android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadમાં બેવડી ઋતુનો માર: સોલા સિવિલમાં એક જ અઠવાડિયામાં 13,000થી વધુ OPD કેસ
calendar_today January 3, 2026

Ahmedabadમાં બેવડી ઋતુનો માર: સોલા સિવિલમાં એક જ અઠવાડિયામાં 13,000થી વધુ OPD કેસ

અમદાવાદમાં હાલ બદલાતા હવામાન અને બેવડી ઋતુને કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શરદી, ઉધરસ અને તાવના કેસમાં ઉછાળો આવતા શહેરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા માત્ર એક સપ્તાહમાં 13,446 ઓપીડી (OPD) નોંધાઈ છે.મિશ્ર ઋતુને કારણે રોગચાળો વધ્યોમિશ્ર ઋતુને કારણે ઇન્ફેક્શન ફેલાતા તાવ અને શરદીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તબીબોના જણાવ્યા મુજબ જે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ (Immunity) સારી હોય છે તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય છે, પરંતુ અન્ય લોકો માટે આ ઇન્ફેક્શન લાંબુ ચાલે છે. મચ્છરજન્ય રોગો પણ માથું ઊંચકી રહ્યા છે. સોલા સિવિલમાં નોંધાયેલા આંકડા સોલા સિવિલમાં નોંધાયેલા આંકડા મુજબ, રોજના 20થી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં 72 સેમ્પલમાંથી 5 કેસ પોઝિટિવ આવતા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. મેલેરિયાના રોજના 30થી વધુ ઓપીડી કેસ નોંધાય છે. 480 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. પાણીજન્ય રોગ ટાઇફોઇડના પણ 22 દર્દીઓ હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા, ખોરાકમાં સાવચેતી રાખવા અને મચ્છરોથી બચવા માટે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Porbandar: નેશનલ સમુદ્રી તરણ સ્પર્ધામાં અમદાવાદના વૃદ્ધાને હાર્ટ એટેક
calendar_today January 3, 2026

Porbandar: નેશનલ સમુદ્રી તરણ સ્પર્ધામાં અમદાવાદના વૃદ્ધાને હાર્ટ એટેક

પોરબંદરના સમુદ્રમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી અનેક સ્પર્ધકો ભાગ લેવા પહોંચ્યા છે. જોકે, સ્પર્ધા દરમિયાન અમદાવાદના એક વૃદ્ધાને અચાનક હાર્ટ એટેક આવતા સ્પર્ધાના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.1 કિલોમીટરની સ્પર્ધામાં ભાગ લેવા ઉતર્યા હતાઅમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા 69 વર્ષીય લીનાબેન વર્ધન આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા પોરબંદર આવ્યા હતા. તેઓ જ્યારે 1 કિલોમીટરની સમુદ્રી તરણ સ્પર્ધામાં ઉતર્યા હતા અને દરિયામાં તરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને હાર્ટ એટેક આવ્યો હતો.તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયાઘટનાની જાણ થતા જ આયોજકો અને બચાવ ટુકડી દ્વારા તેમને તાત્કાલિક દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ લીનાબેનને પોરબંદરની એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓ તબીબોની દેખરેખ હેઠળ છે.ખેલદિલી અને જોશ વચ્ચે દુખદ ઘટના69 વર્ષની વયે પણ સમુદ્રી તરણ જેવી પડકારજનક સ્પર્ધામાં ભાગ લેવો એ લીનાબેનનો રમત પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે. પરંતુ સ્પર્ધા દરમિયાન બનેલી આ ઘટનાને પગલે અન્ય સ્પર્ધકો અને ખેલપ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે, આવી સ્પર્ધાઓમાં ફિટનેસ ખૂબ જ મહત્વની હોય છે, છતાં પણ આવી આકસ્મિક ઘટનાઓ તંત્ર અને આયોજકો માટે ચિંતાનો વિષય બની છે.આ પણ વાંચો: ડિજિટલ અરેસ્ટના નામે વૃદ્ધ પાસેથી 7.12 કરોડ પડાવ્યા, સાયબર ક્રાઇમે ચાઈનીઝ કનેક્શન ધરાવતી ગેંગના 12 સાગરીતોને ઝડપ્યા

Read Full Story arrow_forward
Ahmedabad: જમવામાં ચિકનનો એક ટુકડો ઓછો મળવાના મુદ્દે થયેલી તકરારમાં પિતરાઇ ભાઇએ ભાઇનું કાસળ કાઢી નાખ્યું
calendar_today January 3, 2026

Ahmedabad: જમવામાં ચિકનનો એક ટુકડો ઓછો મળવાના મુદ્દે થયેલી તકરારમાં પિતરાઇ ભાઇએ ભાઇનું કાસળ કાઢી નાખ્યું

જમવામાં ચિકન નો એક પિસ ઓછો મળતા પિતરાઈ ભાઈ એ ભાઈની હત્યા કરી નાખી હતી. બે દિવસ પહેલા શીલજ વિસ્તારમાં બનેલા હત્યાના બનાવ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ભાઈની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.પિતરાઈ ભાઈ વિષ્ણુ કુશવાહે છરીના ઘા મારી હત્યા નિપજાવી અમદાવાદના બોપલમાં આવેલ શીલજ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક જાન્યુઆરીની રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. આવાસ યોજનામાં કલરનું કામ કરતા રામુ ઉર્ફે કલ્લુ કુશવાહ ની તેના પિતરાઈ ભાઈ વિષ્ણુ કુશવાહે છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. આરોપી વિષ્ણુ કુશવાહની ધરપકડ જે ગુનામાં પોલીસે આરોપી વિષ્ણુ કુશવાહની ધરપકડ કરી છે. જમવામાં મૃતક રામુને ચિકન નો એક ટુકડો ઓછો મળતા આરોપી વિષ્ણુ સાથે તકરાર થઈ હતી જે તકરાર દરમિયાન આરોપી વિષ્ણુના હાથમાં રહેલી છરી વડે ઈજા પહોંચાડતા રામુ નું મોત નીપજ્યું હતું. જે અંગે બોપલ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. મૃતકને ફ્લેટના પાર્કિંગમાં લાવી રીક્ષા પાસે બેસાડી ફરાર થઈ ગયો હત્યાના ગુનામાં પોલીસે આરોપી વિષ્ણુ કુશવાહ ની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે મૃતક અને આરોપી જમવા બેઠા તે સમયે જમવાનું ઓછું મળતા બંને વચ્ચે તકરાર થઈ હતી. તકરાર બાદ વિષ્ણુએ છરી નો ઘા મારતા રામુ ને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ આરોપી મૃતકને ફ્લેટના પાર્કિંગમાં લાવી રીક્ષા પાસે બેસાડી ફરાર થઈ ગયો હતો જે અંગે પોલીસને માહિતી મળતા પોલીસે કોન્ટ્રાક્ટર ની ફરિયાદ નોંધ આરોપી વિષ્ણુની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપી મધ્યપ્રદેશ મુરેના ભાગી જાય તે પહેલા જ તેની ધરપકડ કરી હત્યાના ગુનામાં વધુ કાર્યવાહી કરવામાં આવી.. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી હત્યાના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. હત્યા પહેલા મૃતક અને આરોપીએ દારૂની પાર્ટી પણ કરી હોવાની વાત સામે આવી રહી છે. જોકે પોલીસ આ અંગે સત્તાવાર કંઈ કહેવા તૈયાર નથી જે અંગે પોલીસની તપાસ દરમિયાન શું હકીકત સામે આવે છે અને હત્યા અંગે શું નવો ખુલાસો થાય છે તે જોવું મહત્વનું છે.

Read Full Story arrow_forward