસિક સ્થિતિ અને તેમના પરિવારોની આર્થિક લાચારી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward