android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad News : વલસાડના ઉમરગામમાં થયો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ઘટનામાં કોઈ જાનહાની નહી
calendar_today January 1, 2026

Valsad News : વલસાડના ઉમરગામમાં થયો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ઘટનામાં કોઈ જાનહાની નહી

વલસાડના ઉમરગામમાં આવેલ ગોકુલધામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે અને ગાંધીવાડી ગોકુલધામ વિસ્તારમાં ઘટના બની હોવાની વાત સામે આવી છે, ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી સર્જાઇ હતી અને રસોઈ બનાવતા હતા તે સમયે આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.ગેસ સિલિન્ડર બ્લાસ્ટના CCTV ફૂટેજ આવ્યા સામે તો જે સમયે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો તે સમયે લોકો દોડીને ઘરની બહાર આવી ગયા હતા અને સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ પણ સ્થળ પર પહોંચ્યું હતુ. લોકોએ ઘરની અંદર રહેલા લોકોને બહાર કાઢયા હતા અને મહત્વની વાત તો એ છે કે, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ કોઈ આગ લાગી ન હતી એટલે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, ઘરમાં રહેલ ઘરવખરીને પણ મોટું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે, ત્યારે આ કેસમાં પોલીસે પણ જાણવાજોગ નોંધી છે. 30 ડિસેમ્બર 2025ના રોજ દીવમાં ઘરમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા વિસ્તારમાં સાંજના સમયે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની એક ભયાનક ઘટના સામે આવી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં એક ગરીબ પરિવારની આખી જિંદગીની મૂડી અને સમાન ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. દીવના ઘોઘલામાં આવેલા મીઠાબાવા વિસ્તારમાં રહેતા કંચનબેન પ્રવિણભાઈના ભાડાના મકાનમાં ગઇકાલે સાંજે આશરે સવા સાત વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે જામ્યો ફૂલોનો મેળો, આ ફૂલડાંની સુંગધ તમારૂ મન મોહી લેશે, વાંચો Inside Story

Read Full Story arrow_forward
Surat માં નવા વર્ષે મંદિરમાં ચોરી, ઉધનાના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોનો આતંક
calendar_today January 1, 2026

Surat માં નવા વર્ષે મંદિરમાં ચોરી, ઉધનાના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોનો આતંક

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ભગવતી નગરના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ ચોરીની ઘટના બનતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષ 2026ના પ્રારંભે જ્યારે લોકો મંદિરે દર્શન કરવા જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તસ્કરોએ આ પવિત્ર સ્થાનને નિશાન બનાવ્યું હતું. મંદિરમાં પ્રવેશેલા તસ્કરોએ દાનપેટી અને અન્ય જગ્યાએ રોકડ રકમ શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા તેઓએ મંદિરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.રોકડ ન મળી તો તોડફોડ કરી તસ્કરો એટલા સાતિર હતા કે પકડાઈ જવાની બીકે તેઓ મંદિરમાં લાગેલા CCTV કેમેરા અને DVR પણ પોતાની સાથે ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેથી પોલીસને કોઈ પુરાવા ન મળી શકે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને એફએસએલ (FSL) તેમજ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે. નવા વર્ષની વહેલી સવારે જ આંતક મચાવનાર આ તસ્કરોને પકડી પાડવા માટે પોલીસે આસપાસના રસ્તાઓના ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે. આ પણ વાંચો : Surat News : લિંબાયતમાં નજીવી બાબતે યુવકની કરપીણ હત્યા, કાયદો અને વ્યવસ્થા સામે સવાલ

Read Full Story arrow_forward
Gold Silver Price Today: નવા વર્ષે સોનું સસ્તુ કે મોંઘુ? જાણો 1લી જાન્યુઆરીનો લેટેસ્ટ રેટ
calendar_today January 1, 2026

Gold Silver Price Today: નવા વર્ષે સોનું સસ્તુ કે મોંઘુ? જાણો 1લી જાન્યુઆરીનો લેટેસ્ટ રેટ

આજે 1લી જાન્યુઆરી 2026ના રોજ સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં જ સોના અને ચાંદીના ભાવ એમસીએક્સ પર ઘટ્યા છે. જ્યારે દેશના વિવિધ શહેરોમાં પણ 1લી જાન્યુઆરીએ સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે. આપણે જાણીએ છીએ કે સોનું એક લાખને પાર જ્યારે ચાંદી 2 લાખને પાર પહોંચી ગયુ છે. તેવામાં સોનું અને ચાંદી ખરીદવુ આજના સમયમાં ઘણુ જ મુશ્કેલ છે. ત્યારે આવો જાણીએ શું છે આજનો લેટેસ્ટ રેટઆજે સોનાનો ભાવદેશના વાયદા બજાર, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું અને ચાંદી બંને સુસ્તીથી કારોબાર કરી રહ્યા છે. સવારે 10:30 વાગ્યે સોનું ₹1,35,225 પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે, જે ₹222 ઘટીને ₹1,35,208 પર પહોંચી ગયું છે. ટ્રેડિંગ સત્ર દરમિયાન, સોનું ₹1,35,208 ની નીચી સપાટીએ પહોંચ્યું હતું. જોકે, એક દિવસ પહેલા, સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે ₹1,35,447 પર પહોંચ્યો હતો.આજે ચાંદીનો ભાવ  બજારમાં ચાંદીના ભાવ પણ ઘટી રહ્યા છે. માહિતી અનુસાર, સવારે 10:30 વાગ્યે ચાંદી ₹780 ઘટીને ₹234,921 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. ચાંદી અગાઉ ટ્રેડિંગ સત્ર દરમિયાન ₹850 ઘટીને ₹234,855 પર પહોંચી હતી, જે દિવસના સૌથી નીચા સ્તરે પહોંચી હતી. ગયા વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે, ચાંદી ₹235,701 પર બંધ થઈ હતી, જે નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.મોટા શહેરોમાં સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ 1,35,110 ₹123,850બેંગ્લોર ₹1,35,060 ₹1,23,800ચેન્નાઇ ₹1,36,140 ₹124,400 મુંબઇ ₹1,35,060 ₹123,800દિલ્હી ₹1,35,350 ₹123,950કોલકાતા ₹1,35,060 ₹123,800વડોદરા ₹1,35,110 ₹123,850ભારતમાં સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે?ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાંથી સૌથી મુખ્ય છે સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ, ડોલર-રૂપિયાનો વિનિમય દર, આયાત જકાત અને કર, સ્થાનિક માંગ અને પુરવઠો અને લગ્ન અને તહેવારોની મોસમ. મિસ્ડ કોલથી જાણો સોનાની હાલની કિંમત 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રીટેલ દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયમાં તમને SMS દ્વારા તાજેતરના દર મળવાની વ્યવસ્થા છે. સતત અપડેટ્સ અને વધુ માહિતી માટે, તમે IBJA વેબસાઇટ અથવા IBJA Rates પ્લેટફોર્મ પર મુલાકાત લઈ શકો છો.આ પણ વાંચો- Rahu Gochar 2026: નવા વર્ષમાં પાપી ગ્રહ બદલશે ચાલ, અચ્છે દિન થશે શરૂ

Read Full Story arrow_forward