android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Porbandar: ઓડદર પાસે દીપડો પથ્થરની ખાણમાં ફસાયો, સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી
calendar_today January 6, 2026

Porbandar: ઓડદર પાસે દીપડો પથ્થરની ખાણમાં ફસાયો, સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી

પોરબંદરના ઓડદર ગામની સીમમાં આવેલી પથ્થરની એક ઊંડી ખાણમાં દીપડો ફસાઈ જવાની ઘટના બની છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા. દીપડો ખાણમાં ફસાયેલો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.પથ્થરની ખાણમાં દીપડો ફસાયોઓડદર ગામ નજીક આવેલી પથ્થરની ખાણના શ્રમિકો અને સ્થાનિકોએ જ્યારે ખાણમાં દીપડાને જોયો ત્યારે ભારે ફફડાટ ફેલાયો હતો. દીપડો અચાનક ખાણમાં ખાબક્યો હોવાનું અનુમાન છે. ખાણ ઊંડી હોવાને કારણે દીપડો બહાર નીકળી શક્યો ન હતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો. સ્થાનિકોએ સતર્કતા દાખવી તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરી હતી.વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલખાણમાં ફસાયેલા દીપડાનો વીડિયો કોઈ સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં શૂટ કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો બહાર નીકળવા માટે મથામણ કરી રહ્યો છે, પરંતુ પથ્થરની ઊભી દીવાલોને કારણે તે સફળ થઈ રહ્યો નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન્યજીવ પ્રેમીઓમાં પણ ચિંતા જોવા મળી છે.આ પણ વાંચો:DYCM હર્ષ સંઘવીની આણંદ બસ સ્ટેશન પર સરપ્રાઈઝ મુલાકાત, વિદ્યાર્થીઓની રજૂઆત બાદ તાત્કાલિક નવી બસો ફાળવી

Read Full Story arrow_forward
Vadodara News: ઉત્તરાયણ પૂર્વે ભિક્ષુકોના વેશમાં ચાલતા 'રેકેટ' પર પોલીસનો સપાટો
calendar_today January 6, 2026

Vadodara News: ઉત્તરાયણ પૂર્વે ભિક્ષુકોના વેશમાં ચાલતા 'રેકેટ' પર પોલીસનો સપાટો

વડોદરાના વિવિધ ટ્રાફિક સિગ્નલો પર હાલમાં નાના બાળકો અને નવજાત શિશુઓને ખોળામાં રાખી ભીખ માંગતી મહિલાઓ તેમજ વિકલાંગતાનો ડોળ કરતા ભિક્ષુકોની સંખ્યા વધી છે. ઉત્તરાયણના પર્વમાં લોકો ઉદાર હાથે દાન આપતા હોવાથી આ ટોળકીઓ સક્રિય બની છે.પોલીસને જોઈ ભિક્ષુકોની દોટ જ્યારે AHTU ની ટીમ ગેંડા સર્કલ પાસે તપાસ માટે પહોંચી ત્યારે ભિક્ષુકોના વેશમાં રહેલી મહિલાઓ અને બાળકીઓ રિક્ષામાં બેસીને નાસી છૂટી હતી. ચોંકાવનારી વાત તો એ બની કે, આંબેડકર સર્કલ પાસે જે ભિક્ષુકો અત્યાર સુધી શારીરિક અસમર્થ હોવાનો ડોળ કરતા હતા, તેઓ પોલીસની ગાડી જોતા જ સામાન્ય માણસ કરતા પણ વધુ ઝડપે દોડવા લાગ્યા હતા. આ દ્રશ્યોએ સાબિત કર્યું કે ભીખ માંગવી એ હવે માત્ર મજબૂરી નહીં પણ એક સંગઠિત વ્યવસાય બની ગયો છે. બાળ તસ્કરી અને મજૂરી પર તપાસ AHTU ના PI સી.એચ. આંસુન્દ્રાએ જણાવ્યું હતું કે, "બાળ મજૂરી રોકવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ભીખ માંગતા બાળકો ખરેખર તે મહિલાઓના જ છે કે પછી તેમને બાળ તસ્કરી (Trafficking) દ્વારા અહીં લાવવામાં આવ્યા છે." અત્યાર સુધીમાં 'બાળગોકુલમ' માં 100 જેટલા બાળકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ચાઈલ્ડ હેલ્પલાઈન અને પોલીસની આ તપાસનો મુખ્ય હેતુ બાળકો પાસે જબરદસ્તી ભીખ મંગાવતા તત્વોને પકડવાનો અને માસૂમ બાળકોને આ નરકમાંથી બહાર કાઢી તેમનું ભવિષ્ય સુધારવાનો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur News : શિક્ષક વિદાય લેતા આખું ગામ રડી પડ્યું, ગુરુ-શિષ્યના અતૂટ પ્રેમનો હૃદયસ્પર્શી વીડિયો વાયરલ
calendar_today January 6, 2026

Palanpur News : શિક્ષક વિદાય લેતા આખું ગામ રડી પડ્યું, ગુરુ-શિષ્યના અતૂટ પ્રેમનો હૃદયસ્પર્શી વીડિયો વાયરલ

બનાસકાંઠાના પાલનપુર તાલુકાની ચેખલા જુવોલ સૂરજપુરા પ્રાથમિક શાળામાં એક અત્યંત ભાવુક કરી દેનારી ઘટના સામે આવી છે. છેલ્લા 18 વર્ષથી આ શાળામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા લોકપ્રિય શિક્ષક જીવરાજભાઈ નિનામાની અન્ય સ્થળે બદલી થતા આખું ગામ હિબકે ચડ્યું હતું. શિક્ષકની વિદાય વેળાએ શાળાના માસૂમ બાળકો પોતાના ગુરુને વળગીને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. માત્ર બાળકો જ નહીં, પરંતુ ગામના વાલીઓ અને વડીલો પણ પોતાના માનીતા શિક્ષકને વિદાય આપતી વખતે ભાવુક થયા હતા. આ ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જે જોઈને કોઈ પણ વ્યક્તિની આંખમાં આંસુ આવી જાય તેમ છે.ગુરુ બિન અંધેરા સામાન્ય રીતે સરકારી નોકરીમાં બદલી એ એક પ્રક્રિયા હોય છે, પરંતુ જીવરાજભાઈએ આ 18 વર્ષ દરમિયાન માત્ર શિક્ષણ જ નથી આપ્યું, પણ દરેક બાળક અને ગ્રામજનના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. વિદાયના દિવસે બાળકોએ શિક્ષકને ઘેરી લીધા હતા અને તેમને ન જવા માટે વિનંતી કરતા જોવા મળ્યા હતા. વાલીઓએ પણ જણાવ્યું હતું કે આવા સમર્પિત શિક્ષકની વિદાયથી શાળા અને ગામને મોટી ખોટ પડશે. એક આદર્શ શિક્ષક જ્યારે સમાજમાં આવું પરિવર્તન લાવે છે, ત્યારે જ જ્ઞાન અને સંસ્કારનું સાચું મૂલ્ય સમજાય છે. આ વિદાયના દ્રશ્યોએ સાબિત કરી દીધું કે આજે પણ ગુરુ અને શિષ્યની પરંપરા જીવંત છે.. આ પણ વાંચો : Banaskantha માં રીંછની પજવણી કરનારા બે નરાધમો ઝડપાયા, વન વિભાગની લાલ આંખ

Read Full Story arrow_forward