Ahmedabad:ગુજરાતના 1 લાખ જેટલા ખેડૂતોને ટેકાના ભાવે વેચેલી મગફળીના નાણાં મળ્યા નથી
ગુજરાતના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી છે પરંતુ એકથી દોઢ મહિનો થવા આવ્યો તેમ છતાં એક લાખ જેટલા ખેડૂતોને નાણાં મળ્યા નથી, રાજ્ય સરકારના કૃષિ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે તેના સાતમા દિવસે મગફળીના નાણાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે, પરંતુ ખેડૂતોને હજુ નાણાં મળ્યા નથી, આ સંદર્ભે રાજ્યના કૃષિમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો સાત દિવસમાં ખેડૂતોને નાણાં નહિ મળે તો લડત લડવામાં આવશે.ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સરકાર ખેડૂતો સાથે રમત રમી રહી હોવાના આક્ષેપ કરાયા છે, ટેકાના ભાવે પ્રતિ ખેડૂત 200 મણ મગફળી ખરીદી કરવામાં આવતી હતી, તેને રાજ્ય સરકારે 125 મણ કરી દીધી છે, ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે તેના સાતમા દિવસે મગફળીના નાણાં ખેડૂતના ખાતામાં જમા થઈ જશે તેવો વાયદો કરાયો હતો પરંતુ અત્યારે રાજ્યના એક લાખ કરતા વધારે ખેડૂતોને દોઢેક મહિના પછીયે નાણાં મળ્યા નથી. ખેડૂતો ટેકાના કેન્દ્ર પર પાંચ પાંચ વખત આંટા મારી આવ્યા છે, બેંકમાં ધક્કા ખાઈને થાકી ગયા છે તેમ છતાં એવા જવાબ મળે છે કે, ઉપરથી નાણાં જમા થાય ત્યારે તમારા ખાતામાં આવી જશે. કિસાન કોંગ્રેસે દાવો કર્યો છે કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, નાફેડનું પોર્ટલ કામ કરતું નથી એટલે મોડું થાય છે. સાત દિવસમાં ખેડૂતના ખાતામાં નાણાં જમા થાય તેની જવાબદારી સરકારની છે, પોર્ટલ કામ કરતું નથી તેનાથી ખેડૂતોને કોઈ લેવાદેવા નથી, સરકારના કૃષિમંત્રી સાત દિવસમાં નાણાં આપવાની વાત કરે ત્યારે દોઢ મહિને પણ નાણાં મળ્યા નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward