android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
NDA ની જીત પર PM MODI એ કહ્યું, વિકાસનું વિઝન લોકોના દિલને સ્પર્શી ગયું
calendar_today January 16, 2026

NDA ની જીત પર PM MODI એ કહ્યું, વિકાસનું વિઝન લોકોના દિલને સ્પર્શી ગયું

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકીય પરિદૃશ્યને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળના NDA/મહાયુતિ ગઠબંધને 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી 25 જીતીને સ્પષ્ટ કર્યું છે કે જનતાનો વિશ્વાસ વિકાસ અને સુશાસન પર છે. આ ઐતિહાસિક વિજય પર પ્રતિક્રિયા આપતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "વિકાસ માટેનું વિઝન અને સરકારના અનુભવે લોકોના હૃદયને સ્પર્શી લીધું છે."મરાઠી સોશિયલ મીડિયા પોસ્ટમાં મહારાષ્ટ્રના લોકોનો આભાર વ્યક્ત કર્યો પીએમ મોદીએ મરાઠી સોશિયલ મીડિયા પોસ્ટમાં મહારાષ્ટ્રના લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આ જનાદેશ NDAના જન કલ્યાણ અને સુશાસનના એજન્ડાને જાહેર સમર્થન આપે છે. તેમણે તેને મહારાષ્ટ્રની ભવ્ય સંસ્કૃતિ અને પ્રગતિ માટેની આકાંક્ષાઓનો ઉજવણી તરીકે વર્ણવ્યો. પીએમના મતે, મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે મહારાષ્ટ્ર અને NDA વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે.  મુખ્ય શહેરી સંસ્થાઓમાં મહાયુતિની જીત મુંબઈ, પુણે, નાગપુર, નાસિક, પિંપરી-ચિંચવડ અને છત્રપતિ સંભાજીનગર જેવી મુખ્ય શહેરી સંસ્થાઓમાં મહાયુતિની જીતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૌથી મહત્વપૂર્ણ સ્પર્ધા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માટે હતી, જ્યાં દાયકાઓ પછી સત્તાનું સંતુલન બદલાતું દેખાયું. મહાયુતિએ BMCમાં પણ મજબૂત સ્થાન મેળવ્યું, જેનું બજેટ 74,000 કરોડથી વધુ છે.  દેવેન્દ્ર ફડણવીસે આ જીતને રેકોર્ડબ્રેક જનાદેશ ગણાવ્યો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જીતને રેકોર્ડબ્રેક જનાદેશ ગણાવતા કહ્યું કે જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ વિકાસ, પ્રામાણિકતા અને મજબૂત નેતૃત્વ ઇચ્છે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના વિકાસ એજન્ડાને જનતા સુધી પહોંચાડવામાં આવ્યો હતો, અને લોકોએ તેને સંપૂર્ણ વિશ્વાસ સાથે સ્વીકાર્યો હતો. આ પણ વાંચો----   BMC Election Result 2026: "વિકાસને મત, ભાવનાત્મક રાજકારણને બાજુ પર! : એકનાથ શિંદે

Read Full Story arrow_forward
Vadodaraમાં ફરીથી નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત, ઓટોરિક્ષાને પાછળથી ટક્કર, 18 વર્ષીય કોલેજીયન વિદ્યાર્થીની ધરપકડ
calendar_today January 16, 2026

Vadodaraમાં ફરીથી નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત, ઓટોરિક્ષાને પાછળથી ટક્કર, 18 વર્ષીય કોલેજીયન વિદ્યાર્થીની ધરપકડ

વડોદરા શહેરમાં ફરી એકવાર નશાની હાલતમાં કાર ચલાવીને અકસ્માત થવાનો બનાવ બહાર આવ્યો છે. નશામાં ધૂત કારચાલકે બેફામ ઝડપે કાર ચલાવી રિક્ષા ટક્કર મારી ગોત્રી રોડ પર આવેલી ગોત્રી હોસ્પિટલ પાસે આજે નશામાં ધૂત કારચાલકે બેફામ ઝડપે કાર ચલાવી એક ઓટોરિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કાર પલટી ખાઈ ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. ઓટોરિક્ષા ચાલક ઈજાગ્રસ્ત અકસ્માતમાં ઓટોરિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કારચાલક નશાની હાલતમાં મળ્યો ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન કાર ડિવાઈડર સાથે અથડાયેલી હાલતમાં મળી આવી હતી અને કારચાલક ઈશાંત  નશાની હાલતમાં હોવાનું જોવા મળ્યું હતું ગોત્રી પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આરોપી નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો, જેના કારણે ગોત્રી પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આરોપી સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ શરુ ગોત્રી પોલીસે જણાવ્યું હતું કે, પ્રોહિબિશનનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નશાની હાલતમાં બેફામ વાહન ચલાવવાના બનાવો વધતા જઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં નશાની હાલતમાં બેફામ વાહન ચલાવવાના બનાવો વધતા જઈ રહ્યા છે, જેના કારણે અવારનવાર નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. પોલીસ દ્વારા આવા બનાવો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે. આ પણ વાંચો-----     Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward
Ahmedabad News: AMC સંચાલિત VS હોસ્પિટલના રીનોવેશન માટે હાઈકોર્ટે મંજૂરી આપી
calendar_today January 16, 2026

Ahmedabad News: AMC સંચાલિત VS હોસ્પિટલના રીનોવેશન માટે હાઈકોર્ટે મંજૂરી આપી

અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત વાડીલાલ સારાભાઈ એટલે કે વીએસ હોસ્પિટલના રીનોવેશન પર રોક લગાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણીમાં કોર્ટે હોસ્પિટલના રીનોવેશન માટે એએમસીને પરવાનગી આપી છે. જેથી હવે હોસ્પિટલમાં જ્યાં રિનોવેશન થવાનું છે તે જગ્યાઓ પર સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવશે. હોસ્પિટલમાં હાલમાં 500 બેડની વ્યવસ્થા છે હોસ્પિટલના રીનોવેશન અંગેની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હાઈકોર્ટમાં જણાવાયું હતું કે, હોસ્પિટલમાં હાલમાં 500 બેડની વ્યવસ્થા છે તેને ચાલુ રાખવામાં આવશે અને તેને તોડવાની કામગીરી કરાશે નહીં. હોસ્પિટલમાં વોર્ડ નંબર 1થી 6ની હાલત જર્જરિત હોવાથી તેટલા ભાગને રીનોવેટ કરવાની જરૂર છે. કોર્ટે રીનોવેશન માટે મંજૂરી આપી હતી સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, હોસ્પિટલનો કેટલોક ભાગ જર્જરિત હોવાથી તેને તોડવાની જરૂર છે. આ કામગીરી દરમિયાન હોસ્પિટલમાં 230 બેડ કાર્યરત રહેશે. જ્યારે રીનોવેશનનું કામ પૂર્ણ થશે ત્યારે 500 બેડની સુવિધા ઉપલબ્ધ કરાશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું હતું કે, અમદાવાદ મહાનગર પાલિકાએ અગાઉના હુકમમાં ફેરફાર કરવા માગ કરી છે. ત્યારબાદ કોર્ટે રીનોવેશન માટે મંજૂરી આપી હતી. આ પણ વાંચોઃ Ahmedabad News: ડોક્ટર દુબઈ ફરવા ગયા અને તસ્કરોએ ઘરમાં 1.47 કરોડનો હાથ ફેરો કર્યો

Read Full Story arrow_forward