android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન અને ચોઈસ ફીલિંગની અંતિમ તક
calendar_today January 2, 2026

Gandhinagar: મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન અને ચોઈસ ફીલિંગની અંતિમ તક

શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અમલી 'મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના' અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટેની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા પરંતુ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે પોર્ટલ પુન: ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગ બાકી હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે જે વિદ્યાર્થીઓએ તા. 12 એપ્રિલ 2025 ના રોજ લેવામાં આવેલી પરીક્ષા આપી હોય, પ્રથમ કામચલાઉ (Provisional) મેરીટ યાદીમાં સમાવેશ થયો હોય, પરંતુ પ્રથમ ફાઈનલ મેરીટ યાદીમાં જે વિદ્યાર્થીઓને સમાવેશ થયો નથી અને રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગની કામગીરી બાકી રહી ગઈ હોય તેવા વિદ્યાર્થીઓ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય મેળવવાની વધુ એક તક પ્રાપ્ત થશે. 'મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કુલ 25000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનું લક્ષ્ય છે, જેમાં ખાલી રહેલી બેઠકોમાં આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. આગામી તા.15 જાન્યુઆરી 2026 સુધી http://gssyguj.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. જરૂરી આધાર-પુરાવા અપલોડ કરવાના રહેશે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ નિયત સમયમર્યાદામાં વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી જરૂરી આધાર-પુરાવા અપલોડ કરવાના રહેશે. રજીસ્ટ્રેશન માટેની વિગતવાર માર્ગદર્શિકા અને સૂચનાઓ વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ અંગેની અપડેટ્સ મેળવવા માટે સમયાંતરે પોર્ટલની મુલાકાત લેવાની રહેશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ પણ વાંચો: Gandhinagar: મહાત્મા મંદિર ખાતે GSRTCનો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, 4,700થી વધુ યુવાનોને મળી નોકરી

Read Full Story arrow_forward
Surat News: કામરેજમાં તાપી નદીમાં યુવતીએ ઝંપલાવ્યું
calendar_today January 2, 2026

Surat News: કામરેજમાં તાપી નદીમાં યુવતીએ ઝંપલાવ્યું

માનવતા હજુ જીવતી છે એવો કિસ્સો સુરતના કામરેજ વિસ્તારમાં જોવા મળ્યો છે. કામરેજ નજીક આવેલા આંબોલી તાપી નદીના બ્રિજ પરથી એક અજાણી યુવતીએ અગમ્ય કારણોસર નદીમાં ઝંપલાવી દીધું હતું. જોકે, નદીમાં હાજર દેવદૂત સમાન માછીમારોએ સમયસૂચકતા વાપરી યુવતીનો જીવ બચાવી લીધો હતો.માછીમારો બન્યા દેવદૂત જ્યારે યુવતીએ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી, ત્યારે નીચે નદીમાં કેટલાક માછીમારો પોતાની નાવડીમાં માછીમારી કરી રહ્યા હતા. યુવતીને પાણીમાં પડતી જોઈ માછીમારો ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની નાવડી લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. યુવતી પાણીમાં ડૂબી રહી હતી, ત્યારે જ એક માછીમારે તેનો હાથ પકડી લીધો હતો અને તેને સુરક્ષિત રીતે કિનારે લાવી હતી. ઘટનાનો વીડિયો વાયરલ આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં માછીમારો યુવતીને ડૂબતી બચાવતા સ્પષ્ટ જોઈ શકાય છે. લોકો આ બહાદુર માછીમારોની પ્રશંસા કરી રહ્યા છે. તપાસનો વિષય યુવતી કોણ છે, ક્યાંની રહેવાસી છે અને તેણે આવું અંતિમ પગલું ભરવાની કોશિશ કેમ કરી? તે હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે, અને હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, સતર્કતા અને સેવાભાવથી કોઈનો અમૂલ્ય જીવ બચાવી શકાય છે. આ પણ વાંચો - Surat : માંડવીમાં ધર્માંતરણના મોટા રેકેટમાં સંડોવાયેલો વધુ એક શિક્ષક ઝડપાયો, તે ધર્માંતરણ માટે આવતા ફંડ નો હિસાબ રાખતો

Read Full Story arrow_forward
Amreli : જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર વ્યાજખોરોના ત્રાસથી ગુમ, ઘરેથી સ્યુસાઇડ નોટ લખીને નીકળી ગયો
calendar_today January 2, 2026

Amreli : જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર વ્યાજખોરોના ત્રાસથી ગુમ, ઘરેથી સ્યુસાઇડ નોટ લખીને નીકળી ગયો

ગુજરાતમાં વ્યાજખોરો ફરી સક્રિય થયા છે. પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી હોવા છતાં હજી ત્રાસ ઓછો થયો નથી. વારંવાર વ્યાજખોરોના ત્રાસથી લોકો હેરાન થતા હોવાના દાખલા સામે આવી રહ્યાં છે. ત્યારે અમરેલીમાં ભાજપના ઉપાધ્યક્ષનો પુત્ર વ્યાજખોરના ત્રાસથી લાપતા થયો છે. સુરેશ પાનસુરિયાનો પુત્ર 31મી ડિસેમ્બરે સ્યુસાઈડ નોટ લખીને ગુમ થયો છે. પોલીસે તેની શોધખોળ માટે તપાસ શરૂ કરી દીધી છે. 31મી ડિસેમ્બરે રાત્રે સ્યુસાઈડ નોટ લખીને રવિ ગુમ થયો પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર રવિ પાનસુરિયા વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. 31મી ડિસેમ્બરે રાત્રે સ્યુસાઈડ નોટ લખીને રવિ ગુમ થયો હતો. રવિએ ગોધરા નીટ કાંડના દિક્ષિત પટેલ સહિત 16 લોકો પાસેથી 11.25 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતાં. 4.90 કરોડની મિલકત અને 3.38 કરોડ રૂપિયા આરટીજીએસથી તેણે ચૂકવ્યા હતાં. વ્યાજખોરોએ માત્ર 2.97 કરોડની સામે 15 કરોડની ઉઘરાણી કરી હતી. વ્યાજખોરો દ્વારા થતી પઠાણી ઉઘરાણીનો વીડિયો વાયરલ વ્યાજખોરો દ્વારા થતી પઠાણી ઉઘરાણીનો વીડિયો વાયરલ થયો હતો. 31મી ડિસેમ્બરની રાત્રે રવિ ઘરેથી નીકળ્યો તે સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. ગુમ થયેલા રવિ પાનસુરિયાની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ગોધરા નીટ કાંડના દીક્ષિત પટેલ સહિતના 15 જેટલા વ્યાજખોરોના ત્રાસથી રવિ પાનસુરીયા ગુમ થયો હોવાનો આરોપ લગાવાયો છે. આ પણ વાંચોઃ Gandhinagar: મહાત્મા મંદિર ખાતે GSRTCનો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, 4,700થી વધુ યુવાનોને મળી નોકરી

Read Full Story arrow_forward