android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Halvadના રણજીતગઢ ગામે કેન્સરની બીમારી અને આર્થિક તંગીથી કંટાળી ખેડૂતનો આપઘાત
calendar_today January 16, 2026

Halvadના રણજીતગઢ ગામે કેન્સરની બીમારી અને આર્થિક તંગીથી કંટાળી ખેડૂતનો આપઘાત

મોરબીના હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા 53 વર્ષીય ખેડૂત છોટાલાલભાઈએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા 12 વર્ષથી મોઢાના કેન્સર જેવી જીવલેણ બીમારી સામે જંગ લડી રહેલા ખેડૂતે અંતે હારીને મોતનો માર્ગ પસંદ કર્યો હતો.છેલ્લા 12 વર્ષથી કેન્સરથી પીડાતા હતા ખેડૂત છોટાલાલભાઈ લાંબા સમયથી કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા. બીમારીના કારણે સતત થતી શારીરિક પીડા અને લાંબી સારવારના ખર્ચને લીધે ઊભી થયેલી આર્થિક તંગીથી તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. હતાશામાં આવી જઈને તેમણે ખેતરમાં પડેલી સૂકી કડબ (ઘાસ) ના ઢગલામાં જાતે જ આગ લગાવી હતી અને ત્યારબાદ તેમાં કૂદીને અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ભયાનક રીતે થયેલા આપઘાતને પગલે પરિવાર અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આપઘાત અંગે હળવદ પોલીસે તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સતત 12 વર્ષ સુધી બીમારી સામે ઝઝૂમ્યા બાદ અસહ્ય વેદનાને કારણે તેમણે આ પગલું ભર્યું હતું. હળવદ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓની માનસિક સ્થિતિ અને તેમના પરિવારોની આર્થિક લાચારી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiadમાં રખડતા ઢોરોનો ત્રાસ, શહેરીજનોમાં રોષ, પાલિકા ટીમ પર આક્ષેપો
calendar_today January 16, 2026

Nadiadમાં રખડતા ઢોરોનો ત્રાસ, શહેરીજનોમાં રોષ, પાલિકા ટીમ પર આક્ષેપો

નડિયાદ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. શહેરીજનો કહે છે કે રસ્તાઓ પર કાયદાનું નહીં, પરંતુ ઢોરોનું શાસન જોવા મળ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગાઉ ઢોર પોલિસીની કડક અમલની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત રહેતાં શહેરીજનોને હવે ભારે ત્રાસ ભોગવવો પડે છે.ઢોરો ભરપૂર ઝડપે દોડ્યા તાજેતરમાં શહેરના ભારચક સોશિયલ ક્લબ રોડથી સરદાર ભવન થઈને મીલ રોડ સર્કલ સુધીના વિસ્તારમાં ઢોરો ભરપૂર ઝડપે દોડ્યા હતા. આ ભયાવહ દ્રશ્યોમાં વાહનચાલકો અને રાહદારીઓમાં ફફડાટ મચી ગયો. લોકોએ જીવ બચાવવા માટે રસ્તા પરથી દોડવું પડ્યું. મીલ રોડ પર થોડી ક્ષણો માટે અફરા-તફરીનું વાતાવરણ સર્જાયું. શહેરીજનોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ શહેરીજનોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઢોર પકડવાની કામગીરી માટે બનેલી પાલિકા ટીમ પર આરોપો લગાવવામાં આવ્યા છે કે તેઓ ઢોર માલિકો સાથે ગાઢ સંબંધોમાં હોવાથી કામગીરી ખરો અસરકારક નથી.રખડતા ઢોરોનો ત્રાસ દિવસાંતરે વધતો જાય છે. આ પણ વાંચો-----     Vadodaraના વિકાસ માટે પાલિકાએ લોકો પાસેથી સૂચનો મંગાવ્યા, 2026–27ના બજેટ માટે અભિપ્રાય આપવા અપીલ

Read Full Story arrow_forward
Gujarat Budget 2026 : ગુજરાત બજેટ સત્રને લઇ મોટા સમાચાર
calendar_today January 16, 2026

Gujarat Budget 2026 : ગુજરાત બજેટ સત્રને લઇ મોટા સમાચાર

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પંદરમી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર તા.૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મળવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ સત્રની રૂપરેખા અને કામકાજ અંગેની મહત્વની વિગતો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે. સત્રનુ મુખ્ય કામકાજ સત્રના પ્રથમ દિવસે ૧૬મી ફેબ્રુઆરીએ રાજ્યપાલ ગૃહને સંબોધિત કરશે.નાણામંત્રી દ્વારા તા.૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે.અંદાજપત્રની સાથે વર્ષ ૨૦૧૧-૧૨, ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬ અને ૨૦૧૮-૧૯ ના વધારાના ખર્ચના પત્રકો તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ ના પૂરક પત્રકો પણ રજૂ કરવામાં આવશે.આ સત્ર તા.૧૬/૦૨/૨૦૨૬ થી તા.૨૫/૦૩/૨૦૨૬ સુધી કામકાજના કુલ ૨૩ દિવસ ચાલશે.જેમાં કુલ ૨૬ બેઠકો યોજાશે. રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે ૩ બેઠકો યોજાશે.સરકારી કામકાજ અને વિધેયકો માટે ૪ બેઠકો યોજાશે.નાણાકીય કામકાજ માટે કુલ ૧૮ બેઠકો રહેશે જેમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા માટે 4 બેઠકો,વિભાગવાર માંગણીઓ ઉપર ચર્ચા અને મતદાન માટે ૧૨ બેઠકો અને પૂરક માંગણી પર ચર્ચા અને મતદાન માટે ૨ બેઠકો રહેશે.૬ બેઠકમાં બિનસરકારી કામકાજ નિયમો મુજબ હાથ ધરવામાં આવશે. સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોનું કામકાજ આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોનું કામકાજ હાથ ધરવામાં આવશે. જેના માટે અધ્યક્ષ દ્વારા મંત્રીઓના પાંચ જૂથોની રચના કરવામાં આવી છે અને તારાંકિત પ્રશ્નોની સૂચના માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.સભ્યોની સુવિધા માટે પ્રશ્નોની સૂચના ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.સત્રની શરૂઆત પહેલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પ્રમુખપદે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવશે. જેમાં સત્ર દરમિયાન હાથ ધરવાના કામકાજની વિગતવાર ચર્ચા કરી તેની ભલામણો અનુસાર સભાગૃહમાં કામકાજ હાથ ધરવામાં આવશે.

Read Full Story arrow_forward