android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Demonetisation : શું 500ની નોટ બંધ થઇ જશે? જાણો સરકારે શું કહ્યું?
calendar_today January 2, 2026

Demonetisation : શું 500ની નોટ બંધ થઇ જશે? જાણો સરકારે શું કહ્યું?

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે વોટ્સએપ અને ફેસબુક પર એક સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે કે, આગામી માર્ચ મહિનાથી ₹500ની ચલણી નોટો બંધ કરી દેવામાં આવશે. આ સમાચારોને કારણે સામાન્ય જનતામાં અનેક મુંઝવણ જોવા મળી રહી છે. જોકે, આ બાબતે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વાતોમાં કોઈ તથ્ય નથી.અફવાઓનો આવ્યો અંત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સરકાર જૂની ₹500ની નોટો પાછી ખેંચી લેવાની છે અને માર્ચ મહિના પછી તે માત્ર કાગળનો ટુકડો બની જશે. આ પ્રકારના ભ્રામક સમાચારોને કારણે લોકો ફરીથી 2016 જેવી નોટબંધીની સ્થિતિ સર્જાશે તેવા ભયમાં મુકાયા હતા. સરકાર અને RBIની સ્પષ્ટતા સરકારી સૂત્રો અને પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભારત સરકાર કે RBI દ્વારા ₹500ની નોટ બંધ કરવા અંગે કોઈ જ સૂચના કે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. નાગરિકોને કર્યા સાવચેત નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે આવા નકલી સમાચારો પર વિશ્વાસ ન કરે અને તેને આગળ ફોરવર્ડ ન કરે. નોટબંધી જેવા સંવેદનશીલ વિષયો પર હંમેશા સત્તાવાર વેબસાઇટ અથવા વિશ્વસનીય સમાચાર માધ્યમો પર જ ભરોસો રાખવો જોઈએ. હાલમાં ₹500ની નોટ સંપૂર્ણપણે માન્ય છે અને વ્યવહારમાં ચાલુ રહેશે. આ પણ વાંચોઃ Geer Somnath: કોડીનાર રેલવે સ્ટેશન બન્યું હવે દીપડાઓનું કાયમી સરનામું!

Read Full Story arrow_forward
Panchmahal: વિશ્વાસઘાત કરી ફરાર થયેલો આરોપી અંતે પોલીસના સકંજામાં, વેજલપુર પોલીસને સોંપાયો
calendar_today January 2, 2026

Panchmahal: વિશ્વાસઘાત કરી ફરાર થયેલો આરોપી અંતે પોલીસના સકંજામાં, વેજલપુર પોલીસને સોંપાયો

પંચમહાલ જિલ્લા પોલીસ વડા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા આરોપીને SOGની ટીમે કાલોલ પાસેથી દબોચી લીધો છે.પંચમહાલ SOGએ ફરાર આરોપી ઝડપ્યોSOG ના પી.એસ.આઈ. બી.કે. ગોહિલ અને તેમની ટીમ નાસતા-ફરતા આરોપીઓની શોધખોળમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિરેનકુમાર કિરણસિંહને એક ચોક્કસ અને વિશ્વસનીય બાતમી મળી હતી કે, વેજલપુરના ગુનામાં સંડોવાયેલો આરોપી વિનોદ દલપતભાઈ પરમાર કાલોલ પંથકમાં છુપાયેલો છે.વોચ ગોઠવીને આરોપીને દબોચ્યોબાતમી મળતા જ SOGની ટીમે ત્વરિત એક્શન લીધા હતા. કાલોલ તાલુકાના કાશીયાઘોડા ત્રણ રસ્તા પાસે પોલીસે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. જેવો આરોપી ત્યાંથી પસાર થયો કે તરત જ પોલીસે તેને ઘેરી લીધો હતો અને તેની અટકાયત કરી હતી. પકડાયેલ આરોપી વિનોદ પરમાર લાંબા સમયથી પોલીસ ધરપકડથી બચવા માટે ભાગતો ફરતો હતો.આ પણ વાંચો: પાનોલી નજીક NH-48 પર ટેન્કર બ્રિજ પરથી નીચે ખાબક્યું, મોટી જાનહાનિ ટળી

Read Full Story arrow_forward
Gir Somnath News: નવા વર્ષના પ્રારંભે અંબાણી પરિવાર સોમનાથ મહાદેવના શરણે
calendar_today January 2, 2026

Gir Somnath News: નવા વર્ષના પ્રારંભે અંબાણી પરિવાર સોમનાથ મહાદેવના શરણે

દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણીએ નવા વર્ષના પ્રારંભે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. અંબાણી પરિવારની સાથે મુંબઈથી આવેલા ખાસ મહેમાનો પણ આ ભક્તિમય યાત્રામાં જોડાયા હતા. અંબાણી પરિવારનું હેલિકોપ્ટર દ્વારા સોમનાથ હેલિપેડ ખાતે ઉતરાણ થયું હતું.મુકેશ અને નીતા અંબાણીએ મંદિરમાં પૂજા કરીત્યાંથી તેઓ સીધા સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશ ચાવડા અને અન્ય અધિકારીઓ દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. મુકેશ અને નીતા અંબાણીએ સોમનાથ મહાદેવને શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક કર્યો હતો અને સોમેશ્વર પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવને જળાભિષેક કરી પૂજા અર્ચના કરીદર્શન બાદ નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, "નવા વર્ષના પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શન કરી અમે ખૂબ જ ધન્ય બન્યા છીએ." આ મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ખાસ કરીને રિલાયન્સની પોતાની પ્રાઈવેટ સિક્યોરિટી ટુકડી પણ તૈનાત રાખવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward