android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News : ગાંધીધામ ખાતે રિજનલ વાઈબ્રન્ટ સમિટનો કરાયો ભવ્ય પ્રારંભ, ₹8,700 કરોડના કરાયા MOU
calendar_today January 2, 2026

Kutch News : ગાંધીધામ ખાતે રિજનલ વાઈબ્રન્ટ સમિટનો કરાયો ભવ્ય પ્રારંભ, ₹8,700 કરોડના કરાયા MOU

ગુજરાતમાં 11 મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી મુખ્ય વાઈબ્રન્ટ સમિટ પૂર્વે, કચ્છના ગાંધીધામ ખાતે 'રિજનલ વાઈબ્રન્ટ સમિટ'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક જ દિવસીય ઇવેન્ટમાં કચ્છના વિકાસને નવી ગતિ આપવા માટે અંદાજે ₹8,700 કરોડના MOU કરવામાં આવ્યા હતા. અર્જુન મોઢવાડિયાના હસ્તે કરાયો પ્રારંભ ઉદ્યોગ જગત માટે નવો સૂર્યોદય ગણવાતા મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો રાજ્યના ઔદ્યોગિક નકશા પર અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, સ્ટીલ, સિમેન્ટ, કેમિકલ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં કચ્છ પહેલેથી જ અગ્રેસર છે. કંડલા ખાતે આકાર લઈ રહેલા મેગા કન્ટેનર ટર્મિનલ અને ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ્સને કારણે આગામી પાંચથી સાત વર્ષમાં અહીં જંગી રોકાણો આવવાની પ્રબળ શક્યતાઓ છે.  કચ્છને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરાશેઃ આનંદ પટેલ કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આયોજનની વિગતો આપતા જણાવ્યું કે, આ વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ'માં કચ્છના અર્થતંત્રના મુખ્ય સ્તંભ એવા પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ તેમજ મિનરલ પ્રોસેસિંગ માટે મજબૂત આયોજન કરવામાં આવ્યુ છે. કચ્છી હસ્તકલા અને પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક મંચ પૂરું પાડવાની પ્રાથમિકતા આપવામાં આવી છે. આ સાથે જ ગ્રીન પ્રોજેક્ટ્સ દ્વારા પર્યાવરણની જાળવણી સાથે આર્થિક સમૃદ્ધિ લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ સમિટ દ્વારા સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચે એક મજબૂત સમન્વય સાધવામાં આવ્યો છે. જે આગામી સમયમાં કચ્છને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવામાં આવશે. આ પણ વાંચોઃ Demonetisation : શું 500ની નોટ બંધ થઇ જશે? જાણો સરકારે શું કહ્યું?

Read Full Story arrow_forward
Surendranagar: સાયલામાં નીલગાયનો શિકાર કરી માંસ વેચવાનું કૌભાંડ ઝડપાયું, ફોરેસ્ટ વિભાગે બે કસાઈઓને દબોચ્યા
calendar_today January 2, 2026

Surendranagar: સાયલામાં નીલગાયનો શિકાર કરી માંસ વેચવાનું કૌભાંડ ઝડપાયું, ફોરેસ્ટ વિભાગે બે કસાઈઓને દબોચ્યા

સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના શિકારની ગંભીર ઘટના સામે આવી છે. સરકાર દ્વારા રક્ષિત જાહેર કરાયેલ નીલગાયનો શિકાર કરી તેના માંસનો વેપલો કરતી ટોળકીનો સાયલા ફોરેસ્ટ વિભાગે પર્દાફાશ કર્યો છે. સેજકપર ગામની સીમમાં મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં બે શિકારીઓ ઝડપાયા છે, જ્યારે અન્ય ત્રણ અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. વન્ય પ્રાણીઓના શિકારની ગંભીર ઘટનાસામાજિક વનીકરણ વિભાગના RFO સાગર મકવાણા, ભવાનીસિંહ જાદવ અને નોર્મલ વિભાગના સ્ટાફને બાતમી મળી હતી કે સેજકપરની સીમમાં નીલગાયનો શિકાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી હતી. દરોડા દરમિયાન શિકારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. વન વિભાગે સ્થળ પરથી હનીફ ઇબ્રાહિમ સંધી (રહે. મિરઝાપુર, અમદાવાદ) અને જુનૈદ અહેમદ કુરેશી (રહે. જુના દેલવાડા, મહેસાણા) ને ઝડપી પાડ્યા હતા.બંદૂકથી ફાયરિંગ અને ક્રૂરતાની પરાકાષ્ઠાતપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકી પહેલા બંદૂકથી નીલગાય પર ફાયરિંગ કરી તેને મારી નાખતી હતી. ત્યારબાદ ધારદાર છરા અને સળિયા જેવા હથિયારોથી તેના અંગો અલગ કરી માંસ તૈયાર કરવામાં આવતું હતું. વન વિભાગે ઘટનાસ્થળેથીએક કાર અને એક બાઇક, નીલગાયના માંસનો જથ્થો, ધારદાર છરા અને લોખંડના સળિયા જપ્ત કર્યા છે.રિકન્સ્ટ્રક્શન અને કડક કાર્યવાહીવન વિભાગ દ્વારા ઝડપાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પશુ ચિકિત્સકો દ્વારા મૃત નીલગાયના અવશેષોનું પોસ્ટમોર્ટમ કરી નમૂના ફોરેન્સિક લેબ (FSL) માં મોકલવામાં આવ્યા છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.આ પણ વાંચો: વિશ્વાસઘાત કરી ફરાર થયેલો આરોપી અંતે પોલીસના સકંજામાં, વેજલપુર પોલીસને સોંપાયો

Read Full Story arrow_forward
Anandના ઉમરેઠમાં ગંભીર બેદરકારી: પ્લેટિનિયમ પ્લાઝા સામે જાહેરમાં મેડિકલ વેસ્ટનો ખડકલો
calendar_today January 2, 2026

Anandના ઉમરેઠમાં ગંભીર બેદરકારી: પ્લેટિનિયમ પ્લાઝા સામે જાહેરમાં મેડિકલ વેસ્ટનો ખડકલો

ઉમરેઠ શહેરના પ્લેટિનિયમ પ્લાઝા શોપિંગ સેન્ટર સામે આવેલા કાંસમાં અજાણ્યા શખ્સો દ્વારા ગંભીર પ્રકારનો મેડિકલ વેસ્ટ ખુલ્લેઆમ ફેંકી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. નિયમોના ધજાગરા ઉડાવતી આ ઘટનાએ જાહેર આરોગ્ય સામે મોટું જોખમ ઊભું કર્યું છે. જાહેરમાં ફેંકાયેલા આ કચરામાં વપરાયેલી સોય (નીડલ્સ), ઇન્જેક્શનની બોટલો અને પ્લાસ્ટિકની પાઇપો જેવા જોખમી તબીબી સાધનોનો સમાવેશ થાય છે.સરકારની કડક ગાઇડલાઇનની અવગણના  સામાન્ય રીતે, મેડિકલ વેસ્ટનો નિકાલ સરકારની કડક ગાઇડલાઇન મુજબ કરવાનો હોય છે, પરંતુ અહીં તેની ઘોર અવગણના કરવામાં આવી છે. કાંસમાં પડેલો આ કચરો માત્ર રોગચાળો જ નહીં, પરંતુ રખડતા પશુઓ માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. રાહદારીઓ અને દુકાનદારોના જણાવ્યા મુજબ, ખુલ્લામાં પડેલી સોયથી ચેપ લાગવાનો મોટો ડર છે. વળી, વરસાદી પાણીના નિકાલ માટેના કાંસમાં આવો કચરો હોવાથી પાણી દૂષિત થઈ રહ્યું છે. સ્થાનિકોની માંગ અને તંત્રની જવાબદારીસ્થાનિકોએ માંગ કરી છે કે: તંત્ર તાત્કાલિક ધોરણે આ વેસ્ટ દૂર કરે, આસપાસના CCTV ફૂટેજ તપાસીને જવાબદાર હોસ્પિટલ કે લેબોરેટરીની ઓળખ કરવામાં આવે અનેદોષિતો સામે કડક દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે. આ પ્રકારની બેદરકારી આખા શહેરના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે, તેથી તંત્ર આ મામલે કેટલી ઝડપી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward