android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ડ્રગ્સ માફિયા શિવા ઝાલાને ફરી જેલ ભેગો કરાયો
calendar_today January 8, 2026

Surat News: ડ્રગ્સ માફિયા શિવા ઝાલાને ફરી જેલ ભેગો કરાયો

સુરતમાં ડ્રગ્સના કાળા કારોબાર સાથે સંકળાયેલા કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ જેલમાંથી બહાર આવતાની સાથે જ પોલીસને પડકાર ફેંકતા તાયફા કર્યા હતા. જોકે, કાયદાની ઉપરવટ જઈને કરેલી આ ઉજવણી તેને ભારે પડી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ એક્શનમાં આવેલી સલાબતપુરા પોલીસે તેની ફરી ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.વચગાળાના જામીન મળતા જ શરૂ કર્યા હતા તાયફા ડ્રગ્સના કેસમાં જેલમાં બંધ શિવા ઝાલાને તાજેતરમાં કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ ડ્રગ્સ માફિયા શિવા ઝાલા અને તેના સમર્થકોએ નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. રસ્તા પર ફટાકડા ફોડી અને મોંઘીદાટ કારના કાફલા સાથે રેલી કાઢીને ઉજવણી કરવામાં આવી હતી. આ તાયફા દ્વારા તેણે જાણે પોલીસ તંત્રને સીધો પડકાર ફેંક્યો હોય તેવો માહોલ સર્જાયો હતો.https://x.com/sandeshnews/status/2009171164254622198 વીડિયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં શિવા ઝાલાની આ ઉજવણી અને 'રોફ' જમાવવાના પ્રયાસના વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયા હતા. આ બાબત પોલીસના ધ્યાન પર આવતા જ ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ, સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં તેની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને શિવા ઝાલાની ધરપકડ કરી તેની તમામ હેકડી ઉતારી દીધી છે. આ પણ વાંચો - Surat: જેલમુક્તિ પછી ડ્રગ્સ માફિયાનો ફિલ્મી તમાશો, ફટાકડા ફોડી, કારના કાફલા સાથે ઊજવણી કરી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Read Full Story arrow_forward
Amreli : ખાંભામાં મગફળી ખરીદી માટે સરકાર પાસે ગોડાઉન ન હોવાથી ખરીદી બંધ, ખેડૂતો પરેશાન
calendar_today January 8, 2026

Amreli : ખાંભામાં મગફળી ખરીદી માટે સરકાર પાસે ગોડાઉન ન હોવાથી ખરીદી બંધ, ખેડૂતો પરેશાન

અમરેલીના ખાંભામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સરકાર પાસે ગોડાઉન ન હોવાથી અને ગોડાઉનની અછત હોવાથી ખરીદી બંધ થતાં ખેડૂતો પરેશાન થયા છે ત્યારે ખાંભા ખરીદી કેન્દ્ર છેલ્લા ચાર દિવસથી બંધ હોવાથી ખેડૂતોની મુશ્કેલી માં મુકાયા છે.ખાંભા કેન્દ્ર પર ગોડાઉનના અભાવે મગફળીની ખરીદી બંધ અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે પરંતુ ખાંભા કેન્દ્ર પર ગોડાઉનના અભાવે મગફળીની ખરીદી બંધ થઈ છે અને ખાંભા એપીએમસીમાં ૨૦થી 25 હજારજેટલી મગફળીની બોરી મેદાનમાં પડી હોવાથી ખેડૂતોની મગફળીની ખરીદી થતી નથી અને એપીએમસી મગફળીથી ઉભરાયું છે ત્યારે ખેડૂતો દ્વારા મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે ખરીદી ન થતી હોવાથી ખેડૂતો પરેશાન બન્યા ખાંભા માર્કેટિંગ યાર્ડ કેન્દ્ર પર મગફળીની બોરી થી ઉભરાયું છે. બીજી તરફ મગફળી ખરીદી માટે ગોડાઉન ન હોવાને કારણે છેલ્લા ત્રણ ચાર દિવસથી ખાંભા એપીએમસી માં ખરીદી બંધ છે ત્યારે ખેડૂતો ત્રણ ચાર દિવસથી એપીએમસીમાં મગફળી ખરીદી માટે વારો આવી ગયો હોય પણ ખરીદી ન થતી હોવાથી ખેડૂતો પરેશાન બન્યા છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા નથી. બીજી તરફ ખાંભા તાલુકામાં ૪૦ થી ૫૦,ટકા ખેડૂતોની મગફળીની ટેકા ના ભાવે ખરીદી બાકી છે ત્યારે ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરાઇ છે. હાલ મંડળી એ ખરીદી કરેલી 25000 બોરી કેન્દ્ર પર પડી છે ખાંભા મગફળી કેન્દ્ર છેલ્લા ત્રણ થી ચાર દિવસથી બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલી મુકાયા છે ત્યારે ખરીદી કેન્દ્રના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા જણાવવામાં આવ્યું છે કે હાલ મંડળી એ ખરીદી કરેલી 25000 બોરી કેન્દ્ર પર પડી છે ગોડાઉન ન હોવાના કારણે ખરીદેલી મગફળી નો ઉપાડ ન થતા ખરીદી કેન્દ્ર છેલ્લા ત્રણ થી ચાર દિવસથી બંધ છે અને હાલ રાજ્ય સરકાર વહેલી તકે રો હાઉસ ફાળવે છે એટલે વહેલી તકે ખરીદી ચાલુ કરી દેશું તેવું મગફળી કેન્દ્રના અધિકારીએ જણાવ્યું હતું...આ પણ વાંચો----  Somnath સ્વાભિમાન પર્વ, 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ, અગ્નિદેવની સાક્ષીએ ગૂંજ્યા મહાદેવના ઓમકાર નાદ

Read Full Story arrow_forward
Venezuelaના નેતા Simon Bolivarના નામે દિલ્હીમાં કેમ રાખવામાં આવ્યુ માર્ગનું નામ, જાણો ભારત સાથે શું છે સંબંધ?
calendar_today January 8, 2026

Venezuelaના નેતા Simon Bolivarના નામે દિલ્હીમાં કેમ રાખવામાં આવ્યુ માર્ગનું નામ, જાણો ભારત સાથે શું છે સંબંધ?

સિમોન બોલિવરના લશ્કરી અને રાજકીય અભિયાનોએ વેનેઝુએલા, કોલંબિયા, ઇક્વાડોર, પેરુ અને બોલિવિયા જેવા વર્તમાન દેશોના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. સિમોન બોલિવર કોણ હતા ? સિમોન બોલિવરને લેટિન અમેરિકાના સૌથી પ્રભાવશાળી ઐતિહાસિક વ્યક્તિઓમાંના એક હતા. જેમના નેતૃત્વ અને વિચારોએ સ્પેનિશ વસાહતી શાસન સામેની સ્વતંત્રતા ચળવળોને નિર્ણાયક દિશા આપી હતી. તેમને આદરપૂર્વક અલ લિબર્ટાડોર કહેવાય છે. જેનો અર્થ મુક્તિદાતા થાય છે. કારણ કે, તેમના લશ્કરી અને રાજકીય અભિયાનોએ વેનેઝુએલા, કોલંબિયા, ઇક્વાડોર, પેરુ અને બોલિવિયા જેવા વર્તમાન દેશોના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. તેઓ ફક્ત એક કમાન્ડર નહી પણ વિચારક, વ્યૂહરચનાકાર અને રાજકીય કલ્પનાશક્તિ ધરાવતા નેતા હતા. દિલ્હીમાં સિમોન બોલિવર નામે માર્ગ તેમના યોગદાનની અસર ભારતમાં પણ દેખાય છે. નવી દિલ્હીમાં, ચાણક્યપુરીના રાજદ્વારી વિસ્તારમાં સિમોન બોલિવર માર્ગ છે. 1947 પછી, દિલ્હીના આયોજકોએ વસાહતી શાસનથી સ્વતંત્રતા અપાવનારા નેતાઓના માનમાં શેરીઓના નામ આપ્યા હતા. સિમોન બોલિવર રોડ એ જ પહેલનો એક ભાગ છે. વેનેઝુએલા પર યુએસ આક્રમણ પછી, લેટિન અમેરિકન દેશો તેમને ફરીથી યાદ કરી રહ્યા છે. વેનેઝુએલામાં, લોકો તેમના વિશે ઉત્સાહપૂર્વક માહિતી એકત્રિત કરી રહ્યા છે અને પ્રેરણા મેળવી રહ્યા છે. સિમોન બોલિવરનું જીવન સિમોન બોલિવરનો જન્મ 24 જુલાઈ 1783ના રોજ કરાકાસમાં શ્રીમંત ક્રેઓલ પરિવારમાં થયો હતો. બાળપણમાં જ તેમણે પોતાના માતા-પિતા ગુમાવ્યા હતા. જેના કારણે તેમનો ઉછેર મુખ્યત્વે વાલીઓ અને શિક્ષકો દ્વારા થયો હતો. તેમના મુખ્ય શિક્ષકોમાં સિમોન રોડ્રિગ્ઝ હતા. જેઓ યુરોપિયન જ્ઞાનવાદના વિચારો, સ્વતંત્રતા, નાગરિક અધિકારો અને લોકપ્રિય શક્તિથી પ્રભાવિત હતા. રાજકીય અને લશ્કરી કારકિર્દી બોલિવરની રાજકીય અને લશ્કરી કારકિર્દી સરળ નહોતી. તેમના શરૂઆતના વર્ષોમાં, સ્વતંત્રતાના હિમાયતીઓને અનેક હારનો સામનો કરવો પડ્યો. વેનેઝુએલામાં ઉભરતી પ્રજાસત્તાક વ્યવસ્થા વારંવાર તૂટી પડી હતી. ક્યારેક આંતરિક વિભાજનને કારણે, ક્યારેક સ્પેનિશ પ્રતિક્રિયાને કારણે અને ક્યારેક યુદ્ધની કઠોર વાસ્તવિકતાઓને કારણે. પરંતુ બોલિવરની લાક્ષણિકતા એ હતી કે તેમણે ક્યારેય હારને અંતિમ પગલું માન્યું નહીં. તેઓ વ્યૂહરચનાઓ બદલતા, સાથીઓ બનાવતા, જાહેર સમર્થન મેળવવા માટે નવા રસ્તાઓ શોધતા અને પછી પાછા ફરતા હતા. હીરો, પ્રતીક અને ચર્ચા સિમોન બોલિવરને વેનેઝુએલા સહિત ઘણા દેશોમાં રાષ્ટ્રીય નાયક તરીકે આદરણીય છે. શહેરો, શેરીઓ, સંસ્થાઓ, ચલણ અને સ્મારકોના નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે. બોલિવિયા દેશનું નામ પણ તેમનાથી પ્રેરિત છે. તેમના વિચારોનું અર્થઘટન અને રજૂઆત વિવિધ રાજકીય પ્રવાહો દ્વારા અલગ અલગ રીતે કરવામાં આવી છે. કેટલાક તેમને લોકશાહી મુક્તિનું પ્રતીક માને છે અન્ય એક વાસ્તવિકવાદી નેતા જેમણે મજબૂત કેન્દ્રીય રાજ્યની જરૂરિયાતની હિમાયત કરી હતી. આ પણ વાંચોઃ Donald Trumpએ આ દેશને આપી હતી જાહેરમાં ધમકી, ભારતે હવે તેની સાથે જ મિલાવ્યો છે હાથ, વૈશ્વિક રાજનીતિ સુધારવાનો સંકલ્પ 

Read Full Story arrow_forward