android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anna Hazareની તબિયત બગડી, વાયરલ ઈન્ફેક્શન અને ડિહાઈડ્રેશન બાદ ICUમાં કરાયા દાખલ
calendar_today August 31, 2026

Anna Hazareની તબિયત બગડી, વાયરલ ઈન્ફેક્શન અને ડિહાઈડ્રેશન બાદ ICUમાં કરાયા દાખલ

સામાજિક કાર્યકર અન્ના હજારેની તબિયત લથડતા તેમને મુંબઈની બોમ્બે હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ નજીકની સ્થાનિક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, તબિયતમાં વધુ ઘટાડો થતાં તેમને વધુ સારી સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. અન્ના હજારેને ગંભીર વાયરલ ઈન્ફેક્શનમળતી માહિતી મુજબ, 89 વર્ષીય અન્ના હજારે ગંભીર વાયરલ ઈન્ફેક્શન અને એક્યુટ ડિહાઈડ્રેશનથી પીડાઈ રહ્યા છે. બોમ્બે હોસ્પિટલમાં ડૉ. ગૌતમ ભણસાલીની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. હાલ તબીબોની ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે. વિવિધ તપાસના રિપોર્ટના આધારે આગળની સારવાર અંગે નિર્ણય લેવામાં આવશે.NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓને આપ્યો હતો ટેકોઅન્ના હજારે તાજેતરમાં NEET પેપર લીકના મુદ્દે જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં આવ્યા હતા. 20 જુલાઈએ વિદ્યાર્થીઓ દ્વારા સંસદ તરફ માર્ચ દરમિયાન થયેલી કથિત પોલીસ કાર્યવાહી અને હિંસાની તેમણે નિંદા કરી હતી. આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓનું સમાધાન કરવાની અપીલ કરી હતી.તબીબોની ટીમ સતત નજર રાખી રહી છેપત્રમાં અન્ના હજારે જણાવ્યું હતું કે લોકશાહીમાં હિંસા, જાહેર સંપત્તિને નુકસાન અને બિનજરૂરી બળપ્રયોગ માટે કોઈ સ્થાન નથી. તેમણે પેપર લીક, ભરતી પ્રક્રિયામાં વિલંબ અને બેરોજગારી જેવા યુવાનોના મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે એકતા દર્શાવવા અન્ના હજારે 23 જુલાઈએ બે કલાકનું મૌન પ્રદર્શન પણ કર્યું હતું. તેઓ આશરે દોઢ દાયકા પહેલાં ‘ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’ આંદોલન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના ઉપવાસને કારણે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા. હાલમાં તેમના સ્વાસ્થ્ય પર તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે.આ પણ વાંચો : TB Mukt Bharat : જે.પી. નડ્ડાએ ટીબી નાબૂદી અભિયાનની પ્રગતિની કરી સમીક્ષા

Read Full Story arrow_forward
Gujarat Latest News LIVE : લિયોનેલ મેસ્સીએ ફૂટબોલને અલવિદા કહ્યું, 21 વર્ષની ફૂટબોલ કારકિર્દીનો અંત
calendar_today August 31, 2026

Gujarat Latest News LIVE : લિયોનેલ મેસ્સીએ ફૂટબોલને અલવિદા કહ્યું, 21 વર્ષની ફૂટબોલ કારકિર્દીનો અંત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 31 August ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Sandesh Digital Explainer:  વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં અનામતની માગ, શું ચૂંટણીમાં ભાજપને અસર કરી શકે?
calendar_today August 31, 2026

Sandesh Digital Explainer: વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં અનામતની માગ, શું ચૂંટણીમાં ભાજપને અસર કરી શકે?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાને હજી દોઢ વર્ષ જેટલો સમય બાકી છે. આ ચૂંટણી પહેલા જ રાજ્યમાં ફરીવાર અનામતનું ભૂત ધૂણવા માંડ્યું છે. રાજ્યમાં સવર્ણ સમાજે એક થઈને સરકાર પાસે કેટલીક માગ રજૂ કરી છે. આ માગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં સવર્ણ મતદારો ખાસ કરીને ભાજપના મતદારો હોવાનો દાવો કરવામાં આવે છે. જો આ મતદારોમાં ફાંટા પડે તો આગામી ચૂંટણીમાં મતદાન પર અસર થઈ શકે છે. જો સવર્ણ સમાજના મત ભાજપમાંથી તૂટે તો રાજકીય ચિંત્ર બદલાઈ શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ જાગ્યું અનામતનું ભૂતગુજરાતમાં સવર્ણ જ્ઞાતિઓ પૈકીની પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય સહિતના સમાજોના અગ્રણીઓ ગાંધીનગરમાં એક થયા હતાં અને એક બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં કેટલીક માગ સરકાર સમક્ષ રજૂ કરાઈ હતી. આ બેઠકમાં જેટલા સવર્ણ સમાજ ભેગા થયા હતાં તેમાંથી મોટાભાગના સમાજના મત ભાજપ તરફી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી દિવસે દિવસે નજીક આવી રહી છે. જેના કારણે આ સમાજના નેતાઓ પોતાની માગ પૂરી કરવા સરકાર સામે બાંયો ચડાવી રહ્યા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. આ સવર્ણ સમાજમાંથી કેટલીક જ્ઞાતિઓ ભાજપથી વિમુખ થાય તો રાજકીય સ્થિતિ શું થાય તેની ચર્ચાઓ થઈ રહી છે. મતોની ટકાવારી અને જ્ઞાતિગત મતદાનની ટકાવારીમાં મોટો ઉલટફેર સર્જાય એમ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. કેટલાક સમાજ કોંગ્રેસથી વિમુખ થયા હતાંગુજરાતમાં વર્ષ 2026માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને 51 ટકા અને કોંગ્રેસને 30 ટકા જેટલા વોટ મળ્યા હતાં. આ ચૂંટણીઓમાં ભાજપને 1.19 કરોડથી વધુ અને કોંગ્રેસને 53 લાખથી વધુ મત મળ્યા હતાં. એ જ રીતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 61 અને કોંગ્રેસને 31 ટકા મત મળ્યા હતાં. લોકસભામાં ભાજપને 1.78 કરોડ અને કોંગ્રેસને 90 લાખ જેટલા મત મળ્યા હતાં. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપને 52 અને કોંગ્રેસને 27 ટકા મત મળ્યા હતાં. ભાજપને કૂલ મળેલા મત 1.63 કરોડ અને કોંગ્રેસને 86 લાખ 83 હજાર મત મળ્યા હતાં. આ ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં મોટાભાગના સમાજના મત મળ્યા હતાં. આ દરમિયાન કેટલાક સમાજ કોંગ્રેસથી વિમુખ થયા હોવાનું સામે આવ્યું હતું. રાજકીય વિશ્લેષક શું કહે છે?આ અંગે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીએ કહ્યું હતું કે, અનામત એ ચૂંટણી ટાણે ધૂણતો એવો એક ભુવો છે કે જે ચોક્કસ ચૂંટણી સમયે ધૂણવા મંડે છે. અને એનું કારણ એ છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક જ સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. છેલ્લા ઘણા સમયથી અનામત નામનું પોટલું એક બંધ બોક્સમાં પડ્યું હતું, જે 2015 પછી પાછું એ બક્ષામાંથી બહાર આવ્યું છે 2015માં પાટીદાર આંદોલન થયું અને પછી એના જે છાંટા ઊડ્યા તો 2017નું પરિણામ આપણા સૌની સામે છે કે ભાજપ ભીંસમાં આવ્યું હતું. ભાજપ એટલે પાટીદાર અથવા તો સવર્ણ વર્ગ અને સવર્ણ વર્ગ એટલે ભાજપ. એ સવર્ણ વર્ગ જો ક્યાંક ને ક્યાંક નારાજ થાય તો ભાજપમાં એ આવડત પણ છે કે એમને ક્યાંકને ક્યાંક સાચવી લે અથવા એને કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવું એ પણ ભાજપને આવડે છે. હવેના પરિસ્થિતિમાં હું એવું નથી માનતો કે સવર્ણ વર્ગ નારાજ થાય અથવા અનામતને લઈને વળી પાછા ક્યાંક જો ઊભા થાય તો ભારતીય જનતા પાર્ટીને તકલીફ પડે એવા દિવસો હવે હું નથી જોઈ રહ્યો ગુજરાતમાં.ભાજપનું શું કહેવું છે?ભાજપના પ્રવક્તા ડો અનિલ પટેલે કહ્યું હતું કે, ભાજપના ભારતીય જનતા પાર્ટીને હંમેશાં સર્વ સમાજનું સમર્થન મળે છે. ભાજપાનો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ છે અને સામાજિક સશક્તિકરણમાં ભારતીય જનતા પાર્ટી માને છે. દેશના વડાપ્રધાન મોદીનો મંત્ર પણ દેશમાં GYAN એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીનું સશક્તિકરણ એ મૂળ મંત્ર છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશાં બંધારણને વરેલી છે અને સરકાર હંમેશાં બંધારણ પ્રમાણે જ નિર્ણય લેતી હોય છે અને બંધારણના આધારે કામ કરતી હોય છે.ગુજરાતમાં જ્ઞાતિગત મતદારોની સ્થિતિ શું છે?હવે વાત કરીએ જ્ઞાતિ ગત મતદાનની પેટર્નની તો ગુજરાતમાં ભાજપ સાથે સવર્ણ માં આવતા બ્રાહ્મણ , પાટીદાર , લેઉવા , વણિક ક્ષત્રિય સમાજ પૈકીના 85 ટકા મતદારો ભાજપ સાથે રહે છે. તો ઓબીસી માથી નાના સમાજ , જેવા કે સઈ, સુથાર , પંચાલ , નાયક જેવી નાની જ્ઞાતિઓ કે જેના 15 ટકા જેટલા વોટ છે જેને ભાજપે કબજે કરી રાખી છે. તો બીજી તરફ ઠાકોર , કોળી , આહીર , ગઢવી, રબારી , ચૌધરી , નાડોદા , અને કારડીયા રાજપૂત જેવા સમજો છે જેમાં મતદાન માટે 2 ભાગ છે.. જેમાં ઘણા ભાજપ જોડે તો ઘણા કોંગ્રેસ જોડે રહે છે. હવે સ્થિતિ એ છે કે જો સવર્ણ સમાજ પૈકી માત્ર 4 થી 5 ટકા મતો ખસકે તો કદાચ સરકાર પર સંકટ આવે તેવી પણ સ્થિતિ થઈ શકે .. કારણ કે સવર્ણ સમાજના 25 ટકા મતો પૈકી 85 ટકા એટલે કે 18 થી 19 ટકા મતો ભાજપ પાસે છે.. જેમાં જો 4 થી 5 ટકાનો ફરક પડે તો ચોક્કસ ભાજપ માથે સંકટ ઊભું થઈ શકે અને સવર્ણ સમાજ નારાજ થાય તે ભાજપને કોઈ સંજોગોમાં પોસાય તેવી સ્થિતિ નથીહવે જોવું રહ્યું ભાજપની શું રણનીતિ હશે?કોંગ્રેસ અનામત અને બિન અનામતને લઈને સરકાર પર હાવી થઈ ગઈ છે અને ગંભીર આક્ષેપો કરતાં કહે છે કે ભાજપે પહેલેથી જ તમામ સમાજ સાથે ઠગાઈ કરી છે. અનામત વર્ગ હોય કે બિન અનામત વર્ગ તમામ સમાજને રોજગાર મેળવવાનો અધિકાર છે કોઈપણ સમાજ હોય તેને ન્યાય મળવો જોઈએ વર્ષ 2017માં કોંગ્રેસે આર્થિક રીતે અનામત આપવા અંગે કહ્યું હતું પરંતુ ભાજપ કહી રહ્યું હતું કે કોઈપણ સંજોગોમાં અનામત ના મળી શકે પરંતુ આજ ભાજપની કેન્દ્ર સરકારે આર્થિક અનામત આપી છે ત્યારે ભાજપની સરકારમાં લોકો સાથે હંમેશા અન્યાય થયો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી એટલે આંદોલન અને માગણીઓ શરૂ થઈ ગઈ છે. હવે ભાજપ આગામી સમયમાં પોતાની રણનીતિ શું રાખે છે એ જોવું રહ્યું. આ પણ વાંચોઃ Explainer: શું નબળું ચોમાસું તમારી થાળી મોંઘી કરશે? ખેતી અને મોંઘવારીનું કનેક્શન સમજો

Read Full Story arrow_forward