android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  ઉત્તરાયણની મજા વચ્ચે માઠા સમાચાર, ઇમરજન્સી કોલ્સમાં મોટો વધારો નોંધાયો, બપોરે 12 વાગ્યા સુધીમાં 510 ઇમરજન્સી કેસ
calendar_today January 14, 2026

Gujarat Latest News Live : ઉત્તરાયણની મજા વચ્ચે માઠા સમાચાર, ઇમરજન્સી કોલ્સમાં મોટો વધારો નોંધાયો, બપોરે 12 વાગ્યા સુધીમાં 510 ઇમરજન્સી કેસ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 14 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ambaji માં શક્તિ પરંપરાનું પુનર્જાગરણ, ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે 16 ફૂટ ઊંચું 'અખંડ શક્તિ ત્રિશૂલ'
calendar_today January 14, 2026

Ambaji માં શક્તિ પરંપરાનું પુનર્જાગરણ, ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે 16 ફૂટ ઊંચું 'અખંડ શક્તિ ત્રિશૂલ'

ઉત્તરકાશીની 1500 વર્ષ જૂની પવિત્ર શક્તિ પરંપરા હવે ગુજરાતના આરાધના ધામ અંબાજીમાં જીવંત થશે. ઉત્તરકાશી સ્થિત આદ્યશક્તિના પવિત્ર ત્રિશૂલની પ્રતિકૃતિ સમાન 16 ફૂટ ઊંચું અને 600 કિલો વજન ધરાવતું દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂલ” અંબાજીના સુપ્રસિદ્ધ ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે આગામી 17 જાન્યુઆરીએ આ ત્રિશૂલને અમદાવાદ ખાતે ભક્તોના દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે. આ ભવ્ય આયોજન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને અમદાવાદના જય ભોલે ગ્રુપના સહયોગથી સાકાર થઈ રહ્યું છે, જે શક્તિ ઉપાસનાના નવા અધ્યાયની શરૂઆત કરશે.600 કિલોનું અખંડ શક્તિ ત્રિશૂલ આ દિવ્ય ત્રિશૂલ માત્ર એક કલાકૃતિ નથી, પરંતુ આસ્થા અને આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે. પૌરાણિક માન્યતા મુજબ, ભગવાન શિવે માતા જગદંબાને જે ત્રિશૂલ અર્પણ કર્યું હતું, તેનાથી જ મહિષાસુરનો સંહાર થયો હતો. ત્રિશૂલિયા ઘાટ પર આ સ્થાપના પાછળનો મુખ્ય હેતુ યાત્રાળુઓમાં આત્મવિશ્વાસ અને નિર્ભયતાની ભાવના જગાડવાનો છે. અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં આગામી 18થી 21 જાન્યુઆરી દરમિયાન બપોરે 3 થી રાત્રે 8 વાગ્યા સુધી ભક્તો આ 600 કિલોના અખંડ ત્રિશૂલના દર્શન કરી શકશે. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે તેને અંબાજીના પવિત્ર માર્ગ પર કાયમી ધોરણે બિરાજમાન કરવામાં આવશે. આ પણ વાંચો : Amit Shah In Gujarat : ઉત્તરાયણ પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યા ભગવાન જગન્નાથના દર્શન

Read Full Story arrow_forward
Makar Sankranti 2026 : નારણપુરાના આકાશમાં અમિત શાહનો પેચ, કાર્યકરો સાથે પતંગબાજીની જમાવી મોજ
calendar_today January 14, 2026

Makar Sankranti 2026 : નારણપુરાના આકાશમાં અમિત શાહનો પેચ, કાર્યકરો સાથે પતંગબાજીની જમાવી મોજ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની પરંપરા જાળવી રાખતા ઉત્તરાયણના પર્વે પોતાના માદરે વતન ગુજરાતના પ્રવાસે છે. આજે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પહોંચતા જ સ્થાનિક નાગરિકો અને ભાજપના કાર્યકરોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. અમિત શાહ નારણપુરા સ્થિત અર્જુન ગ્રીન્સ એપાર્ટમેન્ટના ધાબે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પતંગની ડોર હાથમાં પકડીને આકાશમાં પેચ લડાવ્યા હતા. વર્ષોથી નારણપુરા સાથે જોડાયેલા હોવાથી તેઓ અહીંના લોકો અને કાર્યકરો સાથે ખૂબ જ સહજતાથી ભળી ગયા હતા અને 'કાપ્યો' છે' ના નાદ સાથે ઉત્તરાયણની પતંગબાજીનો આનંદ માણ્યો હતો.ગૃહમંત્રીનો દેશી અંદાજ ગૃહમંત્રી અમિત શાહ આ વર્ષે નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ ઉત્તરાયણની ઉજવણી કરવાના છે. કાર્યકરો સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ ટેરેસ પર ગરમાગરમ ઊંધિયું અને જલેબીનો સ્વાદ પણ માણ્યો હતો. સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમિત શાહે સામાન્ય નાગરિકની જેમ ધાબા પર પતંગ ચગાવીને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. પોતાના લોકપ્રિય નેતાને પોતાની વચ્ચે પતંગ ચગાવતા જોઈને સ્થાનિક રહીશોમાં ભારે કુતૂહલ અને આનંદ જોવા મળ્યો હતો. આ પણ વાંચો : Ambaji માં શક્તિ પરંપરાનું પુનર્જાગરણ, ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે 16 ફૂટ ઊંચું 'અખંડ શક્તિ ત્રિશૂલ'

Read Full Story arrow_forward