android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jammu Kashmir : કિશ્તવાડમાં સિલિન્ડર બ્લાસ્ટની મોટી ઘટના, 4-5 મકાન બળીને થયા ખાખ
calendar_today January 1, 2026

Jammu Kashmir : કિશ્તવાડમાં સિલિન્ડર બ્લાસ્ટની મોટી ઘટના, 4-5 મકાન બળીને થયા ખાખ

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દછન વિસ્તારમાં LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી ભીષણ આગની ઘટના બની છે. આગની ઝપેટમાં અનેક ઘરો આવ્યા છે. આ ઘટનાને કારણે વિસ્તારના લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ ફેલાયો છે. પર્વતીય વિસ્તાર હોવાને કારણે ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી શક્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.સ્થાનિક રહેવાસીઓ આવ્યા મદદે સ્થાનિક લોકોએ થોડી હિંમત ભેગી કરીને આગ પર કાબુ મેળવ્યો છે. ઘટનાની માહિતી મળતાં કિશ્તવાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા. પોલીસે અહેવાલ આપ્યો કે દછન વિસ્તારમાં સિલિન્ડર વિસ્ફોટથી આગ લાગી, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે, કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી. પોલીસે અહેવાલ આપ્યો કે સ્થાનિક રહેવાસીઓએ ફાયરબ્રિગ્રેડની સાથે મળીને આગ ઓલવવામાં મદદ કરી. જેમના ઘર બળી ગયા હતા તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સેનાએ અન્ય ઘરોમાંથી LPG સિલિન્ડરો દૂર કર્યા કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્રે ફાયર સર્વિસની ટીમો ઘટનાસ્થળે મોકલી છે અને સેના અને પોલીસ સાથે સતત સંપર્કમાં છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આગમાં 4થી 5 ઘર બળીને ખાખ થઈ ગયા છે, જેમાં મોટાભાગનો સામાન નાશ પામ્યો છે. તેમણે કહ્યું કે બે અધિકારીને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે અને વધુ નુકસાન અટકાવવા માટે નજીકના ઘરોમાંથી એલપીજી સિલિન્ડરોને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા છે. અગાઉ પણ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો 28 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં એક મોટો સિલિન્ડર વિસ્ફોટ થયો હતો, જેના કારણે વિસ્તારમાં ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ ઘટના અસ્તાનબાલા વિસ્તારમાં બની હતી, જેમાં પાંચ ઘરોને નુકસાન થયું હતું અને ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા હતા. આગ પર કાબૂ મેળવતી વખતે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. કિશ્તવાડના આ વિસ્તારોમાં સિલિન્ડર વિસ્ફોટ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.આ પણ વાંચો: Jammu : 51માં સ્થાપના દિવસ પર BROએ બતાવ્યો રોડમેપ, 18 નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની કરી શરૂઆત

Read Full Story arrow_forward
Ahmedabad એરપોર્ટ પર મુસાફરોનો ભારે હોબાળો: ઇન્ડિગોની ફ્લાઇટ મોડી પડતા યાત્રીઓ અકળાયા
calendar_today January 1, 2026

Ahmedabad એરપોર્ટ પર મુસાફરોનો ભારે હોબાળો: ઇન્ડિગોની ફ્લાઇટ મોડી પડતા યાત્રીઓ અકળાયા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જાણીતી એરલાઇન્સ કંપની ઇન્ડિગો (IndiGo) ની વિવિધ ફ્લાઇટ્સ સમયસર રવાના ન થતા અને ખાસ કરીને મુંબઈ જતી ફ્લાઇટમાં લાંબા સમયનો વિલંબ થતા મુસાફરોનો મિજાજ ગરમાયો હતો. અમદાવાદથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ તેના નિયત સમય કરતા 2 કલાકથી પણ વધુ મોડી પડી હતી. એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોયા બાદ પણ ફ્લાઇટ ઉપડવાના કોઈ સંકેત ન મળતા મુસાફરોની ધીરજ ખૂટી હતી.ફ્લાઇટ મોડી પડવાનું કારણ ન મળતા હોબાળોમાત્ર મુંબઈ જ નહીં, પરંતુ અન્ય રૂટની ફ્લાઇટ્સમાં પણ વિલંબની ફરિયાદો ઉઠી હતી. મુસાફરોનો મુખ્ય આક્ષેપ એ હતો કે ફ્લાઇટ મોડી પડવા પાછળનું કોઈ સ્પષ્ટ કારણ એરલાઇન્સના સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું નહોતું. ટેકનિકલ ખામી છે કે અન્ય કોઈ કારણ, તે અંગે સચોટ માહિતી ન મળતા મુસાફરો અને એરલાઇન્સના સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફ્લાઇટ મોડી પડતા મુસાફરો અકળાયાઅનેક મુસાફરોએ એરપોર્ટ ટર્મિનલ પર એકઠા થઈને એરલાઇન્સના મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને મુસાફરીમાં થઈ રહેલી હાલાકી અંગે વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે એરપોર્ટ સુરક્ષા સ્ટાફે મધ્યસ્થી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વારંવાર ફ્લાઇટ્સ મોડી પડવાની ઘટનાઓને કારણે મુસાફરોમાં એરલાઇન્સની સેવા પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.

Read Full Story arrow_forward
Surat News :રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેરની 6.93 લાખ લોકોએ મુલાકાત લીધી, કરોડોનું વેચાણ અને તકો
calendar_today January 1, 2026

Surat News :રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેરની 6.93 લાખ લોકોએ મુલાકાત લીધી, કરોડોનું વેચાણ અને તકો

ગુજરાતના સમસ્ત આદિવાસી સમાજ, રાજયના આદિજાતિ વિભાગ, દિશા ફાઉન્ડેશન તથા અન્ય સંસ્થાઓના સહયોગથી અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાર દિવસીય રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો.આ મેળાએ આદિવાસી વેપાર, ઉદ્યોગસાહસિકતા, સંસ્કૃતિ અને આર્થિક સશક્તિકરણને રાષ્ટ્રીય સ્તરે મજબૂત મંચ આપ્યો છે.સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ કહ્યું કે, ચાર દિવસમાં કુલ ૬.૯૩ લાખ મુલાકાતીઓએ મેળાની મુલાકાત લીધી હતી. આવક મળતાં સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ મળી આ મેળામાં ૭૬ જેટલા ફૂડના સ્ટોલમાં આદિવાસી સન્નારીઓએ પરંપરાગત નીતનવી વાનગીઓ જેવી કે, ઢેકળા, રાગીના રોટલા, ઉબાડીયું, થેપલા, પનેલા, માલપુડા, મેથીના પુડા, ભડકું જેવી વાનગીઓના સ્ટોલ દ્વારા રૂ.૧ કરોડથી વધુનું વેચાણ થયું હતું. જ્યારે ટ્રેડ અને ફેર સ્ટોલ્સમાંથી રૂ.૪ કરોડથી વધુનું સીધું વેચાણ નોંધાયું હતું. સાથે જ રૂ.૧૫ કરોડથી વધુના નવા બિઝનેસ ઓર્ડર અને લીડ્સ જનરેટ થતા આદિવાસી ઉદ્યોગકારો માટે રાષ્ટ્રીય બજાર સાથે જોડાવાની નવી તકો ઊભી થઈ હતી. આદિવાસી મેળાના કારણે સ્થાનિક દુકાનો, વેન્ડર્સ, હોટેલ્સ, ટ્રાન્સપોર્ટ અને આસપાસના વિસ્તારોને રૂ.૫ કરોડથી વધુની પરોક્ષ આવક મળતાં સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ મળી હતી. ખેડૂતોએ માર્કેટ લિંકેજ અને નવી તકો માટે હાજરી આપી મેળામાં ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન મેળ્યું હતું. જ્યારે ૨ લાખથી વધુ ખેડૂતોએ માર્કેટ લિંકેજ અને નવી તકો માટે હાજરી આપી. આ ઉપરાંત ૨૫,૦૦૦થી વધુ ઉદ્યોગકારો અને બિઝનેસ ઓનર્સ, ૧૫,૦૦૦થી વધુ રાષ્ટ્રીય પ્રતિનિધિઓ, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓની હાજરીએ મેળાને રાષ્ટ્રીય મહત્વ વધાર્યું હતું. દેશના ૧૨થી વધુ રાજ્યોની ભાગીદારી સાથે આ મેળો સાચા અર્થમાં ‘રાષ્ટ્રીય’ મંચ બન્યો હતો.રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર (NTTF) દરમિયાન ૭ મહત્વપૂર્ણ સેમિનાર અને સત્રો યોજાયા હતા. જેમાં ઉદ્યોગસાહસિકતા, MSME, આદિવાસી બિઝનેસ, સ્કિલ ડેવલપમેન્ટ અને માર્કેટ એક્સેસ જેવા વિષયો પર મળેલ માર્ગદર્શને આદિવાસી યુવાનો અને ઉદ્યોગકારોમાં આત્મવિશ્વાસ વધાર્યો હતો. આ પણ વાંચોઃ Ahmedabad:શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી, ગોલ્ડ અને સિલ્વર સહિત રોકડ જપ્ત કરાઈ

Read Full Story arrow_forward