android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: શિક્ષક-આચાર્ય રાષ્ટ્ર નિર્માણના પાયાના સ્તંભ : મંત્રી
calendar_today January 3, 2026

Palanpur: શિક્ષક-આચાર્ય રાષ્ટ્ર નિર્માણના પાયાના સ્તંભ : મંત્રી

યાત્રાધામ અંબાજી ખાતે કેબિનેટ શિક્ષણ મંત્રી ર્ડા.પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના 54 માં શૈક્ષણિક અને વહીવટી અધિવેશન પ્રારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ અધિવેશનમાં રાજ્યભરના 3500 થી વધુ આચાર્યઓનું વિશાળ પ્રતિનિધિમંડળ અંબાજી ખાતે ઉપસ્થિત થયું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ તેમજ શિક્ષણને સર્વોચ્ય શિખરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અંબાજી ખાતે પ્રભારી મંત્રી કમલેશ પટેલ મા અંબાના દર્શન કરીને અધિવેશનમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.અધિવેશનનું ઉદ્ધાટન કરતાં કેબિનેટ શિક્ષણ મંત્રી ર્ડા.પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં ભારતનું ભવિષ્ય વર્ગખંડમાંથી નિર્માણ થાય છે. શિક્ષક અને આચાર્ય કોઈપણ રાષ્ટ્રના વિકાસના પાયાના સ્તંભ છે. આચાર્ય વિદ્યાર્થી તથા દેશના પથદર્શક તરીકે મહત્વની ભુમિકા ભજવે છે. મંત્રીએ જણાવ્યું હતું કે નબળા વર્ગના બાળકોના શિક્ષણની ચિંતા રાજ્ય અને કેન્દ્ર સરકાર રાખે છે. સમગ્ર ગુજરાત અને દેશમાં એકસાથે આશરે 13 લાખ વિદ્યાર્થીઓને રૂ.370 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું છે. ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ યોજના, દીકરીઓના શિક્ષણ માટે નમો લક્ષ્મી યોજના, વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધે તે માટે નમો સરસ્વતી યોજના તેમજ જ્ઞાન શક્તિ-રક્ષા શક્તિ રેસીડેન્શિયલ સ્કુલ જેવી અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ તમામ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આચાર્યોની ભુમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ડીબીટી માધ્યમથી વિદ્યાર્થીઓના ખાતામાં સીધી શિષ્યવૃત્તિ પહોંચે તે માટે સરકાર સતત કાર્યરત છે. દરેક શાળામાં કમ્પ્યુટર, ઈન્ટરનેટ, સ્માર્ટ કલાસ તથા સ્માર્ટ બોર્ડ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ તમામ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ શિક્ષકો અને આચાર્યો દ્વારા કરવામાં આવે ત્યારે જ શિક્ષણ વ્યવસ્થા વધુ મજબુત અને અસરકારક બને છે. ટેકનોલોજી યુગમાં જી-શાળા જેવી એપ્લિકેશન દ્વારા શિક્ષણ પ્રક્રિયા વધુ સરળ બની છે. અત્યારનો સમય શિક્ષણ માટે સુવર્ણકાળ સમાન છે. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથ, વાંચે ગુજરાત ખેલે ગુજરાત અને પરીક્ષા પર ચર્ચા જેવી પહેલોથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. વર્ષ 2020 માં અમલમાં આવેલી નવી શિક્ષણ નીતી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, સર્જનશક્તિ, કૌશલ્ય વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન માટે નવી તકો ઉપલબ્ધ બની છે. આ પ્રસંગે બનાસકાંઠા પ્રભારી મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્ર એ વિકસિત સમાજ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણનો આધારસ્તંભ છે. વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને મુલ્યોના સંચારમાં આચાર્યઓની ભુમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત 2047 ના સંકલ્પને સાકાર કરવા માટે શિક્ષકગણ અને આચાર્યઓ માર્ગદર્શક શક્તિ તરીકે કાર્ય કરશે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુણવત્તાયુકત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ટેકનોલોજી આધારીત શિક્ષણ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની દિશામાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: 1.22 લાખ હેક્ટરમાં રવી પાકનું વાવેતર
calendar_today January 3, 2026

Kheda: 1.22 લાખ હેક્ટરમાં રવી પાકનું વાવેતર

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે રવિ પાકનું વાવેતર 1.22 લાખ હેકટરના આંકડાને આંબી ગયું છે. ખેડૂતો દ્વારા ઘઉં, તમાકુ સ્ સહિત અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. મોટાભાગના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં વાવેતરનું કામપૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ હાલ તા. 2 જાન્યુઆરી સુધીમાં જિલ્લામાં 53 હજાર હેકટરમાં ઘઉં અને 31 હજાર હેકટર તમાકુ સહિત અન્ય પાકોનું વાવેતર થઇ ચુક્યું છે.જિલ્લામાં સૌથી વધુ નડિયાદ તાલુકામાં 20155 હેકટર અને સૌથી ઓછુ ગળતેશ્વર તાલુકામાં 6310 હેકટરમાં વાવેતર નોંધાયું છે. આગામી 15 જાન્યુઆરી સુધીમાં વાવેતરનો આંક 1.75લાખ ઉપરાંત પહોંચશે. તેવી શકયતા છે,ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે સારા વરસાદ અને ત્યારબાદ કેનાલ તેમજ કૂવાઓના જળસ્તર જળવાઇ રહેતા શિયાળુ સિઝનનું વાવેતર વેગવંતુ બન્યું છે. જિલ્લામાં દેવદિવાળી બાદ ખેડૂતો ખેતરમાં રવિ પાકના વાવેતરમાં જોતરાયા હતા. જિલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, સમગ્ર જિલ્લામાં શિયાળુ પાકની સિઝનમાં ખેડૂતો દ્વારા 122213 લાખ હેકટર ઉપરાંત વાવેતર કરી દેવામાં આવ્યું છે.ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ખેડૂતોએ રોકડિયા પાક તમાકુના વાવેતરને વધુ પ્રાથમિકતા આપી છે. સિઝનમાં ઘઉંનું 53218 હેકટર, મકાઇ 187 ,ચણા 1744, રાઇ 2021, તમાકુ 31423 હેકટર , જીરૂ 94, સવા 120, વરિયાળી 673, બટાકા 4972, શાકભાજી 14079, ઘાસચારો 12291 સહિત અન્ય પાકનું વાવેતર મળીને કુલ 122213 હેકટરમાં વાવેતર આંબી ગયું છે. ખેડૂતો દ્વારા તા. 15 જાન્યુઆરી સુધી વાવેતર કરવામાં આવનાર છે. જેથી સિઝનમાં પોણા બે લાખ ઉપરાંત વાવેતરનો આંક પહોંચે તેવી શકયતા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: ઉમરેઠ : કતલખાને લઈ જવાતા પશુ બચાવાયાં
calendar_today January 3, 2026

Anand: ઉમરેઠ : કતલખાને લઈ જવાતા પશુ બચાવાયાં

ઉમરેઠ શહેર પોલીસે ગઈકાલે ઉમરેઠ-નડીઆદ રોડ ઉપર આવેલી દ્વારકાધીશ હોટેલ પાસેથી એક બંધ બોડીના કન્ટેનરને ઝડપી પાડીને સુરતના કતલખાને લઈ જવાતી 22 ભેંસોને બચાવી લીધી હતી. પોલીસે પાયલોટીંગ કરતા બાઈક ચાલક સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરીને કુલ 16 લાખ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો દાખલ કરી ભેંસો મોકલનાર શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે પોલીસને માહિતી મળી હતી કે, ઉમરેઠ તરફ્થી એક બંધ બોડીના કન્ટેનરમાં પશુઓને કતલખાને લઈ જનાર છે. જેના આધારે પોલીસે દ્વારકાધીશ હોટેલ પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે એક બંધ બોડીનું કન્ટેનર નંબર જીજે-27, ટીએફ્-8985નું આવી પહોંચતા જ પોલીસે તેને રોક્યું હતું. એ સાથે જ આગળ બાઈક પર પાયલોટીંગ કરતો શખ્સ પણ આવી પહોંચ્યો હતો. કન્ટેનરમાં બે શખ્સો સવાર હતા. ઉમરેઠના જુનેદ કુરેશીએ ભેંસો કન્ટેનરમાં ભરાવીને સુરતના મીઠીખાડી કતલખાને રવાના કરાઈ હતી. પોલીસે ત્રણેયને રાઉન્ડ અપ કરીને તપાસ કરતા બંધ બોડીના કન્ટેનરની અંદર 22 જેટલી ચારથી પાંચ વર્ષની ઉંમરની ભેંસો મળી આવી હતી. ભેંસો માટે કોઈપણ જાતના ઘાસચારો, પાણીની વ્યવસ્થા કરાઈ નહોતી, અને અત્યંત ટૂંકા દોરડાથી હવા ઉજાસ વગર હેરાફેરી કરતા ઉજાગર થવા પામ્યા હતા. તેમની પાસે પશુઓની હેરાફેરી કરવા અંગે સક્ષમ અધિકારીનું લાયસન્સ માંગતા તે પણ નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય શખ્સોના નામઠામ પૂછતાં ડ્રાયવર યાસીન મુસાભાઈ મતાદાર, સોહિલ ફરીદભાઈ શેખ અને બાઈક પર પાયલોટીંગ કરનાર શખ્સ સમીર સલીમભાઈ કુરેશીને ઝડપ્યા હતા. ત્રણેયની ઝડતી કરતા રોકડા 11500, ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે 5.50 લાખની કિંમતની ભેંસો, કન્ટેનર સહિત કુલ 16,51,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પૂછપરછ કરી મુખ્ય આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી તરફ્ તમામ ભેંસોને પાંજરાપોળમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. ઉમરેઠમાંથી મોટાપાયે પશુઓને કતલખાનું મોકલવાનું રેકેટ ઝડપાતા પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward