android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ‘જી રામજી’ યોજના અંગે સી.આર. પાટીલનું મોટું નિવેદન; કોંગ્રેસે માત્ર ગાંધીજીના ફોટાનો ઉપયોગ કર્યો
calendar_today January 10, 2026

Surat News: ‘જી રામજી’ યોજના અંગે સી.આર. પાટીલનું મોટું નિવેદન; કોંગ્રેસે માત્ર ગાંધીજીના ફોટાનો ઉપયોગ કર્યો

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ‘જી રામજી’ યોજનાના અમલીકરણ અને તેના ફાયદાઓ વિશે જણાવતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના અંતિમ શબ્દો 'રામ' હતા, પરંતુ કોંગ્રેસે ક્યારેય તેમના આ આદર્શો કે નામને સ્વીકાર્યું નથી, માત્ર તેમના ફોટાનો રાજકીય ઉપયોગ કર્યો છે.મનરેગામાં ભ્રષ્ટાચાર અને નવા ફેરફારો સી.આર. પાટીલે ઉમેર્યું કે કોંગ્રેસ મનરેગા યોજના પોતાની હોવાનો દાવો કરે છે, પરંતુ ભૂતકાળમાં આ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હતો. મનરેગામાં મજૂર હંમેશા મજૂર જ રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ યોજનામાં સમયાંતરે અનેક સુધારા કરવામાં આવ્યા છે. હવે 'જી રામજી' યોજના હેઠળ લોકોને 100ના બદલે 125 દિવસની રોજગારી આપવામાં આવશે. યોજનાની મુખ્ય વિશેષતાઓ જળ સંચય: મનરેગાના 88 હજાર કરોડમાંથી 32,000 કરોડ રૂપિયા જળ સંચયના કામો માટે ફાળવવામાં આવ્યા છે. લોકહિત: આ યોજના વિવિધ લોકહિતલક્ષી વિષયોને જોડીને વધુ સેવાકીય કાર્યો થાય તે હેતુથી તૈયાર કરાઈ છે. અમલીકરણ: આ નવી યોજના 1 એપ્રિલથી સમગ્ર દેશમાં અમલમાં આવશે. પાટીલે ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસે યોજનાઓના ચાર વખત નામ બદલ્યા પરંતુ લોકહિતના કામોમાં હંમેશા પાછળ રહી છે, જ્યારે મોદી સરકારની દરેક યોજના જનકલ્યાણ માટે સમર્પિત છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: રિંગ રોડ પર મોતની સવારી, નરોડા-ચિલોડા રોડ પર સાયરન વગાડી રોંગ સાઇડમાં દોડી ગાડીઓ
calendar_today January 10, 2026

Ahmedabad: રિંગ રોડ પર મોતની સવારી, નરોડા-ચિલોડા રોડ પર સાયરન વગાડી રોંગ સાઇડમાં દોડી ગાડીઓ

અમદાવાદના વ્યસ્ત રિંગ રોડ પર ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે ટ્રાફિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.જાહેર માર્ગ પર જોખમી ડ્રાઇવિંગઅમદાવાદના નરોડાથી નાના ચિલોડા તરફ જવાના રિંગ રોડ પર આ ઘટના બની છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અનેક વાહનચાલકો પોતાનો સમય બચાવવા માટે અને મુખ્ય માર્ગ પર ટ્રાફિકથી બચવા માટે બેખૌફ બનીને રોંગ સાઇડમાં ગાડીઓ દોડાવી રહ્યા છે. આ પ્રકારનું ડ્રાઇવિંગ માત્ર નિયમોનું ઉલ્લંઘન નથી, પરંતુ સામેથી આવતા નિર્દોષ વાહનચાલકો માટે જીવલેણ અકસ્માતનું કારણ પણ બની શકે છે.સાયરન વગાડી નિયમોનો ભંગઆ મામલે ચોંકાવનારી વાત એ છે કે, કેટલાક વાહનચાલકોએ તો હદ વટાવી દીધી હતી. વીડિયોમાં દેખાય છે કે ગાડીઓમાં સાયરન વગાડીને રોંગ સાઇડમાં હંકારવામાં આવી રહી હતી, જાણે કોઈ ઈમરજન્સી હોય તેવો ડોળ કરીને નિયમોના લીરેલીરા ઉડાડવામાં આવ્યા હતા. મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ હોવાના બહાને લોકો આ રીતે જીવના જોખમે વાહનો ચલાવી રહ્યા છે. આ પણ વાંચો: અધિકારીઓ નીકળે તે પહેલા માફિયાઓને જાણ, ગોધરા-કાલોલ વિસ્તારમાં વોટ્સએપ જાસૂસીનું મોટું નેટવર્ક સક્રિય

Read Full Story arrow_forward
Surendranagar News: કરોડોના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર
calendar_today January 10, 2026

Surendranagar News: કરોડોના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂના જંગી જથ્થાનો આજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. વહીવટી પ્રક્રિયા અને કોર્ટના આદેશ બાદ લાખોની સંખ્યામાં રહેલી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.29 ગુનાનો મુદ્દામાલનો નાશ કરાયો મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશનના અલગ-અલગ કુલ 29 ગુનાઓમાં અગાઉ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ તમામ કેસોનો નિકાલ કરવાના ભાગરૂપે આજે પોલીસ તંત્ર દ્વારા સત્તાવાર રીતે નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. કેટલો દારૂનો જથ્થો? આ દરમિયાન 53,947 કુલ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. જેની કુલ કિંમત 4,22,55,193 આંકવામાં આવી રહી છે. આ તમામ મુદ્દામાલ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. કડક સુરક્ષા વચ્ચે કામગીરી દારૂના નાશની આ પ્રક્રિયા ચોટીલા હાઈવે નજીક ખુલ્લા મેદાનમાં રાખવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી, ડીવાયએસપી અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓની સમક્ષ દારૂની બોટલો પર બુલડોઝર અને રોલર ફેરવી દેવાયું હતું. દારૂનો નાશ કર્યા બાદ ખાલી બોટલોના કાચ અને પ્રવાહીના નિકાલ માટે ઊંડો ખાડો ખોદીને તેને ડાટી દેવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે આટલી મોટી કિંમતના મુદ્દામાલનો નાશ થતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Surendranagar: થાનગઢના વર્ષ 2016ના મારામારી કેસમાં બે આરોપીને કોર્ટે સજા ફટકારી

Read Full Story arrow_forward