android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat કોર્ટમાં બોમ્બ હોવાની ધમકીથી હડકંપ, સમગ્ર પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન શરૂ
calendar_today January 6, 2026

Surat કોર્ટમાં બોમ્બ હોવાની ધમકીથી હડકંપ, સમગ્ર પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન શરૂ

સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની નનામી ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. એક અનામી ફોન કોલ દ્વારા કોર્ટ સંકુલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સાવચેતીના પગરૂપે તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું. આજે દિવસ દરમિયાન વકીલો અને અરજદારો માટે કોર્ટમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે કાયદાકીય કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે.ભયના ઓથાર હેઠળ સુરત કોર્ટ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. કોર્ટના દરેક રૂમ, લોબી, પાર્કિંગ અને પરિસરના ખૂણેખૂણામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ધમકી પાછળ કોઈ અસામાજિક તત્વનો હાથ છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. કોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારે ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે અને હાલ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.

Read Full Story arrow_forward
Ahmedabad માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તારીખમાં ફેરફાર, PM ના હસ્તે ખુલ્લો મુકાશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ
calendar_today January 6, 2026

Ahmedabad માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તારીખમાં ફેરફાર, PM ના હસ્તે ખુલ્લો મુકાશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ

અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તારીખમાં ફેરફાર થયો છે. પહેલાં આ મહોત્સવ 10 તારીખે થવાનો નક્કી હતો, પરંતુ હવે તે 12 તારીખે યોજાશે.પતંગ મહોત્સવ હવે પીએમ મોદીના હસ્તે ખુલ્લો મુકાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શિડ્યુલ ફિક્સ થતા મહોત્સવની તૈયારીમાં ફેરફાર કરવો પડ્યો છે. પતંગ મહોત્સવ હવે પીએમ મોદીના હસ્તે ખુલ્લો મુકાશે.  લગભગ અડધા કિલોમીટરના વિસ્તારમાં તૈયારીઓ શરૂ પહેલા રિવરફ્રન્ટમાં નાના પાયે આ આયોજન થયું હતું, પરંતુ આ વર્ષે લગભગ અડધા કિલોમીટરના વિસ્તારમાં તૈયારીઓ શરૂ થઈ છે. ભવ્ય આયોજનને ધ્યાનમાં રાખીને સુરક્ષા, પ્રવેશ સહિતની બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો----   Gujarat Latest News Live : સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં બોમ્બ મુક્યાની ધમકી, કોર્ટ પરિસરને ખાલી કરાવાયું

Read Full Story arrow_forward
Pune News: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે નિધન
calendar_today January 6, 2026

Pune News: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે નિધન

ભૂતપૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેમનું નિધન મહારાષ્ટ્રના પુણેમાં થયું છે. તેમના અંતિમ સંસ્કાર સાંજે થશે.સુરેશ કલમાડી ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા. મહારાષ્ટ્રના પુણેના ભૂતપૂર્વ સાંસદ અને રેલવે મંત્રાલયના ભૂતપૂર્વ રાજ્યમંત્રી સુરેશ કલમાડીએ 6 જાન્યુઆરી, મંગળવારના રોજ સવારે 03.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના નશ્વર દેહને પુણેના એરંડવાને સ્થિત કલમાડી હાઉસ ખાતે બપોરે 02.00વાગ્યા સુધી દર્શન માટે રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર પુણેના નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં થશે. કોમનવેલ્થ ગેમ્સ સાથે સંકળાયેલું નામ સુરેશ કલમાડીનું નામ મુખ્યત્વે 2010 કોમનવેલ્થ ગેમ્સના સંગઠન સાથે સંકળાયેલું છે. તેમના પર વ્યાપક ભ્રષ્ટાચાર, છેતરપિંડી અને ઇવેન્ટ્સના સંચાલન અને કોન્ટ્રાક્ટ આપવામાં નાણાકીય અનિયમિતતાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરિણામે, તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ગુનાહિત કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સુરેશ કલમાડી રાજકીય રીતે સક્રિય નહોતાકોંગ્રેસના નેતા સુરેશ કલમાડીની રાજકીય કારકિર્દી લાંબી અને સફળ રહી હતી. જોકે, તેઓ હાલમાં રાજકારણમાં સક્રિય નહોતા. રાજકારણ ઉપરાંત, સુરેશ કલમાડી રમતગમત પ્રશાસક પણ હતા, લાંબા સમય સુધી ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ તરીકે સેવા આપી હતી.https://x.com/ANI/status/2008364129892159556સુરેશ કલમાડીનો જન્મ 1 મે, 1944 ના રોજ થયો હતો. તેમના લગ્ન એસ. મીરા કલમાડી સાથે થયા છે. તેમના બે પુત્રો અને એક પુત્રી છે. 1982 માં, સુરેશ કલમાડી રાજ્યસભાના સભ્ય બન્યા. 1995 માં, તેમણે કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રીની જવાબદારી સંભાળી. તેમણે પુણે લોકસભા મતવિસ્તારમાંથી ઘણી વખત સંસદ સભ્ય તરીકે સેવા આપી છે. સુરેશ કલમાડી ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ પાઇલટ હતા અને બાદમાં રાજકારણમાં સક્રિય થયા હતા.સુરેશ કલમાડી ભારતીય રાજકારણમાં એક જાણીતું નામ રહ્યા છે. તેઓ અનેક દાયકાઓ સુધી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા રહ્યા અને કેન્દ્ર સરકારમાં મંત્રી પદની જવાબદારી પણ નિભાવી. ખેલ, યુવા બાબતો અને શહેરી વિકાસ જેવા વિષયોમાં તેમનો વિશેષ પ્રભાવ માનવામાં આવતો. પુણેની રાજનીતિમાં તેમની મજબૂત પકડ રહી અને શહેરના વિકાસ સાથે જોડાયેલા અનેક મહત્વના પ્રોજેક્ટ્સમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી. આ પણ વાંચો: PM Modi On Somnath Temple : વિધ્વંસ નહીં, સ્વાભિમાનની ગાથા, PM મોદીએ લખ્યો લેખ

Read Full Story arrow_forward