android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ગુજરાતીઓ તૈયાર રહેજો! રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે
calendar_today January 2, 2026

Ahmedabad News : ગુજરાતીઓ તૈયાર રહેજો! રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતની સાથે જ ઠંડીનું જોર વધવા જઈ રહ્યું છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યમાં 3 જાન્યુઆરીથી ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે. પવનોની દિશામાં થયેલા ફેરફારને કારણે આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. હાલમાં કચ્છનું નલિયા 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જે આગામી દિવસોમાં હજુ પણ નીચું જઈ શકે છે.શિયાળો જમાવટ કરશે અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો વધશે. હવામાન વિભાગના મતે, આ બંને શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થશે. વાતાવરણમાં ભેજ અને પવનોની ગતિ બદલાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે. નાગરિકોને ઠંડીથી બચવા જરૂરી સાવચેતી રાખવા અને ગરમ વસ્ત્રો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad પોલીસની લાલ આંખ, વર્ષ 2025માં રેકોર્ડબ્રેક 1107 અસામાજિક તત્વોને 'પાસા'માં ધકેલ્યા

Read Full Story arrow_forward
Ahmedabad પોલીસની લાલ આંખ, વર્ષ 2025માં રેકોર્ડબ્રેક 1107 અસામાજિક તત્વોને 'પાસા'માં ધકેલ્યા
calendar_today January 2, 2026

Ahmedabad પોલીસની લાલ આંખ, વર્ષ 2025માં રેકોર્ડબ્રેક 1107 અસામાજિક તત્વોને 'પાસા'માં ધકેલ્યા

અમદાવાદ શહેરમાં ગુનાખોરી ડામવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે પોલીસ પ્રશાસને વર્ષ 2025 દરમિયાન અભૂતપૂર્વ કામગીરી કરી છે. શહેર પોલીસના આંકડા મુજબ, વર્ષ દરમિયાન કુલ 1107 અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આ આક્રમક અભિગમને કારણે ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને શહેરની પીસીબી (PCB) શાખાએ બાતમીના આધારે 400 જેટલા કેસ નોંધી 407 આરોપીઓની ધરપકડ કરી છે, જે પોલીસની સતર્કતા દર્શાવે છે.શાંતિ ડહોળનારા તત્વોની ખેર નહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રહાર કરતા પોલીસે પ્રોહિબિશન અને જુગાર ધારા હેઠળ પણ મોટી સફળતા મેળવી છે. પ્રોહિબિશનના કેસોમાં પોલીસે કુલ 5.74 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે જુગારધારા હેઠળ 70 કેસ નોંધી 245 શખ્સોને ઝડપી પાડ્યા છે. પ્રોહિબિશન અને જુગાર એમ બંને મળીને કુલ 6 કરોડ રૂપિયાથી વધુની મતા જપ્ત કરવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીને કારણે ગેરકાયદેસર ધંધા કરતા તત્વોની કમર તૂટી ગઈ છે અને શહેરમાં સુરક્ષાનો માહોલ વધુ સુદ્રઢ બન્યો છે. આ પણ વાંચો : Ahmedabad માં બ્રિજની હાલત કથળી, સુભાષબ્રિજ બાદ હવે દધિચી બ્રિજમાં પણ સળિયા દેખાયા

Read Full Story arrow_forward
MP Parrot Death: ખરગોનમાં 72 કલાકમાં 150 પોપટના મોત, વનવિભાગ થયુ દોડતું
calendar_today January 2, 2026

MP Parrot Death: ખરગોનમાં 72 કલાકમાં 150 પોપટના મોત, વનવિભાગ થયુ દોડતું

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બડવાહમાં નર્મદા નદી કિનારે 150 પોપટના અચાનક મોત થઇ ગયાછે. 72 કલાકમાં જ આટલા બધા પોપટના મોત થતા વનવિભાગ અને પશુ ચિકિત્સા વિભાગ હરકતમાં આવ્યું છે.72 કલાકમાં 150 પોપટના મોતનું કારણ શું ?  જિલ્લા મુખ્યાલયથી લગભગ 80 કિમીના અંતરે આ ઘટના બની. 3 દિવસમાં આટલા બધા પોપટના મોત થતા સનસની ફેલાઇ છે. 100થી વધારે પોપટના શબનું પીએમ કર્યા બાદ પશુ ચિકિત્સકોએ સ્પષ્ટ કર્યુ છે કે આ મોત બર્ડ ફ્લૂ નહીં પણ ફૂડ પોઇઝનિંગના કારણે થયુ છે. છેલ્લા 72 કલાકમાં 150 મૃત પોપટ મળ્યા. રેસક્યુ દરમિયાન કેટલાક જીવીત પણ મળ્યા પરંતુ ફૂડ પોઇઝનિંગની અસર એટલી તીવ્ર હતી કે થોડી જ ક્ષણોમાં પોપટ મૃત્યુ પામ્યા.વિસેરા રિપોર્ટની રાહ જોવાશે કલેક્ટર ભવ્ય મિત્તલની સૂચનાને અનુસરીને, પશુચિકિત્સા વિભાગના નાયબ નિયામક, જી.એસ. સોલંકી, નર્મદા નદી નજીકના જળચર પુલ પર પહોંચ્યા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. તેઓએ સ્પષ્ટતા કરી કે આ મામલો બર્ડ ફ્લૂ કે ચેપી રોગનો નથી, પરંતુ ફૂડ પોઈઝનિંગનો છે. વિભાગે પોપટના વિસેરાના નમૂનાઓ ભોપાલ અને જબલપુર લેબમાં તપાસ માટે મોકલ્યા છે. વિસેરા રિપોર્ટ આવ્યા પછી મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.અમે પોપટના વિસેરા એકત્રિત કર્યા છે અને તેમને જબલપુર અને ભોપાલ મોકલી દીધા છે." રિપોર્ટ આવ્યા પછી આટલા બધા પોપટના મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે. ફૂડ પોઈઝનિંગના લક્ષણોબરવાહમાં તૈનાત પશુચિકિત્સક ડૉ. મનીષા ચૌહાણે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ દરમિયાન, મૃત પોપટમાં ફૂડ પોઈઝનિંગના સ્પષ્ટ લક્ષણો જોવા મળ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે લોકો ઘણીવાર પક્ષીઓને એવો ખોરાક ખવડાવે છે જે તેમના પાચનતંત્ર માટે યોગ્ય નથી. વધુમાં, પક્ષીઓ ઘણીવાર જંતુનાશકોનો છંટકાવ કર્યા પછી ખેતરોમાંથી અનાજ ખાય છે, જે જીવલેણ બની શકે છે. પોસ્ટમોર્ટમ દરમિયાન, પોપટના પેટમાં ચોખા, નાના પથ્થરો અને કાંકરાના નિશાન મળી આવ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ, આ કેસ ફૂડ પોઈઝનિંગનું પરિણામ લાગે છે. બર્ડ ફ્લૂના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. પક્ષી પ્રેમીઓ અને નિષ્ણાતોની અપીલ વન્યજીવન કાર્યકર્તા ટોની શર્માને શંકા છે કે પુલ પર મુલાકાતીઓ દ્વારા આપવામાં આવતો અયોગ્ય ખોરાક તેનું કારણ હતું. આ દુ:ખદ ઘટના બાદ, સ્થાનિક પક્ષી નિરીક્ષકોએ લોકોને સેવાની ભાવનાથી પક્ષીઓને ખવડાવવાની અપીલ કરી છે, પરંતુ ફક્ત જુવાર, બાજરી અને ઘઉં જેવા કાચા અનાજ જ ખવડાવવાની અપીલ કરી છે. રાંધેલા ખોરાક, મસાલેદાર ખોરાક અથવા બચેલો ખોરાક ખવડાવવાનું ટાળો, કારણ કે આ પક્ષીઓ માટે ઝેરી હોઈ શકે છે.

Read Full Story arrow_forward